Thursday, May 15, 2025
More
    હોમપેજદેશકોઈ 17 વર્ષથી આધાર-રેશન કાર્ડ લઈને રહે છે... કોઈને થયાં 41 વર્ષ...:...

    કોઈ 17 વર્ષથી આધાર-રેશન કાર્ડ લઈને રહે છે… કોઈને થયાં 41 વર્ષ…: તો આ ગેરકાયદેસર પાકિસ્તાનીઓને બચાવવા માટે જ 2019માં ચલાવાયું હતું ‘કાગઝ નહીં દિખાયેંગે’નું તૂત?

    ભારત હિંદુ બાહુલ્ય દેશ છે અને સદીઓથી ઉદાર તથા સહિષ્ણુ રહ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે દેશ એક ધર્મશાળા બની ગઈ છે અને કોઈપણ ઊઠીને ભારતમાં ગેરકાયદે ઘૂસી જઈ શકે છે.

    - Advertisement -

    પહલગામમાં ઇસ્લામી આતંકીઓરે કરેલા હુમલા બાદ ભારતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં એક નિર્ણય હતો પાકિસ્તાનીઓનો દેશનિકાલ. વિઝા સસ્પેન્ડ કરવાથી લઈને ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનીઓને પણ તાત્કાલિક દેશ છોડવાના આદેશ સુધી આ સમગ્ર ઘટના ઐતિહાસિક હતી. ત્યારબાદ તો મીડિયાએ ‘કરુણ કહાણી’નો પણ શરૂ કરી હતી, જે હમણાં સુધી ચાલી આવે છે. મીડિયામાં ઘણા એવા પાકિસ્તાનીઓના ઇન્ટરવ્યુ પણ સામે આવ્યા છે જે વર્ષોથી ભારતમાં રહેતા હતા અને રેશન-કાર્ડ આધાર કાર્ડ બનાવીને સરકારી લાભો પણ મેળવતા હતા.

    આવા જ એક ગેરકાયદે રહેતા પાકિસ્તાનીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેણે પોતાનું નામ ઓસામા હોવાનું જણાવ્યું છે. અટારી બોર્ડરથી પાકિસ્તાન જતા સમયે તેણે મીડિયા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા 17 વર્ષથી તે ભારતમાં રહેતો હતો અને હાલ તે ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. તેણે સરકારના નિર્ણયને ‘શરમજનક’ ગણાવ્યો અને વધુ સમય આપવાની વાતો પણ કરી હતી.

    ખાસ વાત તો એ છે કે, તેણે પોતે સ્વીકાર્યું કે તેણે ભારતમાં રહીને રેશન-કાર્ડ અને આધાર કાર્ડ પણ બનાવી લીધા હતા અને ચૂંટણીમાં વોટ પણ આપ્યા હતા. (કોને આપ્યા હતા એ રહસ્ય પણ તેની સાથે ‘પાકિસ્તાન’ જતું રહ્યું.) ઓસામાએ આતંકી હુમલાની ટીકા તો કરી પણ તેની વાતોમાં દુઃખ એ વાતનું હતું કે પાકિસ્તાન જઈને તેનું ભવિષ્ય બગડી જશે.

    - Advertisement -

    તે સિવાય અન્ય એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના કરાચીના એક ખાતૂન પોતાની કરૂણ કથા સંભળાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેઓ 41 વર્ષથી ભારતમાં રહેતા હતા (ગેરકાયદેસર રીતે). તે મહિલાએ એવું પણ કહ્યું કે, ભારત સરકાર તેની સાથે ખોટું કરી રહી છે! અને તેના પર ‘જુલમ’ કરી છે. આ સાથે તેણે સરકારને ‘અપીલ’ કરતા કહ્યું કે, તે તેમની સાથે ખોટું કરી રહી છે, તેને અહીં રહેવા દેવી જોઈએ.

    તે સિવાય પણ આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની નાગરિકો સ્વીકારે છે કે તેઓ વર્ષોથી ભારતમાં રહેતા હતા. એક વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ કહે છે કે, તેની બેગમ પાકિસ્તાની છે અને 45 વર્ષથી ભારતમાં રહેતી હતી. વધુમાં એક વિડીયોમાં એક મુસ્લિમ શખ્સ કહી રહ્યો છે કે, તેના ઘણા સંબંધીઓને પણ પાકિસ્તાન જવા કહી દેવાયું છે, તેઓ 40-45 વર્ષોથી ભારતમાં રહેતા હતા. તેણે એવું પણ કહ્યું છે કે, ‘સરકાર તેમની સાથે અન્યાય’ કરી રહી છે. જોકે, ગેરકાયદે નાગરિકોને કોઈપણ ભોગે દેશમાંથી બહાર કરવા કોઈપણ દેશની નૈતિક જવાબદારી છે.

    આ તમામ પાકિસ્તાનીઓ વર્ષોથી ભારતમાં રહેતા હતા અને ઓળખપત્રો પણ બનાવી લીધા હતા. તેઓ સરકારી લાભ પણ લેતા હતા અને મતદાન પણ કરી રહ્યા હતા. કોઈ ભારતમાં નિકાહ કરીને આવ્યું હતું તો કોઈ મેડિકલના બહાને ઘૂસ્યું હતું. હવે જ્યારે સરકારે તે ઘૂસણખોરોને બહારનો રસ્તો બતાવ્યો છે તો તેઓ એવા બણગાં ફૂંકી રહ્યા છે કે તેમના પર જુલમ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં રહ્યા, સરકારી લાભો લીધા અને સરકારી સંસાધનોનો ઉપયોગ પણ કર્યો, ત્યારે આ લોકોને સરકારની સારી બાબત ન દેખાઈ. પણ હવે જ્યારે તેમને તેમના મૂળ સ્થાને પરત ફરવાનું કહેવામાં આવ્યું તો સરકાર ‘અત્યાચારી’ થઈ ગઈ. જોકે, સરકાર માત્ર દેશના નાગરિકો માટે જવાબદેહ છે, આવા લોકો માટે ન તો સરકારને જવાબ આપવાનો સમય છે ન તો દેશના નાગરિકોને.

    આ ઘૂસણખોરોને બચાવવા માટે 2019માં વેરાઈ હતી હિંસા?

    થોડા પાછળ જઈએ તો ખ્યાલ આવશે કે 2019માં CAA વખતે ભારતીય મુસ્લિમોને કશું લાગતું-વળગતું ન હોવા છતાં આંદોલન લઈને બેસી ગયા હતા અને ‘કાગઝ નહીં દિખાયેંગે’ની બૂમો પાડવા લાગ્યા હતા. જોકે, તેઓ તો ભારતીય હતા અને તેમની પાસે બધા દસ્તાવેજો પણ હતા. તેમ છતાં આખા દેશમાં આંદોલનની આડમાં અરાજકતા ઊભી કરવામાં આવી હતી અને સરકારને ‘તાનાશાહ’ ગણાવી દેવામાં આવી હતી. મોટા-મોટા બણગાં ફૂંકવામાં આવ્યા હતા કે મોદી સરકાર મુસ્લિમોને ટાર્ગેટ કરી રહી છે.

    તો હવે પ્રશ્ન એ છે કે શું આના માટે તે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું? કારણ કે કાગળો તો આ લોકો પાસે નહોતા. ભારતીય મુસ્લિમો પાસે તો જરૂરી તમામ દસ્તાવેજો હતા અને એ તેમને પણ ખબર હતી. તેમ છતાં આવા ઘૂસણખોરોને બચાવવા અને સ્થાયી કરવા માટે તેમણે આખો દેશ માથે લીધો હતો. જો તે સમયે સરકારે કાગળો માંગ્યા હોત તો દેશ છોડીને જવાનો વખત આવ્યો હોત અને હાલ તે જ થઈ રહ્યું છે.

    વાસ્તવિકતા તો એ છે કે ‘મુસ્લિમો સાથે અન્યાય થઈ રહ્યો છે’-ના નેરેટિવની આડમાં આવા ઘૂસણખોરોને બચાવવા માટે કાગઝ-કાગઝની બૂમો પાડવામાં આવી હતી. સરકારે તો સ્પષ્ટ કહ્યું હતું કે જે ભારતીય મુસ્લિમ છે તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ તે સમયે ભારતીય મુસ્લિમો એવી રીતે બહાર નીકળી આવ્યા હતા જાણે મોદી સરકાર તેમને જ દેશમાંથી કાઢવાની યોજના બનાવી રહી હોય. હકીકતે તો અત્યાચાર સહીને ભારતમાં શરણ લઈને આવેલા અન્ય કટ્ટર દેશોના લઘુમતીઓને નાગરિકા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો.

    પ્રથમ પ્રાથમિકતા જો દેશની આંતરિક સુરક્ષાને આપવામાં આવી હોત તો આજે જે ઘૂસણખોરોને કાઢવામાં આવી રહ્યા છે તે બઉ પહેલાં થઈ ચૂક્યું હોત. પરંતુ ‘મજહબી સંબંધ’ના કારણે ઘૂસણખોરોને બચાવવા માટે દેશની આંતરિક સુરક્ષાને સાઈડલાઈન કરવાનું કામ 2019માં કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે CAAના વિરોધની આડમાં દેશના ટુકડા કરી નાખવા સુધીની માનસિકતા પણ છતી થઈ હતી.

    ભારતીય મુસ્લિમો તો જાણતા હતા કે CAAના કારણે તેમના પર કોઈ જોખમ નથી. પરંતુ તેમ છતાં તેઓ મેદાનમાં આવ્યા અને અત્યાચારની ઘસાયેલી વાતો કરવા લાગ્યા. તેઓ આ બધુ એટલા માટે નહોતા કરતા કે તેમની નાગરિકતા જતી રહેશે, તેઓ એટલા માટે કરતા હતા કારણ કે આવા ઘૂસણખોરોને પકડીને કાઢવામાં આવશે. CAA મજહબી અત્યાચારનો ભોગ બનેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો હતો. તેમાં નાગરિકા છીનવાઈ જવાની તો કોઈ વાત જ નહોતી.

    તેમ છતાં આ એક આખું આંદોલન ઊભું કરીને આવા ઘૂસણખોરોને છાવરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે આજે જોઈએ તો નિષ્ફળ જ સાબિત થયા છે. એટલી સામાન્ય સમજ તો ભારતીય મુસ્લિમોને પણ હતી કે CAA નાગરિકતા છીનવા માટે નહીં પણ આપવા માટે લાવવામાં આવ્યો છે, તેમ છતાં તેઓ મેદાનમાં ઉતરી આવ્યા હતા. કારણ કે તેમનો ઉદ્દેશ્ય આવા ઘૂસણખોરોને બચાવવાનો હતો.

    સમયની જરૂરિયાત છે હવે NRC

    ભારત હિંદુ બાહુલ્ય દેશ છે અને સદીઓથી ઉદાર તથા સહિષ્ણુ રહ્યો છે. આ દેશે સદીઓથી બધાને શરણ આપ્યું છે. મજહબી આતંકનો ભોગ બનેલા પારસીઓથી લઈને કોમ્યુનિસ્નિટ ચીનના નિશાને આવેલા બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા સુધીના લોકો માટે ભારતે પોતાના દરવાજા હંમેશા ખુલ્લા રાખ્યા હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે દેશ એક ધર્મશાળા બની ગઈ છે અને કોઈપણ ઊઠીને ભારતમાં ગેરકાયદે ઘૂસી જઈ શકે છે. આ દેશ સહિષ્ણુ છે તો એનો અર્થ એ નથી કે દેશમાં ઘૂસી જઈને અરાજકતા અને આતંકવાદને પ્રોત્સાહન આપી શકાશે.

    અંતે દેશના નાગરિકોને પણ ધીરે-ધીરે આ બાબતો સમજાવવા માંડી છે. તેમને પણ ખ્યાલ આવવા લાગ્યો છે કે વાસ્તવમાં ઘૂસણખોરો અહીં આવીને શું કરી રહ્યા છે. ચાહે એ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય કે પછી પાકિસ્તાની. અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતા ઘૂસણખોરો બાંગ્લાદેશી આતંકી સંગઠનમાં જોડાઈને ભારતવિરોધી કાવતરા કરતા પકડાય છે, દેશના યુવાધનને ડ્રગ્સ અને ગુનાના રવાડે ચડાવે છે, અનેક ગુનાઓમાં સામેલ રહે છે અને તેવા લોકો માટે ભારતીય મુસ્લિમો સુરક્ષા કવચ ઊભું કરે છે.

    NRC એ હવે સમયની જરૂરિયાત છે. હવે ભારતે પણ ટ્રમ્પની નીતિ અપનાવવી પડશે. ભારતના મહાન રાજ્યશાસ્ત્રી આચાર્ય ચાણક્ય પહેલાં જ કહી ગયા છે કે બહારના શત્રુ કરતા ઘાતક છે દેશની ભીતર રહેલો શત્રુ. હવે સમય આવી ગયો છે કે ભારત પણ આવા શત્રુઓને શોધીને, ‘કાગઝ’ માંગીને તેમને દેશમાંથી લાત મારીને કાઢે. ભારતીય મુસ્લિમોએ પણ આવા આતંકી માનસિકતાના ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ બંધ કરવા પડશે. નહિતર સમય તેનું કામ કરશે અને કરી પણ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં