Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઝુબેર જેલમાં એસી રૂમમાં રહ્યો: TNMએ એક કલાકમાં સમાચાર બદલ્યા, નકલી...

    મોહમ્મદ ઝુબેર જેલમાં એસી રૂમમાં રહ્યો: TNMએ એક કલાકમાં સમાચાર બદલ્યા, નકલી સમાચાર ફેલાવવાનો પ્રયાસ, કે પછી વિકટમ કાર્ડ રમવાની કોશિશ?

    ઝુબૈરે ટાઈમ્સ નાઉ ડિબેટ દરમિયાન એક ટિપ્પણીના આધારે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ મુસ્લિમ ટોળાને ઉશ્કેર્યા હતા. પરિણામે, કટ્ટરપંથી મુસ્લિમો તેમના જીવનની પાછળ હતા . અને તે પછી નુપુર શર્માને સમર્થન આપવા બદલ ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી .

    - Advertisement -

    મોહમ્મદ ઝુબેર જેલમાં એસી રૂમમાં રહ્યો હોવાના સમાચાર છાપ્યા બાદ બદલવાની નોબત આવી, ‘ધ ન્યુઝ મિનીટ’ (TNM) એ તાજેતરમાં Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને જેલમાંથી મુક્ત કર્યા પછી એક ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો હતો. જેમાં મોહમ્મદ ઝુબેર જેલમાં એસી રૂમમાં રહ્યો હોવાના સમાચાર છાપ્યા હતા, મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા અડધા ડઝનથી વધુ કેસોમાં જામીન આપ્યા હતા, જેમાં હિન્દુ સંતોની બદનક્ષીથી લઈને જુઠા સમાચાર ફેલાવવા સુધીનો સમાવેશ થાય છે.

    જો કે, ઇન્ટરવ્યુ પ્રકાશિત થયા પછી તરત જ તેમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો કારણ કે વાચકોએ એ વાત ઉપર ‘ધ ન્યુઝ મિનીટ’ને ઘેર્યું કે કેવી રીતે Alt ન્યૂઝનો સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર યુપીની જેલમાં આરામથી રહ્યો હતો, જ્યારે તેનાથી વિપરીત લિબરલ-ડાબેરી ગેંગે કંઇક અલગજ વાર્તાઓ ગૂંથી હતી, જેમાં ઝુબેરને ગંભીર પીડિત તરીકે દર્શાવવામાં આવ્યો હતો. વામપંથીઓ દ્વારા તેવું નેરેટીવ બાંધવામાં આવ્યું હતું કે જેસર ઝુબૈર સાથે જેલમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, અને તે કઠોર પરિસ્થિતિઓમાં જીવી રહ્યો છે.

    ધ ન્યૂઝ મિનિટમાં પ્રકાશિત અહેવાલ, એક સંસ્થા જે તેના ડાબેરી વલણ માટે જાણીતી છે અને જેના વરિષ્ઠ નેતૃત્વએ ઓલ્ટ ન્યૂઝ અને મોહમ્મદ ઝુબેર માટે જૂઠાણું ફેલાવવામાં, પ્રચાર ચલાવવામાં કોઈ કસર છોડી નથી. જોકે, દિલ્હી પોલીસની કસ્ટડીમાં ઝુબેરને જેલમાં સારી રીતે રાખવામાં આવ્યો હતો. લેખમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા તેને એરકન્ડિશન્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો.

    - Advertisement -
    TNMનો સુધાર્યા વગરના લેખનો સ્ક્રીનશોટ (સાભાર TNM)

    પરંતુ થોડાજ કલાકો પછી, લેખમાં એર-કન્ડિશન્ડ રૂમનો સંદર્ભ બદલીને માત્ર “રૂમ” કરી દીધો. તે નીચેના સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે “AC રૂમ” વાક્યને બદલીને તેને ફક્ત “રૂમ” કરવામાં આવ્યો છે.

    સાભાર TNM

    અહીં એસી રૂમના સંદર્ભને દૂર કરવાનો અર્થ ફક્ત બે બાબતો હોઈ શકે છે – કાં તો ધ ન્યૂઝ મિનિટે લેખને સંપાદિત કર્યો હતો કારણ કે તેણે મોહમ્મદ ઝુબેરને એસી રૂમમાં રાખવાના દિલ્હી પોલીસ વિશેના ખોટા સમાચાર રજૂ કર્યા હતા – અથવા તેના પીડિત નેરેટીવને સાચવવા માટે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મોહમ્મદ ઝુબેરની 24 દિવસની પોલીસ કસ્ટડી દરમિયાન ડાબેરી મીડિયા દ્વારા જોર શોરથી રજૂ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે ધ ન્યૂઝ મિનિટમાં લેખ ઇન્ટરવ્યુના રૂપમાં પ્રકાશિત થયો હતો અને તેમાં ઝુબૈરે જે જવાબો આપ્યા તેજ છાપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ઝુબૈરને કેવા રૂમમાં રાખવામાં આવ્યો હતો તેની જાણ ન થવી તે અશક્ય વાત છે.

    માટે જ એવું કહી શકાય કે ઝુબૈરે જે કહ્યું હતું તેજ અહેવાલમાં પ્રકાશિત થયું હતું, તેથી તે વધુ સંભવ છે કે આ લેખનો ઉપયોગ મોહમ્મદ ઝુબૈરના દિલ્હી પોલીસ કસ્ટડી દરમિયાન એસી રૂમમાં રહેવાનો ઉલ્લેખ કરવા માટે વિકટમહુદ નેરેટીવ તરીકે યથાવત રાખવા માટે બદલવામાં આવ્યું હતું. જેથી પીડિત વાળું વલણ જાળવી શકાય. જેને Alt Newsના સહ-સ્થાપકની ગયા મહિને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ ડાબેરી અને વામપંથી મીડિયા સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવી હતી. મોહમ્મદ ઝુબેરની હિંદુફોબિક ટ્વીટ અને ફેસબુક પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થયા પછી જાણી જોઇને સાવધાનીથી આ સ્ટોરી તૈયાર કરવામાં આવી હતી.

    ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ મોહમ્મદ ઝુબેરની ધરપકડ

    નોંધનીય છે કે, મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે 28 જૂન, 2022ના રોજ હિંદુ ધર્મને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી . તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 295 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆર ટ્વિટર યુઝર @balajikijaiin દ્વારા કરવામાં આવેલા ટ્વિટ પર આધારિત હતી જેમાં યુઝરે ઝુબૈરના એક જૂના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં ઝુબૈરે ભગવાન હનુમાનની મજાક ઉડાવી હતી. @balajikijainએ તેમના ટ્વિટમાં દિલ્હી પોલીસને ટેગ કરી હતી અને ભગવાન હનુમાન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઝુબેર વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનમાં ઝુબૈરની હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવતી જૂની હિંદુફોબિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મોહમ્મદ ઝુબૈરની હિન્દુફોબિક ટ્વીટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઇન્ટરનેટ પર વાયરલ થયા તેના થોડા દિવસો પહેલા, ઝુબૈરે ટાઈમ્સ નાઉ ડિબેટ દરમિયાન એક ટિપ્પણીના આધારે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ મુસ્લિમ ટોળાને ઉશ્કેર્યા હતા. પરિણામે, કટ્ટરપંથી મુસ્લિમો તેમના જીવનની પાછળ હતા . અને તે પછી નુપુર શર્માને સમર્થન આપવા બદલ ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં