Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરેન્દ્રનગરમાં હુસેના અને ઝાકીરે પ્રેમસંબંધમાં નડતરરૂપ 2 વર્ષના બાળકને ઢોર માર મારીને...

    સુરેન્દ્રનગરમાં હુસેના અને ઝાકીરે પ્રેમસંબંધમાં નડતરરૂપ 2 વર્ષના બાળકને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો: રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ફૂટ્યો ભાંડો

    પોતાના પ્રેમસંબંધમાં નડતરરૂપ બની જતા માતા પ્રેમી સાથે મળીને અવારનવાર આર્યનને માર મારતી હતી. 8 માર્ચે હુસેનાએ અને પ્રેમી જાકિરે આર્યનને બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આર્યને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાથી એક ખુબ હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના પતિથી અલગ થઈને પોતાના પ્રેમી સાથે રહેતી એક પરિણીતાએ પ્રેમસંબંધમાં નડતરરૂપ થતા પોતાના 2 વર્ષના પુત્રને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

    અહેવાલો મુજબ મૂળ સાવરકુંડલા અને હાલ વઢવાણ પોતાના પ્રેમી સાથે રહેતી માતા હુસેના વાઘેરના લગ્ન આઠ વર્ષ પહેલાં સાવરકુંડલા ખાતે સલીમભાઈ રફાઈ સાથે થયા હતા અને બન્નેના લગ્નજીવન દરમિયાન બે સંતાનોમાં મોટો પુત્ર (4 વર્ષ) અને નાનો પુત્ર આર્યન (ઉમર 2 વર્ષ) હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકામ સહિતની બાબતે ઝઘડા તેમજ બોલાચાલી થતી હતી. આથી છેલ્લા 3 વર્ષથી હુસેના બન્ને બાળકોને લઈને પિયર રાજકોટ રહેવા જતી રહી હતી.

    છેલ્લા દોઢ-બે મહિનાથી હુસેના પ્રેમી જાકિર અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પ્રેમી અને માતા બન્ને અવારનવાર પુત્ર આર્યનને મારમારતા હતા. પુત્ર રડતો હોય કે જીદ કરે તો બંને પ્રેમીઓને તે ખટકતો હતો.

    - Advertisement -

    આમ પોતાના પ્રેમસંબંધમાં નડતરરૂપ બની જતા માતા પ્રેમી સાથે મળીને અવારનવાર આર્યનને માર મારતી હતી. 8 માર્ચે હુસેનાએ અને પ્રેમી જાકિરે આર્યનને બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આર્યને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

    પતિને દીકરાની મોત વિષે શંકા જતા PM કરાવ્યું અને ભાંડો ફૂટ્યો

    પુત્રની અંતિમવિધિ માટે પિતા સલીમભાઇને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃત દીકરાના શરીરના પીઠ, પેટ અને પીઠના ભાગે લાલ તથા કાળા કલરના ડાઘના નિશાન જોઈને આ અંગે ડોકટરને જાણ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું ખુલ્યું હતું.

    આથી સલીમે પુત્રની હત્યા અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નીપજાવનાર માતા હુસેના વાઘેર અને પ્રેમી જાકીર ફકીરને ઝડપી પાડ્યા હતા. બંનેએ હત્યાની કબૂલાત કરતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસે હુસેનાબેનને તેના રાજકોટના પિયરમાંથી જ ઝડપી લીધી હતી. તેના પ્રેમી જાકીરને વઢવાણના મુળચંદ રોડ ઉપરથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. બાળકના માથામાં તથા શરીર ઉપર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે. પોલીસ દ્વારા બન્નેની આકરી પુછપરછ કરી છે. આજે બન્નેને કોર્ટમાં રજુ કરવામા આવશે તેમ જાણવા મળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં