19 જૂનના રોજ ગુજરાતની વિસાવદર (Visavadar) અને કડી (Kadi) વિધાનસભા બેઠક (Assembly seats) પર પેટાચૂંટણી (By-Election) યોજવામાં આવી હતી. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સાંજ સુધી ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલી હતી. પરંતુ ત્યારબાદ સ્થિતિ ભાળી જતાં આમ આદમી પાર્ટીના (AAP) ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) ચૂંટણી પંચ (ECI) પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. ઇટાલિયા બાદ તરત જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ રાડારાડ કરવા લાગ્યા હતા અને ચૂંટણી પંચ પર ઠીકરા ફોડવા લાગ્યા હતા.
AAPના ગોપાલ ઇટાલિયા સાંજે 5 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે સ્ક્રીન રેકોર્ડીંગ શેર કર્યું હતું. સ્ક્રીન રેકોર્ડીંગ પર લખવામાં આવ્યું હતું કે, વિસાવદર પેટાચૂંટણીમાં ગેરરીતિની આશંકા છે. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કેટલાક સમય પહેલાં સુધી જે CCTV કેમેરા ઓનલાઈન હતા, તે અચાનક બંધ થઈ ગયા છે અને તેની લિંક પણ નથી ખૂલી રહી. ઇટાલિયાએ સ્ક્રીન રેકોર્ડીંગમાં એક લિંક મૂકી છે, જે ખૂલતી દેખાઈ શકતી નથી.
पिछले एक घंटे से विसावदर में पोलिंग बूथ से CCTV का लाइव footage इलेक्शन कमीशन ने बंद कर दी है। लाइव स्ट्रीमिंग बंद होने के बाद बाघणीया बूथ पर भाजपा के कार्यकर्ता को फर्जी वोट डालने नहीं देने पर प्रिसाइडिंग और पुलिस को मारा गया है।
— Gopal Italia (@Gopal_Italia) June 19, 2025
क्या बीजेपी के फायदे के लिए ये नया खेल रचा है… pic.twitter.com/Gx4uNZncwZ
તે સિવાય ઇટાલિયાએ કેપ્શનમાં આરોપ લગાવતા લખ્યું છે કે, “છેલ્લા એક કલાકથી વિસાવદરમાં પોલિંગ બુથમાંથી CCTVનું લાઈવ ફૂટેજ ચૂંટણી પંચે બંધ કરી દીધું છે.” ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા બાદ તેમણે ભાજપ પર પણ આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, લાઈવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ બાધણીયા બુથ પર ભાજપના કાર્યકર્તાઓએ ખોટા મત નાખવા નહીં દેવાને લઈને પ્રિસાઇડિંગ અને પોલીસને માર માર્યો છે. અંતે તેમણે ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
दिनदहाड़े ये क्या हो रहा है? क्या बड़े स्तर पर बूथों पर क़ब्ज़ा करने की तैयारी है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2025
मैं उम्मीद करता हूँ कि केंद्रीय चुनाव आयोग तुरंत एक्शन लेगा। https://t.co/YuByQ0ROGv
જાણે રાહ જોઈને જ બેઠા હોય એમ ઇટાલિયાની પોસ્ટની માત્ર ચાર જ મિનિટમાં અરવિંદ કેજરીવાલ પણ આ મામલે કૂદી પડ્યા હતા અને આગળ-પાછળની જાણકારી વગર સીધા ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપો લગાવવા માંડ્યા હતા. તેમણે ઇટાલિયાની પોસ્ટને રિપોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, “ધોળા દિવસે આ બધુ શું થઈ રહ્યું છે? શું મોટા સ્તરે બુથો પર કબજો કરવાની તૈયારી છે? હું આશા કરું છું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરત એક્શન લેશે.”
ચૂંટણી પંચે ખોલી નાખી પોલ
ગોપાલ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલની પોસ્ટ બાદ AAP સમર્થકોએ આખું સોશિયલ મીડિયા બાનમાં લીધું હતું અને ભાજપ તથા ચૂંટણી પંચ પર આરોપો લગાવવાના શરૂ કરી દીધા હતા. ભારે રાડારાડી બાદ ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. ચૂંટણી પંચે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ પર ટિપ્પણી કરીને કહેવું પડ્યું હતું કે, તમામ મતદાન મથકો પર વ્યવસ્થિત અને સુચારું રીતે સીસીટીવીનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે.
All the CC TVs are working properly in both ACs of Gujarat. It is being monitored continuously at RO, DEO, CEO and ECI levels. As per the instructions of ECI, the footage can not be shared with any private person. The link shown here is not genuine.
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) June 19, 2025
ચૂંટણી પંચે વધુમાં એવું પણ કહ્યું હતું કે, ગુજરાતની બંને બેઠકો પર સીસીટીવ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. RO, DEO, CEO અને ECR સ્તર પર તેનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. વધુમાં તેમણે ઇટાલિયાની પોલ ખોલતા કહ્યું કે, ICIના નિર્દેશો અનુસાર, ફૂટેજને કોઈપણ ખાનગી વ્યક્તિ સાથે શેર કરી શકાય નહીં. અહીં દર્શાવવામાં આવેલી લિંક પણ અસલી નથી. જોકે, આ સ્પષ્ટતા બાદ ઇટાલિયા કે કેજરીવાલ તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી.