Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતપ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલ ઉપરાંત અનેક લોક ઉપયોગી પરિયોજનાઓનું...

    પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલ ઉપરાંત અનેક લોક ઉપયોગી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરીને ખેડૂતોને ટપક સિંચાઈ તેમજ મધમાખી ઉછેર જેવા વિકલ્પો પસંદ કરીને ખેતીમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન કર્યું હતું.

    - Advertisement -

    બનાસ ડેરી ખાતેના નવા સંકુલના ઉદઘાટન સાથે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ, ચીઝ-વેય પ્રોસેસિંગ પ્લાન્ટ, 4 બનાસ બાયોગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન તથા બનાસડેરીના હમણાં સુંધીના વિકાસને દર્શાવતી કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું.

    પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં કો-ઓપરેટિવ ચળવળથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પ્રધાનમંત્રી મોદીએ બનાસડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, “હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું.”

    બનાસકાંઠાએ બટાટાના મબલખ ઉત્પાદન દ્વારા ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    - Advertisement -

    પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી, વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી. આ અવસર પર પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી ખેડૂતોનું નસીબ બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે.

    બનાસ ડેરી દ્વારા મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લોકલ પ્રોડક્ટને વૈશ્વિક બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહ્યું કે, મગફળી અને રાઈમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભર થશે.

    નહિવત વરસાદ અને સૂકી જમીન વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા ખેડૂતો બનાસકાંઠામાં જોવા મળે છે.

    બનાસડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે, પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યુ કે, બનાસકાંઠાના લોકો જેને સમજી-સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે.

    આ બનાસડેરીએ ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે.

    પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ 75 તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ-જનકલ્યાણ માટેના અનેક માર્ગ હોય છે. સીમાદર્શન, રણોત્સવ, જેવા પ્રકલ્પોથી ટુરિઝમ ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે, ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની આધુનિક સુવિધાઓ અને તેનાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

    નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂપિયા 600 કરોડના ખર્ચે નવનિર્મિત ડેરી સંકુલ અને બટાટા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ નવું તૈયાર કરવા આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં