Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદલિત યુવતી સાથે ગેંગરેપ અને મારપીટ, ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું: જાવેદ,...

    દલિત યુવતી સાથે ગેંગરેપ અને મારપીટ, ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું: જાવેદ, મહેમૂદ અને ઇબરાર સામે ગુનો દાખલ

    પીડિતાના પરિવારનો આરોપ છે કે તેમને ધમકી પણ આપવામાં આવી હતી અને જાતિવાદી શબ્દો કહેવામાં આવ્યા હતા. યુવતીના ગુમ થયાની ફરિયાદ 14 જૂને નોંધાઈ હતી.

    - Advertisement -

    યુપીના ગોંડા જિલ્લામાં એક દલિત યુવતી સાથે અપહરણ તેમજ ગેંગરેપ અને ધર્મ પરિવર્તનનું દબાણ કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. આરોપીઓની ઓળખ જાવેદ, બહાદુર, મહેમૂદ અને ઇબરાર તરીકે થઇ છે. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી છે. પીડિતાના પરિવારનો આરોપ છે કે તેમને ધમકી પણ આપવામાં આવી હતી અને જાતિવાદી શબ્દો કહેવામાં આવ્યા હતા. યુવતીના ગુમ થયાની ફરિયાદ 14 જૂને નોંધાઈ હતી.

    પીડિતાના પરિવારે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, પીડિતાના ગામમાં રહેતો જાવેદ મુંબઈમાં નોકરી કરે છે. તે યુવતી સાથે અવારનવાર વાત કરતો હતો અને તેને મુંબઈ લઈ જવાનું કહેતો હતો. પરંતુ યુવતીએ ઇનકાર કર્યો હતો. 14 જૂન 2022ના રોજ જાવેદ યુવતીને કંઈક સૂંઘવીને બેભાન કરીને એ જ હાલતમાં મુંબઈ લઇ ગયો હતો. એફઆઈઆરમાં લગાવેલ આરોપ અનુસાર, મુંબઈમાં તેણે યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ ના પાડ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો. 

    ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જે બાદ જાવેદે મુંબઈમાં યુવતીનો મહેમૂદ અને ઇબરાર પાસે રેપ કરાવ્યા બાદ પોતે પણ બળાત્કાર કર્યો હતો. બાદમાં પકડાઈ જવાના ડરથી 21 જૂન 2022ના રોજ જાવેદે યુવતીને ગોંડા લાવીને કરનૈલજંગ રેલવે સ્ટેશન પર તરછોડી દીધી હતી. આ દરમિયાન જાવેદે યુવતીને જાતિસૂચક અપશબ્દો કહીને કહ્યું હતું કે, “મા$^%* જો અમારું નામ આવ્યું તો ઠીક નહીં થાય.” ફરિયાદને અંતે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. 

    - Advertisement -

    ગોંડાના પારસપુર પોલીસ સ્ટેશને 30 જૂને આ ઘટનાની એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં જાવેદ, તફઝુલના પુત્રો બહાદુર, મહેમૂદ અને ઈબ્રારનું નામ લેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SHO પારસપુર ઈન્સ્પેક્ટર શમશેર બહાદુર સિંહે પણ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. આરોપીઓ પર આઈપીસીની કલમ 366, 376-ડી, 323, 328, 504, 506 સાથે એસસી/એસટી એક્ટ અને ધર્માંતરણ વિરોધી કલમો લગાવવામાં આવી છે. હાલ પોલીસ આરોપીઓને શોધી રહી છે.

    દલિત યુવતી સાથે ગેંગરેપ મામલે પીડિતાના પિતાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, અત્યારે મારી પુત્રીનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવી રહ્યું છે. જાવેદે મારી દીકરી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. તેની સાથે લગ્ન કરવા માટે જાવેદ તેને ધર્મ બદલવા માટે કહેતો હતો. જાવેદને આજીવન કેદ મળે તે જ અમારા માટે ન્યાય હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં