Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરની બહાર આગચંપી કરવા બદલ 4...

    ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરની બહાર આગચંપી કરવા બદલ 4 NSUI કાર્યકર્તાઓની ધરપકડ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર બહાર NSUIના કાર્યકરોએ હિંસક દેખાવો કરતા દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હી પોલીસે બુધવારે મોતી લાલ નેહરુ માર્ગ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાનની બહાર આગચંપી કરવાની ઘટનાના કેસમાં ચાર નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) સભ્યોની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, NSUI સભ્યો અગ્નિપથ યોજના અને નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહ્યા હતા.

    પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 4 NSUI સભ્યો, 30 વર્ષીય જગદીપ સિંહ-રાષ્ટ્રીય પ્રતિનિધિ, સર્વોત્તમ રાણા-રાજ્ય મહાસચિવ, ચંદીગઢ, પ્રણવ પાંડે-રાષ્ટ્રીય સંયોજક અને વિશાલ-મહાસચિવ છે.

    સાગર પ્રીત હુડ્ડા, સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા વિભાગ, ઝોન-II) એ જણાવ્યું હતું કે મંગળવારે નવી દિલ્હીના બીજેપી અધ્યક્ષના મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત નિવાસસ્થાને આગચંપીની ઘટનાની જાણ થઈ હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે સાંજે 4.30 વાગ્યે લગભગ 10-12 લોકો ઘરની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

    - Advertisement -

    થોડા સમય પછી, તેઓ આક્રમક બન્યા અને લાકડાની દંડીઓ પર બે ખાખી ચડ્ડી (આરએસએસના ગણવેશ વાળી) વીંટાળી, આગ લગાડી અને સળગતી ચડ્ડી ઘરના ગેટ ઉપરના સિક્યુરિટી રૂમમાં ફેંકી દીધી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ફરજ પરના સ્ટાફ દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી.

    આ સંદર્ભે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું. “તપાસ દરમિયાન, વૈજ્ઞાનિક પરીક્ષણ માટે સ્થળ પરથી પુરાવાઓ જમા કરવામાં આવ્યા હતા અને ઘટના સ્થળની બહાર સ્થાપિત સીસીટીવીના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તે ફૂટેજમાં કેદ કરવામાં આવ્યું હતું કે લગભગ 10-12 લોકો ત્યાં બે વાહનોમાં આવ્યા હતા જે રોહતક, હરિયાણા અને બિજનૌર, ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા હોવાનું જણાયું હતું,” વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

    પોલીસે આરોપીઓ વિરુદ્ધ તુગલકાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188,146,147,149,278,285,307,436 અને 120-B હેઠળ FIR દાખલ કરી હતી. પોલીસે વધુમાં માહિતી આપી હતી કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાતી ઈનોવા કાર પણ મળી આવી હતી અને પોલીસ આ કેસમાં અન્ય સહઆરોપીઓની પણ શોધ કરી રહી છે.

    દરમિયાન, NSUI પ્રમુખ નીરજ કુંદને આક્ષેપ કર્યો હતો કે પોલીસે જાણીજોઈને બિનજામીનપાત્ર કલમો ઉમેરી છે જેના પગલે સંગઠનના ચાર સભ્યોને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. “જો NSUI સભ્યો અને વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો સરકારે વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ,” કુંદને ચેતવણી આપી હતી.

    નોંધનીય છે કે, આ અગાઉ પોલીસે નિવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યોએ કેવી રીતે પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમને મળેલી પરવાનગીના ઉલ્લંઘનમાં વિરોધ કર્યો હતો.

    દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) અનુસાર, 20 જૂનના રોજ, સચિવ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) તરફથી જંતર-મંતર પર ‘સત્યાગ્રહ’ કરવાની મંજૂરી આપવા માટે એક અરજી મળી હતી. “આ કાર્યક્રમ ‘અગ્નિપથ’ યોજના અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના વિરોધમાં યોજાવાનો હતો. વિરોધ સ્થળ પર માત્ર 1,000 પાર્ટી કાર્યકરોને જ મંજૂરી આપવામાં આવશે તે શરતે પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ જંતર-મંતર પર ધરણા યોજવાને બદલે, વિરોધીઓ 24 અકબર રોડ ખાતે AICC મુખ્યાલયમાં એકઠા થયા અને કલમ 144 CrPC હેઠળ પ્રસિદ્ધ કરાયેલ પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરીને સરઘસના રૂપમાં કૂચ કરી,” તેમણે કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં