Friday, May 3, 2024
More
    હોમપેજદેશહલ્દ્વાનીના મુસ્લિમ ટોળાને TheWireએ આપી ક્લીન ચીટ: પેનલમાં કહ્યું- મઝહબ માટે પથ્થરમારો...

    હલ્દ્વાનીના મુસ્લિમ ટોળાને TheWireએ આપી ક્લીન ચીટ: પેનલમાં કહ્યું- મઝહબ માટે પથ્થરમારો કરવાથી આતંકવાદી નથી બની જતા

    વામપંથી સિદ્ધાર્થ વરદરાજન દ્વારા સંચાલિત પ્રોપેગેન્ડા વેબસાઈટ 'ધ વાયર'એ આ હિંસા અંગે પ્રોપેગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હંમેશા ઈસ્લામને પાક-સાફ ચિતરવામાં જોતરાયેલા રહેતી આરફા ખાનમ શેરવાનીએ હલ્દ્વાની હિંસા પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું.

    - Advertisement -

    કોર્ટના આદેશ પર ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં અતિક્રમણ હટાવવાનું કામ શરૂ થયું હતું. આ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ પોલીસ દળ અને નિગમ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 300થી વધુ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે. કટ્ટરપંથીઓએ પોલીસ પર ખાલી પથ્થરમારો જ નહોતો કર્યો, તેમણે પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા અને વાહનોને ભડકે બાળ્યા હતા. આ આખી ઘટના બાદ હવે પોલીસે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે હલ્દ્વાનીમાં પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકનાર કટ્ટરવાદી TheWireની નજરે નિર્દોષ છે.

    વામપંથી સિદ્ધાર્થ વરદરાજન દ્વારા સંચાલિત પ્રોપેગેન્ડા વેબસાઈટ ‘ધ વાયર’એ આ હિંસા અંગે પ્રોપેગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હંમેશા ઈસ્લામને પાક-સાફ ચિતરવામાં જોતરાયેલા રહેતી આરફા ખાનમ શેરવાનીએ હલ્દ્વાની હિંસા પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું.

    આ પેનલ ડિસ્કશનમાં સરકારી જમીન પર અતિક્રમણ કરનારા અને પછી તેને હટાવવા ગયેલી પોલીસ પર હુમલો કરનારા કટ્ટરવાદી મુસ્લિમોની નિર્દોષતા સાબિત કરવા માટે અનેક તર્ક-વિતર્ક રજૂ કરવામાં આવ્યા હતા. પેનલ ડિસ્કશનમાં અરફા ખાનમ શેરવાની ઉપરાંત પત્રકાર ત્રિલોચન ભટ્ટ, પત્રકાર ઉમાકાંત લાખેરા અને વાયરના અન્ય સંપાદક યાકુત અલી શામેલ હતા.

    - Advertisement -

    અરફાએ પોતાના જેવી જ અન્ય એક પ્રોપેગેન્ડા વેબસાઈટ સ્ક્રોલના સમાચારનો હવાલો આપતા કહ્યું કે પોલીસ-પ્રશાસન કોર્ટના આદેશ વગર મસ્જિદ અને મદરેસાને તોડવા માટે પહોંચી ગયા હતા. તેમનું કહેવું છે કે રાજ્ય આ સાંપ્રદાયિક આધાર પર પોતાની રાજનીતિ કરવા માંગે છે. કોમી ઉન્માદ ફેલાવવાનો નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    ધ વાયરના કર્મચારી યાકુત અલી હલ્દ્વાનીના સ્થાનિક લોકોને ટાંકીને કહે છે કે લોકોનું કહેવું હતું કે જો પોલીસ પ્રશાસન ઇચ્છે તો સ્થાનિક મુસ્લિમો સાથે વાત કરીને તેઓ આ મામલાનો ઉકેલ લાવી શક્યા હોત, પરંતુ સીધા બુલડોઝર સાથે આવીને ખૂબ જ ખરાબ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યાં મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ તમામ સંવાદ વિડીયોની પહેલી 10 મિનિટમાં સાંભળી શકાય છે.

    જોકે, પોલીસે શા માટે ટોળા પર લાઠીઓ વરસાવી તે અંગે યાકુતઅલી અને અરફાએ કોઇ માહિતી નહોતી આપી. તેઓ એકતરફી નેરેટિવ રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં જ્યારે પોલીસ પ્રશાસન એક ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા માટે પહોંચ્યું ત્યારે મહિલાઓ અને સગીર છોકરાઓએ આગળ આવીને પોલીસ સામે વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ કારણે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

    સાથે જ પથ્થરબાજોની તરફેણમાં વાત કરતા પેનલિસ્ટ ત્રિલોચન ભટ્ટનું કહેવું છે કે, એનએસએ હેઠળ તેમની (મુસ્લિમો) વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૌથી મોટી વાત તે છે. માની લઈએ કે તેમણે પથ્થરમારો કર્યો હતો, પરંતુ ધાર્મિક સ્થળને બચાવવા માટે ધાર્મિક ભાવનાઓ હેઠળ (પથ્થરમારો) કરી દીધો હશે. તો શું તમે તેમના પર એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) થોપશો? તેઓ આતંકવાદી થોડા છે. તેમને સીધા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિડીયોમાં આ નિવેદન 13મી મિનિટથી 13:22 સુધી સાંભળી શકાય છે.

    પત્રકાર લાખેરાનું કહેવું છે કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી છે અને તેમના વિના આ ઘટના બને જ નહીં. તેઓએ સ્થાનિક પોલીસ વહીવટને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી હતી. લાખેરાનું કહેવું છે કે, અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરનાર મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમનું કહેવું છે કે સરકાર લઘુમતીઓને નિશાન બનાવવાનો માહોલ બનાવી રહી છે.

    લાખેરા પોતે પોતાના નિવેદનમાં સાબિત કરે છે કે જ્યાં મુસ્લિમો મોટી સંખ્યામાં હોય છે, તે જગ્યા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ બની જાય છે. તે કહે છે કે, “શું ત્યાં કોઈ હાઈવે બનાવવામાં આવી રહ્યો હતો? સાંકડી એવી શેરી છે. તેમાં બુલડોઝર લઈને જવું અને લોકોને ઉશ્કેરવા અને વાતાવરણ બગાડવા માટે, તેઓએ એક એવો વિસ્તાર પસંદ કર્યો જે પહેલાથી જ સંવેદનશીલ હોય. ત્યાં માઈનોરીટી રહે છે.” (આને 19 મી મિનિટથી 19.27 સુધી સાંભળી શકાય છે.)

    મુસ્લિમોને નિર્દોષ સાબિત કરતા આરફા કહે છે કે, “સૌથી મોટી વાત એ છે કે તમે જેની પાસે અપીલ કરી રહ્યા છો, જો એ જ એક પાર્ટી હોય તો તેમના દ્વારા જ આખું કાવતરું રચવામાં આવે તો આખરે એક સામાન્ય નાગરિક, એક નિર્દોષ મુસ્લિમ જાય તો જાય ક્યા?” આરફાએ ધર્માંતરણ વિરોધ કાયદા પર પણ હતાશા જતાવી હતી.

    ભટ્ટ વધુમાં કહે છે કે, “પહાડી વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઓછી છે, તેથી તેમની નાની-નાની મજારો રસ્તાની બાજુમાં જોવા મળી જાય છે. તેમનું કહેવું છે કે તે મજારો પણ હિંદુઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે અને તેઓ તેનું નિર્માણ શા માટે કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે પહાડોમાં આરોગ્યની કોઈ સુવિધા નથી હોતી. ત્યાંના લોકો ઉપરની શક્તિમાં વિશ્વાસ રાખે છે. જો કોઈ બીમારી થાય, તો તેઓ કહે છે કે તમને સૈયદ લાગી ગયો છે. સૈયદ લાગી જાય તો નાની-નાની મજારો બનાવી દેવામાં આવે છે.” (24:50 મિનિટથી 25:50 મિનિટ સુધી)

    હલ્દ્વાનીમાં પોલીસ પર પથ્થર અને પેટ્રોલ બોમ્બ ફેંકનાર કટ્ટરવાદી TheWireની નજરે નિર્દોષ છે. વાયરની આ સમગ્ર પેનલ ડિસ્કશનમાં એન્કરથી લઇને પેનલમાં બેઠેલા તમામ લોકોએ ત્યાંના મુસ્લિમોને માસુમ સાબિત કર્યા હતા. આ સાથે જ આ હુમલાનો તમામ દોષનો ટોપલો પ્રશાસન અને રાજ્ય સરકાર પર ઢોળી દેવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન લોકોનું કહેવું છે કે, ચૂંટણીને લઈને મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં