Thursday, May 15, 2025
More
    હોમપેજક્રાઈમમંદિરમાં ઘૂસીને દેવી અન્નપૂર્ણાની મૂર્તિ પર કર્યો પેશાબ, નીચે ઉતારીને આચરી અશ્લીલતા:...

    મંદિરમાં ઘૂસીને દેવી અન્નપૂર્ણાની મૂર્તિ પર કર્યો પેશાબ, નીચે ઉતારીને આચરી અશ્લીલતા: પુણેના ચાંદ શેખની ધરપકડ, આરોપીના બાપે કહ્યું– હિંદુઓ કંઈ નહીં બગાડી શકે

    એકઠા થયેલા હિંદુઓએ ચાંદ શેખના ઘરે જઈને તેના પરિવારને આ વિશેની ફરિયાદ કરી હતી. જે દરમિયાન આરોપીના અબ્બુ નૌશાદ શેખે મજાક ઉડાવતા કહ્યું હતું કે, "તમે હિંદુઓ અમારું કઈ નહીં બગાડી શકો."

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણેના (Pune) પૌડ ગામમાં શુક્રવારે (2 મે) તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સ્થાનિક હિંદુઓએ આક્રોશ રેલી કાઢી હતી અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં હતાં. વિરોધનું કારણ એ હતું કે, 19 વર્ષીય મુસ્લિમ યુવક ચાંદ શેખે હિંદુ મંદિરમાં ઘૂસી જઈને દેવી અન્નપૂર્ણાની મૂર્તિ પર પેશાબ કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, ચાંદ શેખ મંદિરમાં ઘૂસીને દેવી અન્નપૂર્ણાની પ્રતિમા પર પેશાબ કરે છે અને મૂર્તિને નીચે ઉતારીને અશ્લીલતા આચરે છે.

    સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ હિંદુ સંગઠનો રોષે ભરાયાં હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા હિંદુઓએ ચાંદ શેખના ઘરે જઈને તેના પરિવારને આ વિશેની ફરિયાદ કરી હતી. જે દરમિયાન આરોપીના અબ્બુ નૌશાદ શેખે મજાક ઉડાવતા કહ્યું હતું કે, “તમે હિંદુઓ અમારું કઈ નહીં બગાડી શકો.” ત્યારબાદ સ્થિતિ વણસી હતી અને હિંદુઓએ બાપ-દીકરાની પિટાઈ કરી નાખી હતી. માર માર્યા બાદ સ્થાનિકો આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

    ‘જય શ્રીરામ’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા સાથે નીકળી આક્રોશ રેલી

    શનિવારના રોજ ગામના આક્રોશીત હિંદુઓએ ચાંદ શેખની આ હરકતના વિરોધમાં આક્રોશ રેલી કાઢી હતી. આ દરમિયાન ‘જય શ્રીરામ’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. રેલી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને પૌડ પોલીસ સ્ટેશનમાં આરોપી બાપ-દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ આખા મહારાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો હતો.

    - Advertisement -

    પૌડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર સંતોષ ગિરિગોસાવીએ જણાવ્યું છે કે, ગ્રામીણો ચાંદ શેખના ઘરે ગયા હતા અને તેની હરકત વિશે તેના પરિવારને જણાવ્યું હતું. આ દરમિયાન ચાંદના અબ્બુએ સમજાવવા પહોંચેલા હિંદુ સમુદાયના લોકોની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. ચાંદ શેખ અને તેના અબ્બુ વિરુદ્ધ પૌડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને હાલ તપાસ ચાલી રહી છે.

    પોલીસે એ પણ જણાવ્યું છે કે, “આ ઘટનાને લઈને શિવાજી વાઘવાલેએ (પૌડ નિવાસી) પૌડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, આરોપી ચાંદ મિયાં નૌશાદ શેખ નાગેશ્વર મંદિરમાં આવ્યો, દેવીની મૂર્તિને નીચે ઉતારી અને તેને આપવિત્ર કરી. ત્યારબાદ સ્થાનિક લોકો તેના અબ્બુ પાસે ગયા, પરંતુ તેણે અભદ્ર ભાષાનો વ્યવહાર કરીને હિંદુઓને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.”

    આ સમગ્ર ઘટનાને લઈને પૌડ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 196, 296(A), 298, 299, 302, 351(2), 352 અને 3(5) હેઠળ FIR નોંધી છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બંને આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં