Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ છે’: યુપીના સીએમ યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળોના...

    ‘સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ છે’: યુપીના સીએમ યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળોના પુનઃસ્થાપન માટે ઝુંબેશ ચલાવવાની હાકલ કરી

    રાજસ્થાનના જાલોરના ભીનમાલ સ્થિત 7મી સદીના નીલકંઠ મહાદેવ મંદિરને ભવ્ય બનાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ નીલકંઠ મહાદેવના દર્શન કરવા અને સમારોહમાં ભાગ લેવા ભીનમાલ પહોંચ્યા હતા. તેમણે લગભગ 15 મિનિટ સુધી ભગવાન શિવની પૂજા કરી.

    - Advertisement -

    શુક્રવારે, 27 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ જ ભારતનો ‘રાષ્ટ્રીય ધર્મ’ છે એમ જણાવ્યું અને કહ્યું કે દેશના દરેક નાગરિકે તેનું સન્માન કરવું જોઈએ. સીએમ યોગીએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો અથવા અપવિત્ર કરવામાં આવ્યા હતા, તેમને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કરવું જોઈએ, જેમ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના કિસ્સામાં કરવામાં આવ્યું હતું.

    સીએમ યોગીએ કહ્યું, “આપણો સનાતન ધર્મ ભારતનો ‘રાષ્ટ્ર ધર્મ’ છે. જ્યારે આપણે સ્વાર્થથી ઉપર ઉઠીએ છીએ ત્યારે આપણે ‘રાષ્ટ્ર ધર્મ’ સાથે જોડાણ સ્થાપિત કરીએ છીએ. રાષ્ટ્રીય ધર્મ સાથે જોડાવાથી આપણું રાષ્ટ્ર સુરક્ષિત બને છે.”

    તેઓએ જોડ્યું, “આપણા સન્માનના પ્રતીકો પુનઃસ્થાપિત કરવા જોઈએ, અને ગાય અને બ્રાહ્મણોની રક્ષા થવી જોઈએ. જો આપણાં ધાર્મિક સ્થળોને કોઈ પણ યુગમાં અપવિત્ર કરવામાં આવ્યું હોય, તો અયોધ્યામાં શ્રી રામ મંદિરની જેમ તેને પુનઃસ્થાપિત કરવાનું અભિયાન ચલાવવું જોઈએ. 500 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે.”

    - Advertisement -

    યોગી આદિત્યનાથ જાલોરના નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા હતા. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમ દરમિયાન રુદ્રાક્ષનું વાવેતર કર્યું હતું.

    સીએમ યોગીએ એમ પણ કહ્યું હતું કે 1400 વર્ષ પછી ભગવાન નીલકંઠના મંદિરનો ભવ્ય રીતે પુનઃસ્થાપન એ વારસા પ્રત્યે આદર અને જાળવણીનું ઉદાહરણ છે.

    “દેશ વિકાસ કરી રહ્યો છે. યાદ કરો કે વડા પ્રધાન મોદી-જીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ વર્ષમાં આપણને બધાને ‘પંચ પ્રાણ’ (પાંચ સંકલ્પો) આપ્યા હતા, જેમાંથી એક આપણા સાંસ્કૃતિક વારસાનું સન્માન હતું. આજે આ કાર્યક્રમ એ જ પ્રતિજ્ઞાને પ્રતિબિંબિત કરે છે.” યુપી સીએમએ કહ્યું.

    અમિત શાહે રામ મંદિરની તારીખ આપી

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે શ્રી રામ મંદિર 1લી જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. દક્ષિણ ત્રિપુરામાં સબરૂમમાં એક રેલીમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, “2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, હું ભાજપ અધ્યક્ષ હતો રાહુલ બાબા (રાહુલ ગાંધી) કોંગ્રેસના અધ્યક્ષ હતા. તે દરરોજ પૂછતાં હતા – મંદિરના નિર્માણની તારીખ ક્યારેય કહેવામાં આવશે નહીં. તો રાહુલ બાબા, કાન ખોલીને સાંભળો, 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં