Thursday, September 19, 2024
More
    Home Blog Page 1110

    ગુજરાતનાં તાપી જિલ્લાના ખ્રિસ્તીઓ દ્વારા થતાં ધર્મ પરીવર્તનનો ચોંકાવનારો કિસ્સો, એક જ પરિવારના 5 સભ્યોની ધરપકડ

    વ્યારાના અંબિકાનગરમાં રહેતા એક જ પરિવારના બે ખ્રિસ્તી ભાઈઓ દ્વારા બે હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પોતાના ઘરે લઈ જઇ એક રાત ગોંધી રાખીને ધર્મ પરીવર્તન વિધિ કરવામાં આવી હતી. યુવતીના પરિવાર દ્વારા આ બંને યુવકો અને તેમના પરિવારના અન્ય 3 સભ્યો સહિત 5 સામે વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે રાતે જ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

    યુવતીના પરિવાર દ્વારા કરાયેલ ફરિયાદમાં જે પાંચ આરોપીઓના નામ અપાયા છે એ આ મુજબ છે.

      • યોહાન રાકેશભાઈ વસાવા
      • રાકેશભાઈ કાથુડિયાભાઈ વસાવા
      • રેખાબેન રાકેશભાઈ વસાવા
      • રસીન રાકેશભાઈ વસાવા
      • યાકુબ રાકેશભાઈ વસાવા

    વ્યારા પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓની આઇપીસી કલમ 342, 417, 120 (બી) તથા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ 4 હેઠળ ધરપકડ કરાઇ હતી.

    ફરિયાદી યુવતીએ FIR માં ઘણા સ્ફોટક ખુલાસાઓ કર્યા હતા.

    પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યુ હતું કે 20 તારીખે સવારે યોહાને ફોન કરીને પોતાના ઘરે બોલાવતા કહ્યું કે એના પપ્પા (રાકેશ વસાવા) તેણીને મળવા માંગે છે. યુવતી પોતાના ઘરેથી મિત્રના ઘરે જવાનું કારણ બતાવીને યોહાનના ઘરે પહોચી હતી. યુવતી યોહાનના ઘરે ગયેલી ત્યારે ત્યાં યોહાન તથા યોહાનના પપ્પા રાકેશભાઇ કાથુડીયાભાઇ ગામીત તથા યોહાનની મમ્મી રેખાબેન રાકેશ ભાઈ ગામીત તથા યોહાનના બે ભાઇઓ રસીન રાકેશભાઇ ગામીત તથા યાકુબ રાકેશભાઇ ગામીત હાજર હતા.

    યુવતીએ નોંધાવેલ FIR માં મોટા ખુલાસાઓ

    યુવતી ઘરના દરવાજા પાસે પહોંચી એટલે યોહાનના પપ્પાએ તેણીના હાથમાં બાંધેલ હિન્દુ ધર્મના દોરા કાપી નાખ્યા હતા, અને તેના માથામાં તથા કપાળ ઉપર તથા પગમાં તેલ લગાવી અને ઓઢણીથી તેના વાળ બંધાવી દીધેલ હતા. ત્યારબાદ તેને ઘરમાં લઇ જઇ યોહાનના પપ્પાએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેવા કહેતા યોહાને તેનો મોબાઇલ લઇ લીધો હતો અને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ દરમિયાન યોહાનના ભાઈ રસિનની પ્રેમિકા પણ ત્યાં આવી પહોચી જેની સાથે પણ આ જ પ્રમાણેની વિધિ કરાઇ હતી.

    બાદમાં યોહાનના પપ્પાએ બંને હિન્દુ યુવતીઓને કહ્યું કે ‘તમે અશુધ્ધ છો તમને શુધ્ધ કરવા માટે અહીં બોલાવ્યા છે.’ તેવુ કહેતા તે રડવા લાગેલી અને પોતાના ઘરે જવા માટે વિનંતી કરવા લાગી હતી. પરંતુ યોહાનના પપ્પાએ મને કહેલ કે “હવે તમારાથી ઘરની બહાર નહીં જવાય, તમારે ચાર દિવસ અહી રહેવાનું છે. ઇસુએ મારા ખાતામાં એક લાખ તથા યોહાનની મમ્મીના ખાતામાં એક લાખ રૂપિયા નાખેલા છે, જેથી હવે બધાના મોબાઇલ તથા જુની ફોરવ્હીલ ગાડી કાઢી નવી ફોરવ્હીલ તથા મોબાઇલ લઈ લેવાના છે.” પછી મીણબત્તી સળગાવીને એની સામે વિધિ કરતાં કરતાં એ જે બોલતા જતાં એ અમારી પાસે પણ બોલાવતા હતા.

    આખી રાત આવી અનેક વિધિ ચાલ્યા બાદ જ્યારે બીજા દિવસે સવારે 8 વાગ્યા આસપાસ યુવતીએ છુપાઈને પોતાનો મોબાઈલ મેળવ્યો તો તેણીએ કોલ કરીને પોતાના ઘરે વાત કરી. યોહાનની મમ્મી આ જોઈ જતાં એને યુવતીની મમ્મીને ફોસલાવવાનો પ્રયાસ પણ કર્યો. છેવટે યુવતીના પરિવારવાળા યોહાનના ઘરે આવીને યુવતીને છોડાવીને લઈ ગયા અને વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ જિલ્લા એસપી અને ડીવાયએસપીને થતાં બંને ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

    હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે કે એમણે આ પ્રકારની ઘટનાઓ સાથે ક્યારના જોડાયા છે તથા આ પહેલા પણ શું આ રીતના કોઈ કાંડ કર્યા છે કે નહીં. અહી એ પણ ખાસ નોંધવું જોઈએ કે ગુજરાતનાં તાપી અને આસપાસના વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ તથા લોકો દ્વારા આવા ગરીબ ભોળા હિન્દુઓને યેનકેન પ્રકારે ફસાવીને, લોભ લાલચ આપીને એમનું ધર્મ પરીવર્તન કરાવવાના કિસ્સા વારંવાર બહાર આવતા હોય છે.

    સુરતના કુખ્યાત આરીફ કોઠારીની ગેરકાયદેસર ક્લબ પર પોલીસનું બુલડોઝર, પોતે પોલીસના હાથમાંથી ભાગી નીકળ્યો હતો

    સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. હવે ફિલ્મી સ્ટોરી જેવો ક્રાઇમ સીન સામે આવ્યો છે, જેમાં ગુંડા પોલીસ પર હુમલો કરી અને આરીફ કોઠારી ને પોલીસ કસ્ટડીમાંથી છોડાવીને નાસી છૂટ્યા હતા. આ પહેલા ગત મહિને જ આરીફના ભાઈ સજ્જુ કોઠારીને સુરત પોલીસે ફરીથી સુરતમાં એના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો.

    પોતાની કાર્યવાહીમાં સુરત પોલીસે આજે આરીફ કોઠારીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવ્યું હતું. સુભાષનગર પાસે આરીફ જ્યાં ગેરકાયદે ક્લબ ચલાવતો હતો એ જગ્યા પોલીસે બુલડોઝરથી ઉખાડી ફેંકી હતી. ત્યાંથી મળેલ લોખંડના મોટા દરવાજાઓ તથા બે વાહનો પણ પોલીસે કબ્જે કર્યા હતાં. આ પહેલા સુરત પોલીસ દ્વારા સજ્જુની ઘેરકાયદેસર મિલકતો પર પણ બુલડોઝર ફેરવાયું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરાના અસામાજિક તત્વ સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર તેના ગુંડાઓએ હુમલો કરી આરીફ કોઠારીને છોડાવી લીધો હતો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી.

    સચિન લાજપોરનો સજ્જુ કોઠારી પેરોલ પર આવ્યા બાદ પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. તે સમયે સચિન પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈ સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ગુનેગાર આરીફ કોઠારીની પણ મુખ્ય ભૂમિકા હતી.

    આ અંગેની માહિતી રાંદેર પોલીસને આપવામાં આવતા રાંદેર પોલીસ ડી-સ્ટાફના પીએસઆઈ હડિયા અને 4 કર્મચારીઓ રાંદેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં આરીફ કોઠારીને પકડવા ગયા હતા. પોલીસની ટીમે આરીફને પકડીને ઝૂંપડપટ્ટીમાંથી બહાર કાઢ્યો અને જીપમાં બેસાડી દીધો. ટોળાએ પોલીસ સાથે મારપીટ કરી અને આરીફને છોડાવી લીધો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે.

    ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત્રે રાંદેર પોલીસે 8 થી 10 તોફાનીઓની અટકાયત કરી છે. બીજી તરફ મોટા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ સંદર્ભે રાંદેર પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પથ્થરમારો અને મારામારીના 10 આરોપીઓની અટકાયત કરી છે.

    ઉલ્લેખનીય છે કે પોલીસે સજ્જુ કોઠારીની ધરપકડ કરી ત્યારે પણ આવી જ એક ઘટના બની હતી. જ્યારે પણ પોલીસ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જાય છે ત્યારે એક ચોક્કસ સમુદાયના લોકો આ રીતે પોલીસ પર હુમલાઓ તથા પથ્થરમારા કરીને આરોપીઓને પોલીસની પકડમાંથી ભાગી જવામાં મદદ કરતાં હોય એવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે.

    જીગ્નેશ મેવાણીની જામીન અરજી ફગાવાઈ; મુખ્યમંત્રીએ પૂછ્યું કોણ જીગ્નેશ મેવાણી?

    ગુજરાતના વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીની જમીન અરજી આસામની કોકરાઝાર કોર્ટે ફગાવી દીધી છે. જીગ્નેશ મેવાણીને બુધવારે રાત્રે આસામ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.

    જીગ્નેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુર સર્કીટ હાઉસમાંથી પકડી લીધા હતા અને ત્યારબાદ વિમાનમાર્ગે અમદાવાદથી ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા. ગઈકાલે વડગામના ધારાસભ્યને કોકરાઝાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.

    આસામના પાટનગર ગુવાહાટીથી કોકરાઝાર 225 કિલોમીટર દુર આવેલું છે. અહીંની કોર્ટમાં જીગ્નેશ મેવાણીને જ્યારે રજુ કરવામાં આવ્યા ત્યારે તેમણે બુમો પાડીને કહ્યું હતું કે આ બદલાનું રાજકારણ છે અને PMO આ પ્રમાણેનું રાજકારણ કરી રહ્યું છે. જીગ્નેશ મેવાણીની જમીન અરજી રદ્દ થતાં તેમના વકીલોએ જણાવ્યું હતું કે હવે તેઓ સોમવારે આસામ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરશે.

    જીગ્નેશ મેવાણીને તેમની કેટલીક ટ્વિટ બદલ કોકરાઝારમાં થયેલી ફરિયાદ બાદ પાલનપુરથી આસામ પોલીસે પકડી લીધા હતા. મેવાણી પર IT એક્ટની કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવી, 295(A), 504 (જાણીજોઈને કરવામાં આવેલું અપમાન અને શાંતિનો ભંગ કરવો) જેવી વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ પુષ્ટિ આપી છે કે આસામ પોલીસે સ્થાનિક પોલીસને જીગ્નેશ મેવાણીની ધરપકડ વિષે પહેલાં માહિતી આપી દીધી હતી.

    બીજી તરફ આસામના મુખ્યમંત્રી હેમંતા સરમા બિસ્વાને જ્યારે પત્રકારોએ જીગ્નેશ મેવાણી વિષે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, “મને ખબર નથી. કોણ છે એ?” બાદમાં બિસ્વાએ ઉમેર્યું હતું કે મને આ બાબતની જાણકારી નથી. જ્યારે હું એમના વિષે જાણતો જ નથી ત્યારે બદલાના રાજકારણનો પ્રશ્ન જ ઉભો નથી થતો.”

    જીગ્નેશ મેવાણીની ટ્વિટ પરથી તેમની ધરપકડ કરી હોવાનું જ્યારે પત્રકારોએ હેમંતા બિસ્વા સરમાને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ રીતે કોઈની ધરપકડ કરવામાં આવી હોય તેવા અસંખ્ય કિસ્સાઓ જોવા મળી જશે. આસામ કોંગ્રેસે જણાવ્યું છે કે શુક્રવારે ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે. ત્યારબાદ પણ જો જીગ્નેશ મેવાણીને મુક્ત નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યભરમાં પ્રદર્શન શરુ કરશે. જીગ્નેશ મેવાણી જો કે અપક્ષ ધારાસભ્ય છે પરંતુ તેમણે ‘ટેક્નિકલ કારણોસર’ કોંગ્રેસમાં નહીં જોડાઈને તેને બહારથી સમર્થન આપ્યું છે.

    જમ્મુ અને કાશ્મીરમાં PM મોદીના પ્રવાસના બે દિવસ અગાઉ આતંકીઓ હરકતમાં, આતંકી હુમલામાં એક જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

    જમ્મુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક જવાનનું મોત થયું હતું જ્યારે ચાર અન્ય જવાન ઘાયલ થયા હતા. જવાનોએ 3 આતંકીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ એન્કાઉન્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની નિર્ધારિત મુલાકાતના બે દિવસ પહેલા થયું હતું.

    આતંકીઓએ આ હુમલો જમ્મુના સુંજવા વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ પોલીસના એડીજીપીના કહેવા પ્રમાણે, આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો.

    જમ્મુ પોલીસના કહેવા પ્રમાણે, જમ્મુના બઠિંડી વિસ્તારમાં રાત્રે આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી એમને મળી હતી. ત્યારબાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો. બાદમાં આતંકી દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને ચાર જવાન ઘાયલ થયા હતા.

    PM મોદીની મુલાકાતના પહેલા આ બીજું મોટું એન્કાઉન્ટર

    ગઇકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આતંકવાદીઓ વિશે માહિતી મળતાં, સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના પરિસવાની ગામમાં ઓપરેશન શરૂ કર્યું. આ અથડામણમાં 3 જવાન અને 1 નાગરિક ઘાયલ થયા છે. આ સાથે લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક આતંકીની ઓળખ આતંકી યુસુફ કાંતરુ તરીકે થઈ છે. તે તાજેતરમાં બડગામ જિલ્લામાં એક SPO અને તેના ભાઈ સહિત સુરક્ષા દળના જવાન અને એક નાગરિકની હત્યામાં સામેલ હતો.

    આ પહેલા પણ, 10 ફેબ્રુઆરી 2018ના રોજ ત્રણ JeM આતંકવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પમાં ઘૂસણખોરી કરી હતી. આ અથડામણમાં છ જવાનો સહિત સાત લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.

    PM મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ માટે જમ્મુ જવાના છે.

    પંચાયતી રાજ દિવસ પર, મોદી સમગ્ર દેશમાંથી પંચાયતો સુધી પહોંચવા ઉપરાંત વિકાસ અને 39,000 કરોડની રોકાણ યોજનાઓની શ્રેણી શરૂ કરવા માટે જમ્મુમાં હાજર રહેવાના છે.

    મોદી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત બનિહાલ-કાઝીગુંડ ટનલ રોડનું ઉદ્ઘાટન કરશે, જમ્મુમાં રતલેમાં 850 મેગાવોટ અને ક્વારમાં 540 મેગાવોટના બે પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વિકસાવવામાં આવનાર પાંચ એક્સપ્રેસવે અને 100 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવાના છે. એપોલો હોસ્પિટલ દ્વારા જમ્મુ ક્ષેત્રમાં એક મેડિસિટી પણ વિકસાવવામાં આવી રહી છે.

    મોદીના આ પ્રવાસ પહેલા આતંકવાદીઓ દ્વારા થયેલ આ હુમલાઓએ સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરી દીધી છે॰

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે ઇડીએ 5 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી, પુત્રો સામે પણ ચાર્જશીટ દાખલ કરવાની એજન્સીની તૈયારી

    દાઉદ ઈબ્રાહીમ મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ પ્રવર્તમાન નિદેશાલયે (ED) સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીએ પાંચ હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં કેટલાક દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાક્ષીઓના નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર, ઇડી નવાબ મલિકના બે પુત્રો ફરાઝ મલિક અને આમિર મલિક વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. એજન્સીએ બંનેને કેસની તપાસ માટે સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર ન રહેતા હવે આગળની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, ઇડીએ ફરાઝ મલિકને ત્રણ જ્યારે આમિર મલિકને બે સમન્સ પાઠવ્યા હતા. પરંતુ બંને હાજર રહ્યા ન હતા. નવાબ મલિક વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા છતાં તેમના પુત્રો તપાસ પ્રત્યેનું વલણ ઠીક જણાઈ રહ્યું નથી. ઇડીએ દાઉદ ઈબ્રાહિમ અને અન્ડરવર્લ્ડ સબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નવાબ મલિકની ધરપકડ કરી લીધી હતી. નવાબ મલિક દાઉદ ઇબ્રાહિમ દ્વારા સંચાલિત હવાલા ટ્રાન્સફરમાં સામેલ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

    15 ફેબ્રુઆરીના રોજ ઇડીએ મની લોન્ડરિંગ કેસ મામલે ઇડીએ દક્ષિણ મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર અને ભાઈ ઇકબાલ કાસકરના રહેઠાણો સહિત મુંબઈના 9 અને થાણેના એક સ્થળ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ એજન્સીએ ઇકબાલ કાસકરને હિરાસતમાં લઇ સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉપરાંત, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ પણ જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ભારતમાં આતંકવાદી હુમલાઓ શરૂ કરવાના કાવતરાં ઘડી રહ્યો હતો અને હુમલાઓમાં સામેલ લોકોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે હવાલા ચેનલો દ્વારા ભંડોળ પૂરું પાડી રહ્યો હતો.

    ઇબ્રાહિમ, ઇકબાલ મિર્ચી, છોટા શકીલ, પારકર અને જાવેદ ચીકણા સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સે એજન્સીને હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ કેસમાં નવાબ મલિકનું નામ પણ સામે આવ્યું હતું. ઇડીએ તાજેતરમાં જ ગોવાવાલા કમ્પાઉન્ડ, કુર્લા વેસ્ટ, મુંબઈ ખાતેના કોમર્શિયલ યુનિટ, ઉસ્માનાબાદ જિલ્લામાં 147.794 એકર ખેતીની જમીન, કુર્લા વેસ્ટમાં ત્રણ ફ્લેટ, બાંદ્રા પશ્ચિમમાં બે ફ્લેટ સહિતની નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત તેમની સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને મલિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીઓ પણ જપ્ત કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર, મની લોન્ડરિંગ કેસમાં તાત્કાલિક મુક્તિની માંગ કરતી નવાબ મલિકની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધા બાદ હાઈકોર્ટનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમે આ મામલે શુક્રવારે સુનાવણી મુકરર કરી છે. નવાબ મલિકની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, માત્ર વિશેષ પીએમએલએ કોર્ટનો તેમને હિરાસતમાં મોકલવાનો આદેશ તેમના પક્ષમાં ન હોવાથી તે આદેશ ખોટો કે અયોગ્ય બની જતો નથી. આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

    આપ નેતા દિપક મદાને કેજરીવાલ સરકારના મંત્રીના ઘર આગળ કર્યા ધરણા: કહ્યું “મારે ચૂંટણી નથી લડવી મારા 1.15 કરોડ રૂપિયા પાછા આપો

    ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કથિત દાવો કરતાં કેજરીવાલ સરકારના મંત્રી પર જ AAP નેતા દિપક મદાન દ્વારા MCDના આવનારા ઈલેકશન માટે ભ્રષ્ટાચાર કરી ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. દિપક મદાનનું કહેવું છે કે “કેજરીવાલ સરકારના મંત્રી સત્યેંદ્ર જૈન એ તેમની પાસે થી ટિકિટ આપવાની શરતે 1.15 કરોડ રૂપિયા પડાવ્યા હતા. કુલ રકમ 1.5 કરોડ નક્કી કરાઇ હતી. ઈલેકશન પાછળ જતાં મે 35 લાખ રૂપિયા બાકી રાખ્યા હતા તો હવે મને હેરાન કરવામાં આવે છે.”

    પ્રચાર સમયનું દિપક મદાન નું પોસ્ટર (સાભાર: દિપક મદનની ફેસબુક વોલ પરથી)

    દિપક મદાન પોતાની ફેસબુક પ્રોફાઈલ પરથી તારીખ 20-04-22ના રોજ 6.00 કલાક સુધી લાઈવ રહ્યા હતા. આ આખું લાઈવ બ્રોડકાસ્ટ તેમણે સત્યેન્દ્ર જૈનના ઘર બહાર જઈને કર્યું હતું. લાઈવ બ્રોડકાસ્ટમાં તેઓ એ ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે “તેઓ સત્યેન્દ્ર જૈનને 2020થી ઓળખે છે. તેઓ એ આવનારા એમસીડીના ઈલેકશન માટે ટિકિટ આપવાની વાત કરી કહ્યું હતું કે એમ તો ટિકિટના 2 કરોડ રૂપિયા ભાવ છે પરંતુ તમારા માટે 1.5 કરોડ રૂપિયામાં કરી આપીશ, જેમાં મે 1.15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ ઈલેકશન કેન્સલ થતાં મેં બાકીના 35 લાખ રૂપિયા આપ્યા નહીં તેના કારણે હવે મને હેરાન કરવામાં આવે છે. હવે મારે ઈલેકશન લડવું નથી એટલે મને મારા 1.15 કરોડ રૂપિયા પાછા જોઈએ છે.”

    ભાજપા નેતા કપિલ મિશ્રાની ટ્વિટ.

    ભાજપા નેતા અને સોસિયલ મીડિયા પર એક્ટિવ એવા કપિલ મિશ્રા એ એક ટ્વિટ કરીને દિપક મદાન પર કટાક્ષ કર્યો હતો. એક મહિના પહેલા દિપક મદાને ફસબુક પોસ્ટ પર કાશ્મીરી પંડિતોના દુઃખને અવાજ આપતી ફિલ્મ The Kashmir Filesના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પાસે ફિલ્મની કમાણી અંગે હિસાબ માંગ્યો હતો. તે પોસ્ટ નો સ્ક્રીન શોર્ટ લઈને કપિલ મિશ્રા એ કટાક્ષ કર્યો હતો કે 20 માર્ચે કશ્મીર ફાઇલનો હિસા માંગતા હતા ને હવે સત્યેન્દ્ર જૈન પાસે પોતાના 1.15 કરોડ માંગે છે. આ ટ્વિટ સોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

    આમ આદમી પાર્ટી હમેશા દિલ્લી મોડલની વાત કરે છે તો શું આવનારા ઇલેકશનમાં ગુજરાતમાં પણ આવી રીતે ટિકિટ વેચીને ગુજરાત માથી પૈસાનું ઉઘરાણું કરશે? આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓએ આ પ્રકારના પ્રશ્નોનો જાહેરમાં સામનો કરવો પડે તો નવાઈ નહીં. આમ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘણા બધા વિવાદોમાં પહેલેથી જ ફસાઈ ચૂકી છે એવામાં આ રીતે કોઈ નવો ફણગો ફૂટે તો તે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના વિરુદ્ધ જઈ શકે છે.

    મોરેશિયસના વડાપ્રધાને ગંગામાં વિસર્જિત કરી પિતાની અસ્થિઓ, બાબા વિશ્વનાથના દર્શન કર્યા, આવતીકાલે સીએમ યોગીને મળશે

    મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ હાલ આઠ દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. પહેલા દિવસે ગુજરાતના જામનગર અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ બુધવારે સાંજે તેઓ વારાણસી પહોંચ્યા હતા. ગુરુવારે સવારે તેઓ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પિતા અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કર્યું હતું.

    પ્રવિંદ જગન્નાથ ત્રણ દિવસ માટે કાશીના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેઓ તેમના પિતા અને મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓ વિસર્જિત કરવા માટે વારાણસીના પ્રસિદ્ધ દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સનાતન ધર્મની પરંપરા અનુસાર વૈદિક રીતિરિવાજ સાથે પિતાની અસ્થિઓ ગંગા નદીમાં પ્રવાહિત કરી મૃત આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી. આ દરમિયાન ચાર વેદ પાઠી બ્રાહ્મણોએ પરંપરાગત રીતિ રીવાજ મુજબ અસ્થિ વિસર્જનની પૂજા અને અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યાં હતાં.

    સવારે પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કર્યા બાદ પ્રવિંદ કુમાર જગન્નાથ બાબા વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પૂજા-દર્શન કરીને ભવ્ય કાશી વિશ્વનાથ ધામ નિહાળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાશી વિશ્વનાથ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.

    આવતીકાલે સીએમ યોગી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

    પ્રવિંદ કુમાર જગન્નાથ તેમનાં પત્ની અને માતા સાથે ભારત પ્રવાસે આવ્યા છે. આ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે ભારત યાત્રાએ આવ્યું છે. શુક્રવારે મોરેશિયસના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી મોરેશિયસના પીએમ માટે રાત્રિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે યુપી સીએમ અને રાજ્યપાલ આવતીકાલે વારાણસી પહોંચશે.

    ભારત સાથે સબંધ ધરાવતા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથના પિતા સર અનિરુધ્ધ જગન્નાથ મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન હતા. તેઓ બે વખત મોરેશિયસના રાષ્ટ્રપતિ અને છ વખત વડાપ્રધાન રહ્યા હતા. વર્ષ 2020 માં તેમને ભારત સરકારે દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

    જગન્નાથના પૂર્વજો યુપીના બલિયાના રહેવાસી હતા

    મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિના પૂર્વજો ઉત્તર પ્રદેશના બલિયાના નિવાસી હતા. બલિયા જિલ્લાના રસડા થાણા ક્ષેત્રનું અઠીલપુરા ગામ તેમના પૂર્વજોનું નિવાસસ્થાન રહ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમના પિતા અને કાકાને અંગ્રેજોએ શેરડીની ખેતી માટે કામ કરવા માટે મજૂર તરીકે મોરેશિયસ મોકલી આપ્યા હતા. જેઓ ત્યારબાદ ત્યાંના જ નિવાસી બની ગયા હતા. અનિરુદ્ધ જગન્નાથનો જન્મ મોરેશિયસમાં વર્ષ 1930 માં થયો હતો. જે બાદ તેમણે ત્યાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી વકીલાતનો અભ્યાસ કરવા લંડન ગયા હતા.

    છ વાર વડાપ્રધાન, બે વખત રાષ્ટ્રપતિ રહ્યા

    રાજકારણમાં જોડાયા બાદ તેઓ વર્ષ 1976 થી 1982 દરમિયાન વિપક્ષ નેતા રહ્યા હતા. જે બાદ 1982 થી 1995 અને 2000 થી 2003 દરમિયાન દેશના વડાપ્રધાન પડે રહ્યા હતા. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને 2003 થી 2012 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. જે બાદ ચૂંટણીમાં તેમની પાર્ટીનો વિજય થતાં 2014 માં તેઓ છઠ્ઠી વખત મોરેશિયસના વડાપ્રધાન બન્યા હતા. જૂન 2021 માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

    બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત પ્રવાસે આવ્યા, પોતાના બે દિવસીય પ્રવાસમાં આવતીકાલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીને મળશે

    બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન આજથી ભારતની બે દિવસીય મુલાકાત પર. તેઓ ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટથી તેમની હોટેલ સુધીના રોડ-શો સાથે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. શહેરમાં, તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી, અને બાદમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર અને વડોદરા શહેર નજીક હાલોલ ખાતે જેસીબી કંપનીના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બંધ બારણે મુલાકાત પણ કરવાના છે.

    પોતાના આ પ્રવાસ દરમિયાન બોરિસ જોન્સન પ્રસ્તાવિત મુક્ત વેપાર સમજૂતીને નવેસરથી આગળ ધપાવશે, ઇન્ડો-પેસિફિકમાં સહકારને વેગ આપશે અને સંરક્ષણ સંબંધોને વધારશે એવું માનવમાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બોરિસ જોન્સનની વાટાઘાટોનું મુખ્ય કેન્દ્ર ઇન્ડો-પેસિફિકની પરિસ્થિતિ પર રહેશે કારણ કે યુકે આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની બળજબરીનો સખત વિરોધ કરે છે.

    જ્હોન્સન તેમની બે દિવસીય ભારત મુલાકાત માટે આજે વહેલી સવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    બોરિસ જ્હોન્સનના ભારત પ્રવાસના મુખ્ય એજન્ડા

    બ્રિટિશ સૂત્રોએ જણાવ્યું હતું કે બોરિસ જ્હોન્સનનું ભારત આગમન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. એ બાદ તેઓ રાજ્યની એક યુનિવર્સિટી અને બાદમાં JCB ફેક્ટરીની મુલાકાત લેશે અને અમદાવાદમાં બિઝનેસ મીટિંગો કરશે.

    ગુજરાતમાં તેમના આજના પ્રવાસ પછી, બોરિસ જોન્સન દેશની રાજધાનીમાં આવશે જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

    બ્રિટિશ વડાપ્રધાનની આ મુલાકાત હેઠળના મુદ્દાઓમાં ઈન્ડો-પેસિફિકનો ઉદય અને તેમાં ભારતની કેન્દ્રીયતા, યુક્રેન યુદ્ધ, બ્રેક્ઝિટ, વેપાર, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, ટકાઉપણું અને ભારત દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસીના 1.5 અબજ ડોઝથી કેવી રીતે ફરક પડ્યો તે સામેલ છે.

    બોરિસ જોન્સન આજે ગુજરાતમાં

    સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર પહેલા બ્રિટિશ PM બોરિસ જોન્સન

    બ્રિટિશ પ્રધાનમંત્રી અમદાવાદમાં સૌપ્રથમ સાબરમતી આશ્રમ પહોચ્યા હતા. સાબરમતી આશ્રમની તેમની મુલાકાત દરમિયાન પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સાથે હાજર રહ્યા હતા. ‘ગાઈડ ટુ લંડન’, મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા પ્રથમ થોડા પુસ્તકો પૈકીનું એક જે ક્યારેય પ્રકાશિત થયું નથી તે પણ સાબરમતી આશ્રમ દ્વારા યુકેના વડા પ્રધાનને ભેટમાં આપવામાં આવ્યું હતું.

    સાબરમતી આશ્રમ ખાતે ચરખો ચલાવતા બ્રિટિશ વડાપ્રધાન (ફોટો સાભાર : ધ હિન્દુ)

    સાબરમતી આશ્રમના મુલાકાતીઓના પુસ્તકમાં બોરિસ જ્હોન્સન લખ્યું હતું કે, “આ અસાધારણ માણસના આશ્રમમાં આવવું અને તેણે વિશ્વને વધુ સારા માટે બદલવા માટે સત્ય અને અહિંસાના આવા સરળ સિદ્ધાંતોને કેવી રીતે એકત્ર કર્યા તે સમજવું એ એક મોટો લહાવો છે.” આ સાથે જ જોન્સન સાબરમતી આશ્રમની મુલાકાત લેવા વાળા પહેલા બ્રિટિશ વડાપ્રધાન બન્યા હતા.

    પોતાના પ્રવાસના પ્રથમ દિવસે, જોન્સન અમદાવાદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ટ્વિટર પર મીટિંગનો ફોટો શેર કરતા, અદાણીએ લખ્યું: “અદાણી હેડક્વાર્ટર ખાતે ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ યુકેના પીએમ બોરિસ જોહ્ન્સનને આવકારવા બદલ અમે સન્માનિત અનુભવીએ છીએ. પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન H2 અને નવી ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને આબોહવા અને ટકાઉપણું એજન્ડાને સમર્થન આપવા બદલ આનંદ થાય છે. સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીના સહ-નિર્માણ માટે યુકેની કંપનીઓ સાથે રહીને પણ તેઓ કામ કરશે.”

    બોરિસ જોન્સને ગુજરાતની હાલોલ GIDC ખાતે આવેલી JCB ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

    યુકેના PM બોરીસ જોન્સન અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે પંચમહાલના હાલોલ જીઆઈડીસી ખાતે જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી જેની જાણકારી ભુપેન્દ્ર પટેલે ટ્વિટર દ્વારા આપી હતી.

    PM બોરિસ જોન્સને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    યુકેના PM બોરિસ જોન્સન અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    ગાંધીનગરના અક્ષરધામ મંદિર ખાતે મુલાકાત

    ગાંધીનગરમાં આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિર ખાતે PM બોરિસ જોન્સન અને CM ભુપેન્દ્ર પટેલ દર્શને પહોચ્યાં હતા.

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ખુરશી પર તોળાતું સંકટ : માઈનીંગ લીઝ કેસ મામલે ચૂંટણી પંચે માગ્યો જવાબ

    માઈનિંગ લીઝ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. રાંચી હાઈકોર્ટ બાદ હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે આ મામલે રાજ્યના મુખ્ય સચિવ સુખદેવસિંહને પત્ર લખ્યો છે. પંચે પત્રમાં મુખ્ય સચિવને દસ્તાવેજોની ખરાઈ કરીને મુખ્યમંત્રીએ રાંચીના અંગારા બ્લોકમાં માઈનિંગ લીઝ મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગી છે.

    ચૂંટણી પંચ તરફથી પત્ર મળ્યા બાદ રાજ્યના અધિકારીઓ આ આરોપોની ખરાઈ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા છે. જે પૂર્ણ થયા બાદ તેઓ પત્રનો જવાબ સોંપશે. અહીં એ નોંધનીય છે કે મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે ખનન વિભાગ પણ છે અને તેમની ઉપર પથ્થર ખનનનું કામ પોતાને જ ફાળવી દેવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ફેબ્રુઆરીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા રઘુવર દાસના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને સીએમને હટાવવાની માંગ કરીને આ મામલે કેટલાક દસ્તાવેજો પણ સોંપ્યા હતા.

    રાજ્યપાલે આ દસ્તાવેજોને ચૂંટણી પંચ પાસે મોકલી તેમનો અભિપ્રાય માગ્યો હતો. ચૂંટણી પંચે આ દસ્તાવેજો મુખ્ય સચિવને મોકલીને આ દસ્તાવેજો સીએમ પર લાગેલા આરોપ સબંધિત છે કે નહીં તે જણાવવા માટે કહ્યું છે. અધિકારીઓ તરફથી જવાબ મળ્યા બાદ ચૂંટણી પંચ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ લીઝ ‘ઓફીસ ઓફ પ્રોફિટ’ હેઠળ આવે છે કે કેમ તે અંગે નિર્ણય કરશે. તેમજ તેના આધારે ચૂંટણી પંચ રાજ્યપાલને પણ જવાબ આપશે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 9A મુજબ ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ હેઠળ આવતા ગૃહના સભ્યોનું સભ્યપદ સમાપ્ત કરવાનો પ્રાવધાન છે.

    પોતે સોંપેલા દસ્તાવેજોના આધારે કરેલી ફરિયાદમાં રઘુવર દાસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા બાદ હેમંત સોરેને પોતાના નામે પથ્થર ખાણકામ લીઝ પર લઇ લીધું હતું. રાંચી જિલ્લાના અનગડા તાલુકામાં 0.88 એકર ક્ષેત્રફળનો પટ્ટો પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યો છે.

    હાઈકોર્ટે પણ કરી હતી ટિપ્પણી

    શિવશંકર શર્મા નામના એક વ્યક્તિએ માઈનિંગ લીઝ પોતાના નામે કરવા બદલ હેમંત સોરેન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજી મામલે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ. રવિ રંજન અને ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદની ખંડપીઠે સુનાવણી કરતા બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો ન જોઈએ તેમ પણ નોંધ્યું હતું.

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સોરેન રાજ્યના મુખ્યમંત્રી તેમજ વન અને પર્યાવરણ વિભાગના પણ મંત્રી છે. તેમની પાસે ખનન વિભાગ પણ છે. તેવામાં તેમણે પોતે જ પર્યાવરણ કલીયરન્સ માટે આવેદન આપ્યું અને ક્લીયરન્સ લઈને પોતે જ લીઝ મેળવી લીધી હતી. આમ કરવું પદનો દુરુપયોગ અને જન પ્રતિનિધિત્વ કાનૂનનું ઉલ્લંઘન છે.

    શું છે મામલો?

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર આરોપ છે કે તેમણે પદનો દુરુપયોગ કરીને પથ્થર ખનન માટેની લીઝ પોતાના નામે જ મેળવી લીધી હતી. આ ખાન રાંચી જિલ્લાના અનગડાના થાણા નંબર-26, ખાતા નંબર-187, પ્લોટ નંબર 482માં આવેલ છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે આ લીઝની મંજૂરી માટે હેમંત સોરેન વર્ષ 2008 થી જ પ્રયાસો કરી રહ્યા હતા.

    મુખ્યમંત્રી બન્યા બાદ પત્ર ક્રમાંક 615/M, તારીખ 16-06-2021 મારફતે વિભાગ દ્વારા લીઝની મંજૂરી માટેનો પત્ર (Letter of intent) જારી કરવામાં આવ્યો હતો. આ વિભાગ મુખ્યમંત્રી પાસે જ છે. સ્ટેટ લેબલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટીએ 14 થી 18 સપ્ટેમ્બર 2021 દરમિયાનની પોતાની 90મી બેઠકમાં પર્યાવરણીય સ્વીકૃતિની ભલામણ પણ કરી હતી.

    આ છે તહફુઝ-એ-દીન ઈન્ડિયા યુટ્યુબ ચેનલ, જેણે ખાલિસ્તાની આતંકવાદીને ‘હિંદુ’ કહ્યા, કાશ્મીરી પંડિતો વિરુદ્ધ BBC ના ભ્રામક અહેવાલનો ઉપયોગ કર્યો અને બીજું ઘણું બધું

    તહફુઝ-એ-દીન ઈન્ડિયા એ એક ઈસ્લામિક મીડિયા ચેનલ છે જે YouTube અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં દર્શકો ધરાવે છે. યુટ્યુબ પર ચેનલના સાત લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેના વીડિયોને યુટ્યુબ પર દસ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. ચેનલની વેબસાઈટ મુજબ, ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય “હઝરતના સંતોને પુનર્જીવિત કરવાનો” છે.

    ઓપઇન્ડિયાના પત્રકાર અનુરાગની તપાસ દરમિયાન, એમને જાણવા મળ્યું કે ચેનલ વર્તમાન બાબતો વિશે ઘણી ખોટી માહિતી ફેલાવે છે, ખાસ કરીને જ્યારે તે હિંદુઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી ભારત સરકારની વાત આવે છે.

    ‘લુધિયાણા કોર્ટ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હિન્દુ હતો’

    28 ડિસેમ્બર 2021ના અહેવાલમાં, તહફુઝ-એ-દીન ઈન્ડિયાના પત્રકાર સૈયદ ફારૂક અહેમદે ખોટો દાવો કર્યો હતો કે લુધિયાણા કોર્ટ બોમ્બ વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ હિંદુ હતો. તેણે કહ્યું, “લુધિયાણા બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ અને હિન્દુ આતંકવાદી જસવિંદર સિંહ મુલતાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકારની વિનંતી પર તેની ધરપકડ કરવામાં આવી હતી.”

    વાસ્તવમાં, જસવિંદર સિંહ મુલતાની એક ખાલિસ્તાની આતંકવાદી છે જે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ સાથે સંબંધ ધરાવે છે. 23 ડિસેમ્બર, 2022 ના રોજ લુધિયાણા કોર્ટમાં થયેલા લુધિયાણા કોર્ટ બોમ્બ બ્લાસ્ટમાં તેની સંડોવણી બદલ 28 ડિસેમ્બરે જર્મન પોલીસે મુલતાનીની ધરપકડ કરી હતી.

    ‘ભોપાલમાં હનુમાન જયંતિ પર હિન્દુ આતંકવાદીઓએ શોભા યાત્રાનું આયોજન કર્યું હતું.’

    અન્ય એક અહેવાલમાં સૈયદ ફારૂક અહેમદે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હિન્દુઓને આતંકવાદી કહ્યા છે. તેણે કહ્યું, “હિંદુ આતંકવાદીઓએ જાહેરાત કરી છે કે તેઓ ભોપાલમાં હનુમાન જયંતિ પર શોભા યાત્રા કાઢશે.” રિપોર્ટમાં, તેણે આરોપ લગાવ્યો કે ખરગોનમાં રામનવમી પર “હિન્દુ આતંકવાદીઓ” એ આવું જ કર્યું અને કહ્યું કે તે મુસ્લિમોમાં ભય ફેલાવવાનો પ્રયાસ હતો.

    વધુમાં તહફુઝ-એ-દીન ઈન્ડિયા દ્વારા દાવો કરાયો હતો કે મુસ્લિમો પર ફરીથી હુમલો થશે તેવા ડરથી ખરગોન છોડી દીધું હતું. તેના દાવાથી વિપરીત, ખરગોનનો વિસ્તાર જ્યાં રામ નવમી પર ઘટના બની હતી તે મુસ્લિમ બહુલ વિસ્તાર છે. તે હિંદુઓ હતા જેમણે વધુ સાંપ્રદાયિક હિંસાના ડરથી વિસ્તાર છોડી દીધો હતો. અહેવાલો સૂચવે છે કે જ્યારે રામ નવમી શોભા યાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શિવમ નામના 16 વર્ષના હિંદુ છોકરાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને શસ્ત્રક્રિયા કરવી પડી હતી.

    ‘કાશ્મીર ફાઇલ્સે મુસ્લિમો સામે નફરત જગાડી, હિંદુઓએ થિયેટરની બહાર મુસ્લિમને મારી નાખ્યો હોત’

    ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પરના અહેવાલમાં, તહફુઝ-એ-દીન ઈન્ડિયા ચેનલના સ્થાપક કારી ઝિયા ઉર રહેમાન ફારૂકીએ જણાવ્યું હતું કે કાશ્મીર ફાઇલ્સ નફરતથી ભરેલી ફિલ્મ હતી અને તેણે દર્શકોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું, “ફિલ્મ જોનારા સંઘીઓ ફિલ્મથી ઉશ્કેરાઈ ગયા અને થિયેટરની બહાર ‘જય શ્રી રામ’ અને ‘દેશ કે ગદ્દરોં કો’ ના નારા લગાવ્યા. કલ્પના કરો કે જો કોઈ મુસ્લિમ દાઢી અને ટોપી ધરાવતો હોત તો આ સંઘીઓ તેની સાથે શું કરી શક્યા હોત.

    ફિલ્મને નકલી ગણાવતા તેણે કહ્યું કે, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો પ્રચાર કર્યો. તેણે કહ્યું, “તમે તેમના (પીએમ મોદી) જેવા વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રાખી શકો કે જેમના હાથ લોહીવાળા હોય. ગુજરાત 2002ના રમખાણો ભારતના ઈતિહાસ પર કાળો ચિહ્ન છે. હું ઈચ્છું છું કે તેઓ એ મહિલા વિશે વાત કરે જેનું ગર્ભ જય શ્રી રામ બોલતી વખતે ફાટી ગયું હતું.

    આ ઉપરાંત, ગુજરાત રમખાણો દરમિયાન એક મહિલા પર બળાત્કાર થયો હતો અને તેના ગર્ભને ફાડી નાખવામાં આવ્યો હતો તે ઘટનાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બનાવટી હતી. 2010ના એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે પીડિતાનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરને ગર્ભ અખંડ જોવા મળ્યો હતો. ફારૂકીએ તેના અહેવાલમાં એ હકીકતને સહેલાઇથી છોડી દીધી હતી કે મુસ્લિમ ટોળા દ્વારા અયોધ્યાથી પાછા આવી રહ્યા હતા ત્યારે ગોધરામાં મહિલાઓ અને બાળકો સહિત 59 હિંદુઓને જીવતા સળગાવી દેવાયા બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા.

    અન્ય અહેવાલમાં, તહફુઝ-એ-દીન ઈન્ડિયા ચેનલે બીબીસીના ભ્રામક અહેવાલનો ઉપયોગ કર્યો હતો જ્યાં તેઓએ કાશ્મીરી પંડિતોને ફિલ્મ વિશે ખરાબ વાત કરતા દર્શાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, પછીથી એ વાત બહાર આવી કે બીબીસી દ્વારા જે કાશ્મીરી પંડિતોની મુલાકાત લેવામાં આવી હતી તેઓ કોંગ્રેસના સમર્થક અને ભાજપ વિરોધી હતા. આ ઘટસ્ફોટ પછી, બીબીસીએ તેનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ગેરમાર્ગે દોરનારી રિપોર્ટિંગ માટે માફી માંગી ન હતી.

    કાશ્મીર ફાઈલ્સે દેશમાં એક મોટો રાજકીય ડ્રામા મચાવ્યો છે. મીડિયાનો ડાબેરી-ઉદારવાદી વર્ગ એવો પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ફિલ્મ ધ્રુવીકરણ કરી રહી છે અને ભ્રામક દાવા ફેલાવે છે. જો કે, ફિલ્મ 1990માં ખીણમાંથી હિજરત દરમિયાન કાશ્મીરી પંડિતો સાથે બનેલી વાસ્તવિક ઘટનાઓને દર્શાવે છે. કાશ્મીરી પંડિતો સામેના ગુનાઓની તમામ ઘટનાઓ દસ્તાવેજીકૃત છે.

    ‘હિંદુઓ મુસ્લિમ મહિલાઓને લલચાવી રહ્યા છે’

    ઓગસ્ટ 2021ના એક અહેવાલમાં અહેમદે આરોપ મૂક્યો હતો કે હિંદુ પુરુષો મુસ્લિમ મહિલાઓને તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી રહ્યા છે અને લગ્ન પછી મહિલાઓને હિંદુ ધર્મમાં ફેરવે છે. તેણે આરોપ લગાવ્યો કે જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારથી આવી ઘટનાઓ વધી છે અને લવ જેહાદ, ગૌહત્યા અને અન્ય નામે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

    તેણે વધુમાં આરોપ લગાવ્યો કે હિંદુ પુરુષો મુસ્લિમ મહિલાઓનું અપહરણ અને બળાત્કાર કરી રહ્યા છે. તેણે કહ્યું કે આવા રેકેટમાં હિન્દુ મહિલાઓ પણ સામેલ છે. અહેમદે આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ મહિલાઓને લલચાવવા માટે હિંદુઓને પૈસા આપવામાં આવે છે. હિંદુ પુરુષો કથિત રીતે મુસ્લિમ મહિલાઓ સાથે જે કરે છે તે તેણે જે રીતે વર્ણવ્યું તે જ ગ્રૂમિંગ જેહાદમાં થઈ રહ્યું છે. વાસ્તવમાં, એવા સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં મુસ્લિમ પુરુષોએ તેમની ઓળખ છુપાવી અને હિન્દુ મહિલાઓને તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી. પાછળથી, જ્યારે હિન્દુ મહિલાઓને તેમની વાસ્તવિક ઓળખ મળી, ત્યારે તેઓને બળપૂર્વક ધર્માંતરણ કરવામાં આવ્યું અથવા મારી નાખવામાં આવી.

    ચેનલ વિશે

    તહફુઝદીન મીડિયા સર્વિસિસ એ ઇસ્લામિક મીડિયા સંસ્થા છે. તેની સ્થાપના ઔરંગાબાદના કારી ઝિયા ઉર રહેમાન ફારૂકી દ્વારા કરવામાં આવી હતી, જેના પિતા હઝરત મૌલાના મહફૂઝ ઉર રહેમાન ફારૂકી રહેમાની ચેનલ પર વારંવાર દેખાય છે અને ઇસ્લામ વિશે વાત કરે છે. ચેનલ હિંદુઓ, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભ્રામક અહેવાલો પ્રકાશિત કરે છે અને એવું ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ કરે છે કે હિન્દુઓ દ્વારા મુસ્લિમ સમુદાયને ભારત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ચેનલે યુપી એટીએસ દ્વારા પર્દાફાશ કરીને સામૂહિક રૂપાંતરણ રેકેટને વાઇટવોસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘણા વીડિયોમાં આ કેસના મુખ્ય આરોપી ઉમર ગૌતમના વખાણ કરવામાં આવ્યા છે.