Friday, May 9, 2025
More
    હોમપેજદેશપાકિસ્તાન પરસ્તોને વધુ એક ઝટકો? વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ 'The Wire' થયું પ્રતિબંધિત!:...

    પાકિસ્તાન પરસ્તોને વધુ એક ઝટકો? વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘The Wire’ થયું પ્રતિબંધિત!: સંસ્થાનો દાવો- ભારત સરકારે બ્લોક કર્યું તેનું પ્લેટફોર્મ

    'ધ વાયરે' આરોપ લગાવ્યો હતો કે, સરકારે તેનું પ્લેટફોર્મ બ્લોક કરી દીધું છે. પરંતુ, ઘણા યૂઝર્સોએ કહ્યું છે કે, તેની વેબસાઇટ હાલ પણ Accessible છે. આ 'ધ વાયર'ની જૂની રણનીતિ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે પોતાને પીડિત તરીકે દર્શાવીને સરકાર પર દબાણ લાવે છે અને નીતિઓ બદલવાનો પ્રયાસ કરે છે.

    - Advertisement -

    પાકિસ્તાને ભારતની પશ્ચિમ સરહદ પર સ્થિત શહેરો પર સુનિયોજિત અને સચોટ હવાઈ હુમલો કર્યો હતો. જોકે, સુરક્ષાદળોએ પાકિસ્તાનના તમામ હુમલાઓ નિષ્ફળ કરી નાખ્યા હતા. હુમલાના એક દિવસ પછી ડાબેરી મેગેઝિન ‘ધ વાયરે’ (The Wire) દાવો કર્યો કે, ભારત સરકારે દેશભરમાં તેના પ્લેટફોર્મની પહોંચને બ્લોક (Block) કરી દીધી છે.

    ‘ધ વાયરે’ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત સરકારે બંધારણમાં આપવામાં આવેલી પ્રેસની સ્વતંત્રતાની ગેરંટીનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને સમગ્ર ભારતમાં thewire.inને બ્લોક કરી દીધું છે. ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ કહે છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના આદેશ હેઠળ IT એક્ટ, 2000ના આધારે ‘ધ વાયરને’ બ્લોક કરવામાં આવ્યું છે.

    જોકે, ‘ધ વાયરે’ આરોપ લગાવ્યો હતો કે, સરકારે તેનું પ્લેટફોર્મ બ્લોક કરી દીધું છે. પરંતુ, ઘણા યૂઝર્સોએ કહ્યું છે કે, તેની વેબસાઇટ હાલ પણ Accessible છે. આ ‘ધ વાયર’ની જૂની રણનીતિ હોવાનું માનવામાં આવે છે, જેમાં તે પોતાને પીડિત તરીકે દર્શાવીને સરકાર પર દબાણ લાવે છે અને નીતિઓ બદલવાનો પ્રયાસ કરે છે.

    - Advertisement -

    ‘ઑપઇન્ડિયા’એ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ‘ધ વાયર’ વેબસાઇટ ભારતમાં હાલ પણ ખૂલી રહી છે, જે નીચે જોઈ શકાય છે.

    ‘ધ વાયર’ની વેબસાઇટ

    કદાચ ‘ધ વાયરે’ સરકારના તે નિર્દેશનો અહેસાસ થઈ ગયો, જેમાં એક દિવસ પહેલાં પાકિસ્તાનથી આવનારા કન્ટેન્ટને સ્ટ્રીમ કરવા પર રોક લગાવવામાં આવી હતી. ‘ધ વાયરે’ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “અમે આ ખુલ્લી સેન્સરશિપની નિંદા કરીએ છીએ, ખાસ કરીને આવા મહત્વપૂર્ણ સમયે જ્યારે સાચા, નિષ્પક્ષ અને તર્કસંગત સમાચાર અને માહિતી ભારતની સૌથી મોટી તાકાત છે.”

    જોકે, ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે તેઓ ‘ધ વાયર’ની વેબસાઇટ ખોલી શક્યા નથી. ધ વાયરે કહ્યું કે, તે આ પગલાને પડકારશે, પરંતુ કેવી રીતે અને ક્યારે તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી શકી નથી. નોંધનીય છે કે, સરકારે પાકિસ્તાની અને દેશવિરોધી નેરેટિવ સેટ કરતા સોશિયલ મીડિયા હેન્ડલો સામે પણ કાર્યવાહી શરૂ કરી હતી.

    ભારતે પાકિસ્તાની કન્ટેન્ટ પર લગાવી રોક

    નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા ભારતમાં ચાલતા તમામ OTT અને મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પાકિસ્તાનમાં બનેલા તમામ કન્ટેન્ટ – વેબ સિરીઝ, ફિલ્મો, પોડકાસ્ટ અને ગીતો – પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ 8 મે, 2025થી અમલમાં આવ્યો છે. મંત્રાલયે તેને ‘રાષ્ટ્રીય સુરક્ષા’ના હિતમાં લેવામાં આવેલ પગલું ગણાવ્યું છે.

    22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંને સરકારની ઝીરો-ટોલરન્સની નીતિના સંકેત તરીકે ગણવામાં આવી રહ્યું છે. આ આદેશ એ જ દિવસે આવ્યો જ્યારે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ થવાની હતી.

    માત્ર આ એક જ પગલું નથી. થોડા દિવસો પહેલાં જ ભારત સરકારે પાકિસ્તાની ડિજિટલ હાજરી પર પોતાની પકડ કડક કરી હતી. લગભગ 16 યુટ્યુબ ચેનલો, ઘણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ખાસ કરીને હાનિયા આમિર અને માહિરા ખાન જેવી સેલિબ્રિટીઓના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત પાકિસ્તાની કલાકારો સાથે કોઈપણ સહયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં