Thursday, April 2, 2026
More
    હોમપેજદેશનરેન્દ્રનાથ દત્તે શરૂ કર્યો હતો ધર્મયજ્ઞ, કેવી રીતે નરેન્દ્ર મોદીએ આગળ વધાર્યો

    નરેન્દ્રનાથ દત્તે શરૂ કર્યો હતો ધર્મયજ્ઞ, કેવી રીતે નરેન્દ્ર મોદીએ આગળ વધાર્યો

    ધર્મયજ્ઞ કોઈ એક વ્યક્તિ દ્વારા પૂર્ણ થતો નથી. તે પેઢીઓમાં ચાલતો રહે છે. નરેન્દ્રનાથ દત્તે જે અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો, તે તેમના જીવનકાળમાં પૂર્ણ ન થઈ શક્યો. નરેન્દ્ર મોદીએ તેને નવી પરિસ્થિતિઓ, નવી ભાષા અને નવા સાધનો સાથે આગળ વધાર્યો છે.

    - Advertisement -

    ભારતના ઇતિહાસમાં કેટલીક વ્યક્તિ એવી થઈ છે, જે પોતાના કાળખંડમાં ન માત્ર ભૂમિકા નિભાવે છે, પરંતુ એક અધૂરી પડેલી સભ્યતાગત યાત્રાને પણ આગળ વધારે છે. તે સત્તા કે સંન્યાસની સરહદોમાં બંધાયેલી નથી હોતી. તે સમયની આરપાર સંવાદ કરે છે. ઓગણીસમી સદીના ભારતમાં આ ભૂમિકા નિભાવી હતી નરેન્દ્રનાથ દત્તે, જેમને સંસાર સ્વામી વિવેકાનંદના નામથી ઓળખે છે. એકવીસમી સદીમાં તે જ ચેતનાને આગળ વધારવાનું કાર્ય, એક ભિન્ન માધ્યમ અને ભિન્ન પરિસ્થિતિઓમાં નરેન્દ્ર મોદીએ કર્યું છે. 

    આ લેખ કોઈ વ્યક્તિને મહિમામંડિત કરવાનો પ્રયાસ નથી, ન તો આ સંત અને સન્યાસી શાસકની તુલના છે. આ તે ધર્મયજ્ઞની કથા છે, જે ત્યારે શરૂ થયો જ્યારે ભારત માનસિક રીતે પરાજિત હતું અને જેને ત્યારે આગળ વધારવામાં આવ્યો જ્યારે ભારત રાજકીય રીતે સ્વતંત્ર થઈને પણ વૈચારિક રીતે સંકોચમાં જીવી રહ્યું હતું. આ તે ધર્મયજ્ઞની કથા છે, જેને એક સંતે શરૂ કર્યો અને જેને એક સન્યાસી શાસકે આગળ વધાર્યો. બંનેના માર્ગ અલગ હતા, પરંતુ ઉદ્દેશ્ય એક જ હતો, ભારતને તેની સનાતન આત્મા, તેનો આત્મવિશ્વાસ અને તેની હિંદુ સભ્યતાગત સ્મૃતિ પરત આપવી. 

    નરેન્દ્રનાથ દત્તનું ભારત: આત્મહીનતાના અંધકારમાં પ્રજ્વલિત દીવો

    નરેન્દ્રનાથ દત્ત એવા સમયે ઊભા રહ્યા જ્યારે ભારત માત્ર રાજકીય રીતે જ નહીં, માનસિક રીતે પણ પરાજિત હતું. સંસ્થાનવાદી શાસને ભારતીય સમાજને એવું માનતો કરી દીધો હતો કે તેની પરંપરાઓ પછાત છે, તેનો ધર્મ અંધવિશ્વાસ છે અને તેનું અસ્તિત્વ પશ્ચિમની દયા પર ટકેલું છે. હિંદુ સમાજ અંદરથી અપરાધભાવ, હીનતા અને અસહાયતાથી પીડાતો હતો.

    - Advertisement -

    આવા સમયે વિવેકાનંદનું પ્રગટ થવું માત્ર એક સંતનો ઉદય નહોતો, પરંતુ એક વૈચારિક ક્રાંતિ હતી. તેમણે હિંદુ ધર્મને આત્મરક્ષાની મુદ્રામાંથી બહાર કાઢીને આત્મવિશ્વાસની મુદ્રામાં ઊભો કર્યો. તેમનો ધર્મયજ્ઞ પૂજા-પાઠ સુધી મર્યાદિત નહોતો. તે એક બૌદ્ધિક અને સભ્યતાગત પ્રતિરોધ હતો.

    જ્યારે તેમણે પશ્ચિમમાં ઊભા રહીને ભારતનો પરિચય આપ્યો, ત્યારે તે કોઈ પરાજિત સભ્યતાનો પરિચય નહોતો. તે એવી સંસ્કૃતિનો ઉદ્ઘોષ હતો જે દુનિયાને આપવા આવી હતી, નહીં કે તેની પાસેથી માંગવા. તેમણે ભારતને કહ્યું કે તેની સૌથી મોટી સમસ્યા ગરીબી નથી, નબળાઈ છે. અને નબળાઈ કોઈ આધ્યાત્મિક ગુણ નથી. આ વાત તે સમયે પણ પ્રાસંગિક હતી અને આજે પણ છે. 

    વિવેકાનંદનો અધૂરો યજ્ઞ

    વિવેકાનંદે ચેતના જગાડી પરંતુ તેમના હાથમાં સત્તા નહોતી. તેઓ સમાજને ઉત્સાહિત કરી શકતા હતા, દિશા બતાવી શકતા હતા, પરંતુ સંરચના બનાવી શકતા નહોતા. બ્રિટિશ શાસનની મર્યાદાઓ હતી અને પછીના દાયકાઓમાં, એટલે કે સ્વતંત્રતા બાદ એક નવું બૌદ્ધિક પ્રભુત્વ ઉભર્યું, જેણે વિવેકાનંદને સ્વીકાર તો કર્યા પરંતુ એક સંપાદિત સ્વરૂપમાં.

    સ્વતંત્રતા પછી ભારતને રાજકીય સ્વાધીનતા મળી, પરંતુ બૌદ્ધિક અને સાંસ્કૃતિક નેતૃત્વ એવા વર્ગના હાથમાં ચાલ્યું ગયું જે રાષ્ટ્રવાદને શંકાની નજરે જોતો હતો અને પરંપરાને બોજ માનતો હતો. વિવેકાનંદને સ્વીકારવામાં આવ્યા, પરંતુ એક સુરક્ષિત આઇકન તરીકે. તેમનાં ચિત્રો લગાવવામાં આવ્યાં, તેમનો જન્મદિવસ મનાવવામાં આવ્યો, પરંતુ તેમના વૈચારિક પ્રવાહને કુંઠિત કરી દેવામાં આવ્યો.

    ભારતના જાહેર જીવનમાંથી ધર્મ અને સભ્યતાને લગભગ નિર્વાસિત કરી દેવામાં આવ્યાં. આસ્થાને વ્યક્તિગત બાબત કહીને રાષ્ટ્રીય વિમર્શમાંથી બહાર રાખવામાં આવી. આ તે જ સમય હતો જ્યારે વિવેકાનંદનો ધર્મયજ્ઞ જીવંત તો રહ્યો, પરંતુ ધુમાડામાં ઘેરાયેલો રહ્યો.

    તેમના તીખા રાષ્ટ્રવાદી વિચારો, વિદેશી મજહબી આક્રમકતા પરની ટિપ્પણીઓ, તેમનું હિંદુ આત્મગૌરવનું અભિયાન, બધાને ધીમે-ધીમે કિનારે કરી દેવામાં આવ્યાં. વિવેકાનંદને એક સુરક્ષિત, સાર્વભૌમિક, આધ્યાત્મિક આઇકન બનાવી દેવામાં આવ્યા. પોસ્ટરોમાં તેઓ હસતા રહ્યા, ભાષણોમાં ઉદ્ધૃત થતા રહ્યા, પરંતુ નીતિ અને રાષ્ટ્ર-ચિંતનથી તેમને અલગ કરી દેવામાં આવ્યા. ધર્મયજ્ઞ શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ તે સંસ્થાગત ન થઈ શક્યો. 

    એકવીસમી સદીનું ભારત અને નરેન્દ્ર મોદી

    જ્યારે નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણના કેન્દ્રમાં ઉભર્યા ત્યારે ભારત સંસ્થાનવાદના શાસનમાંથી મુક્ત થયાને દાયકાઓ વીતી ચૂક્યા હતા, પરંતુ માનસિક ગુલામી સંપૂર્ણપણે સમાપ્ત થઈ નહોતી. રાષ્ટ્ર હજુ પણ પોતાનાં પ્રતીકો, પરંપરાઓ અને આસ્થાને જાહેર જીવનમાં વ્યક્ત કરવાથી સંકોચ કરતું હતું. ભારતના પ્રાણ, મૂળ અને ધરોહર એવા સનાતન ધર્મને સભ્યતાગત વિમર્શમાંથી બહાર રાખવામાં આવ્યો હતો અને તે પણ સત્તાના શિખર પર રહેલા લોકો દ્વારા.

    એ કહેવું અતિશયોક્તિ નથી કે નરેન્દ્ર મોદીનો ઉદય કોઈ રાજકીય ઘટના નહોતી. તે એ દબાવી દેવાયેલી ચેતનાનું પુનઃપ્રગટ થવું હતું, જેને દાયકાઓ સુધી વ્યક્ત કરવાથી રોકવામાં આવી હતી. મોદી કોઈ મઠ કે બૌદ્ધિક આશ્રમમાંથી આવ્યા નથી. તેઓ લોકતંત્રની કઠોર કસોટીમાંથી પસાર થઈને આવેલા નેતા છે. પરંતુ તેમનાં રાજકારણનો સ્ત્રોત સત્તા નહીં, સભ્યતા છે. તેમણે તે ચેતનાને ઓળખી જેને વિવેકાનંદે જગાડી હતી અને જેને દાયકાઓ સુધી દબાવી રાખવામાં આવી હતી.

    મોદીએ પ્રવચનો નથી આપ્યા, તેમણે પ્રતીકો ઘડ્યાં છે. તેમણે આસ્થાને છુપાવી નથી, પરંતુ તેને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી છે. યોગને ભારતની સાંસ્કૃતિક વિરાસત તરીકે વિશ્વમંચ પર સ્થાપિત કરવો, કાશી અને કેદારનાથ જેવા તીર્થોને રાષ્ટ્રીય ચેતના સાથે જોડવા, ભારતને વૈશ્વિક મંચ પર પ્રાચીન પરંતુ જીવંત સભ્યતા તરીકે રજૂ કરવો, રામ મંદિર, સોમનાથનું આત્મગૌરવ પરત લાવવું, આ બધું ધાર્મિક કટ્ટરતાનું નહીં, પરંતુ સભ્યતાગત આત્મબોધનો સંકેત હતું.

    વિવેકાનંદની ભાષા આધ્યાત્મિક હતી, મોદીની ભાષા રાજકીય છે. પરંતુ સંદેશ એક જ છે—ભારતને પોતાના પર ગર્વ થવો જોઈએ, ભારતને પોતાની સનાતન હિંદુ સભ્યતાનું આત્મગૌરવ હોવું જોઈએ.

    વિવેકાનંદે કહ્યું હતું કે પહેલાં શક્તિ જોઈએ, પછી કરુણા. આ કથન માત્ર આધ્યાત્મિક નહોતું, તે રાષ્ટ્ર માટે પણ હતું. મોદીના શાસનમાં આ વિચાર વિકાસ અને આત્મસન્માનનાં સમન્વય તરીકે દેખાય છે. ભારતને ન તો આક્રમક બનાવવામાં આવ્યું છે, ન આત્મહીન. તેને આત્મવિશ્વાસી બનાવવામાં આવ્યું છે.

    બંનેએ ભારતને દુનિયાની સામે માફી માંગતી સભ્યતા તરીકે રજૂ નથી કર્યું. બંનેએ તેને યોગદાન આપનારી, દિશા દેખાડનારી સંસ્કૃતિ તરીકે રાખ્યું છે. આ જ કારણ છે કે બંને પોતાના-પોતાના સમયની પ્રભુત્વશાળી ઇકોસિસ્ટમને અસ્વસ્થ કરે છે. વિવેકાનંદને તેમના જીવનકાળમાં પણ ‘જોખમી’ ગણવામાં આવ્યા હતા. મોદીને આજે પણ તે જ કારણે ખલનાયક બનાવવાના પ્રયાસો થાય છે. કારણ કે બંને ભારતને તેની સ્મૃતિ પરત આપવાની વાત કરે છે. 

    ધર્મયજ્ઞની નિરંતરતા

    ધર્મયજ્ઞ કોઈ એક વ્યક્તિ દ્વારા પૂર્ણ થતો નથી. તે પેઢીઓમાં ચાલતો રહે છે. નરેન્દ્રનાથ દત્તે જે અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો, તે તેમના જીવનકાળમાં પૂર્ણ ન થઈ શક્યો. નરેન્દ્ર મોદીએ તેને નવી પરિસ્થિતિઓ, નવી ભાષા અને નવાં સાધનો સાથે આગળ વધાર્યો છે.

    એકે ભારતને ઊભું થતાં શીખવ્યું, બીજાએ તેને આત્મવિશ્વાસથી ચાલતા શીખવ્યું. એકે ચેતના જગાડી, બીજાએ તેને નીતિ અને પ્રતીકમાં ઢાળ્યું. આ જ કારણ છે કે આ તુલના ભાવનાત્મક નથી, વૈચારિક છે. આ માત્ર બે નામોની કથા નથી, એક સભ્યતાની યાત્રા છે અને આ યાત્રા હજુ પૂર્ણ નથી થઈ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં