પીએમ નરેન્દ્ર મોદી આગામી સોમવારે (16 મે, 2022) બુદ્ધ જયંતી નિમિત્તે નેપાળના લુમ્બિની ખાતે એક દિવસીય યાત્રાએ જઈ રહ્યા છે. નેપાળ સરકારે પીએમ મોદીની આ યાત્રા દરમિયાન વેસ્ટ સેતી પ્રોજેક્ટ સંદર્ભે ભારત સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે છેલ્લા 6 દાયકાઓથી આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો છે.
મંગળવારે (10 મે, 2022) નેપાળ પીએમ શેર બહાદુર દેઉબાએ પોતાના ગૃહનગર દધેલધુરામાં એક સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે પીએમ મોદી દ્વારા થનાર યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની સાથે વેસ્ટ સેતી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.
નેપાળના વડાપ્રધાને કહ્યું, “આપણે આ પરિયોજનામાં રોકાણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા દરમિયાન અમે તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું.” તેમણે કહ્યું કે, ભારત સરકાર નેપાળના ચીની કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવેલ ઉર્જા ખરીદવા માંગતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ યોજનાના વિકાસ માટે એક વિશ્વસનીય ભારતીય કંપની સાથે નિર્ણાયક વાતચીતની જરૂર છે.
નેપાળના પશ્ચિમી સેતી નદી પર બનનાર 750 મેગાવોટનો વેસ્ટ સેતી જળવિદ્યુત પ્રોજેક્ટ છેલ્લા છ દાયકાઓથી માત્ર કાગળ પર જ અટકેલો પડ્યો છે. હાલમાં જ નેપાળ સરકારે 1200 મેગાવોટ ક્ષમતા ધરાવતા એક સંયુક્ત પ્રોજેક્ટને વેસ્ટ સેતી અને સેતી નદીના રૂપમાં ફરીથી તૈયાર કર્યો છે.
આ ઉપરાંત, નેપાળ સરકારે પંચેશ્વર બહુઉદ્દેશીય યોજના પ્રોજેક્ટને પણ વિકસિત કરવા માટે ભારત સાથે વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના 1996 માં નેપાળ અને ભારત વચ્ચે થયેલ સંધિનો અગત્યનો ભાગ છે, પરંતુ મતભેદોના કારણે આ યોજના પણ છેલ્લા કેટલાય દાયકાઓથી શરૂ થઇ શકી નથી.
અહીં નોંધવું અગત્યનું છે કે ગત વર્ષે જુલાઈ મહિનામાં દેઉબા નેપાળના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે નેપાળ વિકાસ બોર્ડના પ્રમુખ સુશીલ ભટ્ટનું કહેવું છે કે, અમે જળવિજ્ઞાન અને પરિયોજનામાં રોકાણની પદ્ધતિ મામલે અભ્યાસ કરી લીધો છે. આ પ્રોજેક્ટ 1980 ના દાયકાની શરૂઆતથી જ ડ્રોઈંગ બોર્ડ ઉપર છે. પહેલાં નેપાળ સરકારે એક ફ્રેંચ કંપની અને ત્યારબાદ પ્રસિદ્ધ ચીની કંપની સાથે કરાર કર્યા હતા પરંતુ ક્ષેત્રીય રાજકારણના કારણે છેલ્લા અઢી દાયકાથી પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું નથી.
આ પહેલાં વર્ષ 2018 માં ઓગસ્ટમાં સમાચાર મળ્યા હતા કે ચીન નેપાળના વેસ્ટ સેતી પ્રોજેક્ટમાંથી બહાર થવા માંગે છે. જેના એક મહિના બાદ સપ્ટેમ્બર 2018 માં નેપાળની 1.5 અબજ ડોલરના વેસ્ટ સેતી જળવિદ્યુત પ્રોજેક્ટના નિર્માણ માટે ચાઈના થ્રી જોર્જેસ કોર્પોરેશન સાથે થયેલ કરાર રદ કરી દીધા હતા. જે પહેલાં પણ આ પ્રોજેક્ટને લઈને બંને દેશો વચ્ચે 2009 માં કરાર થયા હતા. ત્યારે ચીની કંપનીએ આ પ્રોજેક્ટમાં 15 અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે, ત્યારબાદ કંપની નેપાળમાં રોકાણ માટે યોગ્ય માહોલ ન હોવાનું કહીને બહાર થઇ ગઈ હતી. તમામ ઉતાર-ચડાવો વચ્ચે ફરી એકવાર 29 ઓગસ્ટ 2012 ના દિને પ્રોજેક્ટ ચીની કંપનીને સોંપવામાં આવ્યો હતો પરંતુ 2018 માં ચીને ફરી આનાકાની કરતા તેને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.
પંજાબના વિવાદાસ્પદ પ્રોફેટ બજિન્દર સિંહ મુંબઈમાં 12 મેના રોજ એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે ‘મીટિંગ’ કરવા આવવાના છે. કથિત ઉપદેશકની મીડિયા ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશા પોસ્ટ કરી રહી છે જેમાં લોકોને મીટિંગમાં મોટી સંખ્યામા હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે.
એક વીડિયો સંદેશમાં, સિંહે દાવો કર્યો કે ‘પવિત્ર આત્મા’ તેમની સાથે વાત કરી અને કહ્યું, “પવિત્ર આત્માએ મને કહ્યું છે કે જેઓ આ મીટિંગમાં આવશે તેમની બેડીઓ તૂટી જશે. જો તમે કોઈ આર્થિક મુશ્કેલી, ખરાબ સ્વાસ્થ્ય કે અન્ય કોઈ સમસ્યામાં હોવ તો તમામ બંધનો તૂટી જશે. ખ્રિસ્તી ધર્મમાં, પવિત્ર આત્મા ટ્રિનિટીના ત્રીજા વ્યક્તિ અથવા પૃથ્વી પર ભગવાનની સતત હાજરીનો ઉલ્લેખ કરે છે.”
અત્યાર સુધીમાં ત્રણ કલાકારો ‘પ્રોફેટ’ બજિન્દરના સમર્થનમાં આવ્યા છે અને લોકોને તેની મીટિંગમાં આવવા વિનંતી કરી છે. પ્રખ્યાત કોમેડિયનમાંથી ઉપદેશક બનેલા જોની લીવરે એક વીડિયો સંદેશમાં કહ્યું, “તમે પ્રોફેટ બજિન્દર સિંહ વિશે સાંભળ્યું જ હશે. તે ઈશ્વરના પ્રિય પ્રબોધક છે. તેમના કારણે ઘણા લોકો સાજા થયા છે. ઘણા ચમત્કારો થયા છે. તમે ચમત્કારોના વીડિયો જોયા જ હશે. તે મુંબઈ આવી રહ્યા છે તે અમારા માટે આશીર્વાદ છે.” ત્યાર પછી તેણે દરેકને પરિવાર અને મિત્રો સાથે ‘આશીર્વાદ’ મેળવવા માટે સભામાં હાજર રહેવા વિનંતી કરી.
અભિનેત્રી રાખી સાવંત, જેણે ઘણા પ્રસંગોએ ખુલ્લેઆમ જીસસના વખાણ કર્યા છે, તે પણ સિંહ માટે આગળ આવી છે. તેણે કહ્યું, “ઈસુ વિશે શીખવું જરૂરી છે. હું તમને વિનંતી કરું છું કે બધું છોડીને બજિન્દર સિંહને સાંભળો. એવું કહેવાય છે કે જો તમે પાદરીની વાત ન સાંભળી હોય, તો તમે જીવનમાં કંઈ કર્યું નથી. ઈશ્વર મહાન છે. તેણે તમને કોરોનાથી બચાવ્યા. શું તમે પ્રાર્થનામાં નથી જતા? જો તમને સ્વાસ્થ્ય કે સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે તેમના આશીર્વાદથી દૂર થઈ જશે.” રસપ્રદ વાત એ છે કે, વિડિયોમાં, તેઓએ કોવિડ સમયગાળા દરમિયાન કુખ્યાત પિયર ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો જેનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો.
નાગિન સિરીઝ ફેમ સોનિયા સિંહે પણ સિંહના પક્ષમાં વાત કરી હતી. તેણે કહ્યું, “પ્રોફેટજી ભારતના મહાન પયગંબરોમાંથી એક છે. તે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરે છે. તેમની સભાઓમાં ઘણાં ચમત્કારો અને ઉપચાર થાય છે. મેં તેમને જાતે જોયા છે. ચમત્કારોનો અનુભવ કરવા હું પોતે પંજાબ ગઈ હતી.” તેણે વધુમાં દાવો કર્યો કે તેના જીવનમાં પણ ઘણા ચમત્કારો થયા છે. તેમણે લોકોને તેમની મુંબઈની સભામાં મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી કરી હતી.
વિવાદો પ્રોફેટ બજિન્દર સિંહની આસપાસ ફરે છે
પ્રોફેટ બજિન્દર સિંહ પંજાબના એક વિવાદાસ્પદ પાદરી છે જેઓ તેમની કથિત ‘ચંગાઈ મીટિંગ્સ’ માટે ઘણી વખત હેડલાઈન્સમાં આવ્યા છે જ્યાં તેઓ ચમત્કારો અને ઉપચાર કરવાનો દાવો કરે છે. સિંહનો જન્મ હરિયાણાના યમુનાનગરમાં જાટ પરિવારમાં થયો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને હત્યાના કેસમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તે એક પાદરીના સંપર્કમાં આવ્યો હતો અને ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યો હતો.
“તે દરરોજ બાઇબલ વાંચતો હતો અને બાદમાં ધર્મપરિવર્તન કર્યું હતું.” પોલીસ અધિકારીઓએ તપાસની જાણકારી આપતા જણાવ્યું હતું. 2012 માં તેમના વ્યવસાયની શરૂઆત કરીને, બજિન્દર સિંહે ‘હીલિંગ’ માટે રવિવારની પ્રાર્થના સભાઓ યોજવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે લોકપ્રિય બન્યા હતા.
2018 માં, પંજાબના જીરકપુરમાં કથિત બળાત્કારના કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સિંઘને પોલીસ દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો હતો જ્યારે જાતે બની બેઠેલો ક્રિશ્ચિયન ગોડમેન લંડનની ફ્લાઈટમાં સવાર થવાનો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે સિંઘે 2017માં તેને વિદેશ લઈ જવાના બહાને તેને લાલચ આપી હતી.
ત્યારપછી તેણે ચંદીગઢ ખાતેના તેના ઘરે તેના પર જાતીય શોષણ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો, જેનો ઉપયોગ તે તેને ધમકી આપવા કરતો હતો. અહેવાલો સૂચવે છે કે પીડિતાએ આરોપી પાદરીને વિદેશ લઈ જવાનું વચન આપીને ત્રણ લાખની રકમ ચૂકવી હતી.
સિંહ પર ઈલાજના નામે લોકોને લૂંટવાનો આરોપ હતો. ગયા વર્ષે એપ્રિલમાં, તેમના પર તેમની મૃત પુત્રીને જીવંત કરવાનો દાવો કરીને એક પરિવાર પાસેથી રૂ. 80,000 લૂંટવાનો આરોપ હતો. શુભમ પંડિતે સિંહ સામેની ફરિયાદમાં ખુલાસો કર્યો હતો કે તેની બહેન નંદિની ઘણા વર્ષોથી કેન્સરથી પીડિત હતી. તેઓએ નાની ઉંમરે તેમના પિતા ગુમાવ્યા અને તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે ડોકટરોએ નંદિનીને છોડી દીધી, ત્યારે પંડિત એક સુવર્ણા ખેડેને મળ્યા જે પાદરી માટે કામ કરતી હતી. ત્યારબાદ પરિવારને પાદરીને મળવા માટે ચંદીગઢ બોલાવવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સિંહની આખી સાંઠગાંઠ પછી પરિવાર પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું અને તેમનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું. ખ્રિસ્તી પયગંબર દ્વારા છેતરપિંડી કરવામાં આવ્યા બાદ નિરાશ શુભમ પંડિતે કહ્યું, “મારી બહેન પાછી જીવતી ન થઈ, અમે લૂંટાઈ ગયા અને ધર્માંતરણ પણ કર્યું.”
ગયા વર્ષે ઓગસ્ટમાં, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ ચંદીગઢના ડેપ્યુટી કમિશનર મનદીપ સિંહ બ્રારને પત્ર લખીને બળજબરીથી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ માટે સગીર છોકરાનો ઉપયોગ કરવા બદલ સિંઘ સામે પગલાં લેવાની માંગ કરી હતી. એક બાળક દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કમિશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
Late ….But still vibing on “Mera yeshu yeshu …Mera yeshu yeshu “🤣🤣🤣🤣🤣Damn too hilarious 🤣👌 Behan bolne lagi 😭😭😭😭 pic.twitter.com/CECearb9iv
NCPCR, તેના પત્રમાં, નોંધ્યું છે કે આવા વિડિયો અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને આવા હેતુઓ માટે બાળકોનો ઉપયોગ કરે છે, આમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 નું ઉલ્લંઘન કરે છે. આ બાબતને ગંભીરતાથી લેતા, NCPCR એ ડેપ્યુટી કમિશનરને આ બાબતે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગયા વર્ષે નવેમ્બરમાં, પંજાબના ભૂતપૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની અને અભિનેતા સોનુ સૂદ મોગામાં તેમની મીટિંગમાં હાજરી આપવાના હતા તે પછી તે હેડલાઇન્સમાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદે તેમની સામે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું, ત્યારબાદ સીએમ ચન્નીએ આ કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. હિંદુ સંગઠને ટ્વિટ કર્યું કે કેવી રીતે પંજાબના મોગામાં પાદરી બજિન્દર સિંહની હીલિંગ મીટિંગ સામે હિંદુ-શીખ સમુદાયના વિરોધને કારણે ગઈકાલે મુખ્યમંત્રી અને અન્ય મહેમાનોના આગમન તેમજ સેંકડો લોકોના ધર્માંતરણને અટકાવવામાં આવ્યું હતું. “ગેરકાયદેસર ધર્માંતરણ ક્યાંય પણ સહન કરવામાં આવશે નહીં”, VHPએ ટ્વિટ કર્યું હતું.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારતમાં સ્વ્છતા બાબતે લોકો જાગૃત થયા છે પરંતુ ઘણા લોકો સ્વછતા જાળવવા માટે શોર્ટકટ વાપરતા હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળામાં બન્યો છે. શાળાની બહારની દીવાલો પાસે કોઈ કચરો ન નાખી જાય તેના માટે દીવાલની બહાર ફરતે ગણપતિની તખતીઑ લગાવી દીધી હતી. અહિયાં ભગવાનની ભક્તિનો હેતુ ના હતો પરંતુ તે તકતીની આડમાં થનારા દુરપયોગનો હતો. તેના વિરુદ્ધમાં બજરંગ દળનું અભિયાન શરૂ થયું છે.
આ વાતની જાણ બજરંગદળના કાર્યકર્તાઓને થતાં તેઓ શાળા સુધી પહોચી સંચાલકોને તખતી હટાવી દેવા માટે વિનંતી કરી હતી, પરંતુ વાત માનવાના બદલે તેઓ એ પોલીસ સ્ટેશનમાં બજરંગદળના કાર્યકર્તાઓ વિરુદ્ધ અરજી કરી હતી. મેમનગરના બજરંગદળના પ્રમુખ સાથે ઑપઈન્ડિયાએ વાત કરતાં હિરેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે “અમે પહેલા શાળા સંચાલકોને મળીને સમજાવ્યા હતા કે શાળાની ફરતે ગણપતિના ફોટાની આજુ બાજુ ગંદગી થાય છે ઉપરાંત લોકો પેશાબ પણ કરી જાય છે જે ગણપતિજીનું અપમાન છે, પરંતુ અમારી લાગણીને માન આપવાના બદલે તેઓએ અમારી વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી.”
ઑપઈન્ડિયા ના એક સવાલના જવાબમાં હિરેનભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે “અમે લોકોએ આવી રીતે દેવી દેવતાઑના ફોટાઓનો દૂરપયોગ થાય છે તે સ્થળે જઇને અમે લોકો ફોટા હટાવવા માટે વિનંતી કરીએ છીએ, અમે હમણાં સુધી 08 અલગ અલગ જગ્યા પર જઈને 100થી વધુ ફોટાઓ હટાવ્યા છે. કશે પણ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થયું નથી, પરંતુ શાળા સંચાલકોનું વલણ ‘ચોરી ઉપર સે સીના જોરી’ જેવુ હતું માટે અમે જાતે જ સ્થળ પર જઇને ગણપતિજીની તકતી હટાવીને ટ્રસ્ટીનો જ ફોટો લગાવ્યો હતો.”
બજરંગદળના કાર્યકર્તાઓ શાળા પહોચી જઈને દીવાલ પર જેટલી પણ તખતીઓ હતી તે બધી જ તખતીઓ ઉખાડી મૂકી હતી. તેઓનું કહેવું હતું કે અહિયાં લોકો કચરો નાખે છે ગંદગી કરે છે, પેશાબ પણ કરે છે. આ બધા કારણથી ભગવાનનું અપમાન થઈ રહ્યું હતું. ટ્રસ્ટીને પાઠ ભણાવવા માટે તેઓએ ટ્રસ્ટીના ફોટા જ તે દીવાલ પર ચોટડી દીધા હતા.
એક ન્યૂઝ પેપરને જવાબ આપતા ટ્રસ્ટી એ કહ્યું હતું કે “આ તખતીઓ પાંચ વર્ષથી લાગેલી છે, અમે તેની સાફ સફાઈ પણ રાખીએ છીએ.” જો કે બજરંગદળ પ્રમુખ હિરેનભાઈનું કહેવું છે કે “ભગવાનની પુજા કરવી હોય તો શાળા અંદર કરાવે, આમ ગંદગીમાં શું કામ? આ ફોટાઓનો દૂરપયોગ જ હતો, જે અમારાથી સહનના થતાં અમે ફોટા હટાવ્યા છે. શાળા સંચાલકો સફાઈ રાખવા માટે અથવા લોકો ગંદગી ના કરે તેના માટે બીજી વ્યવસ્થા કરી શકે આમ ભગવાનના ફોટાઓનો ઉપયોગ ના જ કરે.”
બજરંગદળે ફોટા હટાવો અભિયાન હેઠળ હમણાં સુધી 08 જ્ગ્યા પર જઈને 100થી વધુ ભગવાનના ફોટાઓ હટાવ્યા છે. બજરંગ દળનું અભિયાન હજુ પણ ચાલુ જ રહેશે આ વાત ઑપઈન્ડિયા સાથે વાત કરતી વખતે હિરેનભાઈ રબારીએ કહી હતી.
કાલોલ નગરમાં ગધેડી ફળીયામાંથી પસાર થતો વરધોડા રબ્બાની મસ્જીદ પાસે પહોચતા ડી.જે વગાડવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મુસ્લિમ ટોળા રસ્તાપર આવી ગયા હતાં. જોતજોતામાં મુસ્લિમ ટોળાએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતાં વરરાજાના પિતા સહીત ચારને ઇજાઓ થઇ હતી. બેકાબુ બનેલા ટોળાંઓ વિસ્તારની બાઇકો તથા લારીઓની તોડફોડ કરીને ભારે નુકસાન કરીને કાલોલમાં ભયનો માહોલ સર્જયો હતો.
બનાવની જાણ કાલોલ પોલીસને થતાં વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત તોફાની તત્વોની પોલીસે અટકાયત કરી હતી. જયારે કાલોલ પોલીસ મથકે પીડિત પક્ષે ફરીયાદ નોધાવી હતી. કાલોલ નગરના ગધેડી ફળીયામાં રહેતા યુવકના લગ્નનો વરધોડો કાલોલ શહેરના વિવીધ વિસ્તારમાંથી ફરીને ગધેડી ફળીયાના રબ્બાની મસ્જીદ પાસે પહોચ્યો હતો, જ્યાં મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
મસ્જીદ નજીક આવતા વરઘોડાનું ડી.જે બંધ કરવામાં આવ્યું હતું. મસ્જીદ પાસે ડી.જે વગાડવાની બાબતે લઇને મુસ્લીમો એ ઉગ્ર બોલાચાલી કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કરીને વિસ્તારની 3 થી વધુ બાઇકો, છકડો, તેમજ લારી-ગલ્લાઓમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોચાડયું હતું.
દરમિયાન મુસ્લિમ ટોળાએ વરઘોડાની બગી પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ટોળાએ હાથમાં લાકડીઓ લઇને વિસ્તારમાં આતંક મચાવીને વાહનો તથા લારીઓની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં વરરાજાના પિતા અને એક મહિલા સહીત 4 ને ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવતાં હિંસક બનેલું ટોળું ભાગી ગયું હતુ.
પીડિત પક્ષ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ
ઘટનામાં પીડિત પક્ષ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં, લુકમાન ઇબ્રાહીમ ધોડાવાલા, રમજાન ઉફે કોગજ શબ્બીર ધોડાવાલા, મજીત ઉફે રજજાક ગામણ ઇસ્માઇલ શેખ, હુસેન ઇસ્માઇલ ધાંચી શેખ, શોયેબ અબ્દુલ સલામ કાનોડીયા, ઇદરીશ ઇસુબ શેખ, સલમાન ઇદરીશ પટેલ(ટેલર), હારૂન, ફારૂક એકસપર્ટ ગેરેજવાળો,હુસેન ગામણ, સાહીલ જમાલ, અનીશ રાજા, ઇલુશાકભાજી વાળી, અલ્તાફ ઉફે કોગજ શ્બ્બીર ધોડાવાલા તથા અન્ય 100 માણસના ટોળાના વિરુધમાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી, મુસ્લિમ પક્ષ દ્વારા પણ સામી ફરિયાદ આપવામાં આવી હતી.
કાલોલમાં પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે “પોલીસે વિસ્તારમાં કોમ્બીગ કર્યું હતું. વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે સાત તોફાની તત્વોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા વધુ તોફાનીતત્વોની પકડવાની કાર્યવાહી કરી રહી છે”
કાલોલના ગધેડી ફળીયા વિસ્તારમાં અવારનવાર આવા તોફાનો થયા છે. થોડા સમય પહેલાજ ગધેડી ફળીયામાં મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો, અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આજ ગધેડી ફળીયામાં સોમવારની રાતે વરધોડાના ડી.જે. વગાડવાની બાબતને લઈને મુસ્લિમો દ્વારા પથ્થરમારો થયો હતો. આમ કાલોલનુ ગધેડી ફળીયું કોમી છમકલાનું એપી સેન્ટર બનવા તરફ જઈ રહ્યું છે, જો આ વિસ્તારના તોફાની તત્વોને કાબુમાં લેવામાં નહિ આવે તો આવનારા સમયમાં મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવો ડર આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓને સતાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કહેતા જોવા મળે છે કે તેઓ પંજાબના શિક્ષકોને હેવર્ડ મોકલાશે. ત્યારથી, આ વીડિયોને ઘણા પ્લેટફોર્મ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે.
વીડિયોમાં માન એક ફંક્શન દરમિયાન ભીડને સંબોધતા દેખાઈ રહ્યા છે. તેમના ભાષણ દરમિયાન, તેઓ કહે છે કે દિલ્હીની જેમ જ પંજાબની સરકાર રાજ્યના શિક્ષકોને તાલીમ માટે વિદેશ અને યુનિવર્સિટીઓમાં મોકલશે. તે કહે છે, “દિલ્હી સરકારની જેમ જ પ્રિન્સિપાલ, વાઈસ-પ્રિન્સિપાલ અને હેડમાસ્ટરને ટ્રેનિંગ માટે વિદેશ મોકલવામાં આવશે.”
“70-80 ની બેચને સ્વિત્ઝર્લેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર અને ઓક્સફોર્ડ અને ‘હેવર્ડ’ જેવી સંસ્થાઓને સરકારના ખર્ચે વ્યાવસાયિક તાલીમ માટે મોકલવામાં આવશે જેથી કરીને તમે પાછા આવી શકો અને તે ક્ષમતાઓને રોજગારી આપી શકો,” તે વધુમાં ઉમેરે છે.
વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે માન પંજાબના શિક્ષકોને હેવર્ડ મોકલાશે એવું ખોટી રીતે બોલે છે અને હાર્વર્ડનો ઉચ્ચાર હેવર્ડ કરે છે. કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર તેની ભૂલ દર્શાવી અને તેને હેવર્ડ્સ 5000 બીયર સાથે સરખાવી.
અન્ય એક ટ્વિટર યુઝરે ફોટો સાથે માનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હેવર્ડ અને હાર્વર્ડ બંને અલગ અલગ છે. Haywards 5000 એ ભારતમાં પ્રખ્યાત બીયર બ્રાન્ડ છે. યુઝર્સે તેને બહાર લાવ્યું જ્યારે માન તેની કથિત પીવાની ટેવને કારણે હાવર્ડને બદલે હેવર્ડ કહે છે, જે હવે તે બંધ થઈ ગયો હોવાનો દાવો કરે છે.
પ્રખ્યાત ગીતકાર અદનાન સામીએ પીએન આ વિડીયો પર ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, “પંજાબના શિક્ષકોને ‘હેવર્ડ’ જેવી મોટી સંસ્થામાં તાલીમ આપવામાં આવશે… કૂલ…”
ભગવંત માનની દારૂ પીવાની આદત લાંબા સમયથી વિવાદનો વિષય રહી છે. માને તાજેતરમાં નશાની હાલતમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ 15 એપ્રિલે દાવો કર્યો હતો કે પંજાબના મુખ્ય પ્રધાન અને AAP નેતા ભગવંત સિંહ માન 14 એપ્રિલે દેશભરમાં મનાવવામાં આવતી બૈસાખીના દિવસે નશામાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. સંગઠને પૂછ્યું હતું કે પંજાબ મુખ્યમંત્રી માફી માંગે. લોકસભામાં માન પર જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે નશામાં હતા ત્યારે તેઓ ગૃહમાં હાજર થયા હોવાના અનેક આક્ષેપો પણ થયા છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમા ઓટો રીક્ષા ચાલક જાવેદ બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, આ એજ જાવેદ છે જે કોરોના કાળમાં પોતાની રીક્ષાને એમ્બ્યુલન્સ બનાવીને ચર્ચામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસી નેતાઓએ પણ કથીત રીતે લોકોની મદદ કરવા વાળા જાવેદ પર ગૌરવ અનુભવતા હતા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે તો ટ્વિટ કરીને તેને કોરોના વોરિયર્સ સુદ્ધાં કહી દીધો હતો.
રિપોર્ટ્સ અનુસાર આરોપી રીક્ષા ચાલક જાવેદ પોતાના મકાનમાં રહેવા વાળી મહિલાને પહેલાતો બહેન બનાવી, બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો. આરોપી જાવેદ થી ત્રાસીને મહિલાએ 15 દિવસ પહેલાજ પોતાના પરિવાર સાથે મકાન ખાલી કરી નાંખ્યું હતું, આજ તકના અહેવાલ મુજબ મહિલાનો આરોપ છે કે જ્યારે તે ઘરમાં એકલી રહેતી હતી ત્યારે જાવેદ તેની સાથે છેડછાડ કરતો હતો, ત્યાર બાદ તેણે તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો.
બળાત્કારનો ભોગ બનનાર એશબાગ વિસ્તારમાં રહેવા વાળી 27 વર્ષની મહિલા પરણીત છે, તેણે જણાવ્યું હતું કે એશબાગ વિસ્તારમાં રહેવાવાળા 35 વર્ષના જાવેદ ઉર્ફે ચાંદના મકાનમાં તે બે મહિના સુધી ભાડે રહી હતી. તેણે માર્ચ મહિનામાં મકાન ભાડા ઉપર રાખ્યું હતું, તે સમયે જાવેદ તેને બહેન કહેતો હતો પરંતુ થોડા સમય બાદ જ તેણે અસલ રંગ બતાવવાનું ચાલું કર્યું હતું. ઘણી વખત તેના પતિના ગયા બાદ તે રૂમમાં આવી જતો હતો, પહેલા તો આ છેડછાડ મહિલાને મજાક લાગતી હતી પરંતુ ધીમે ધીમે તેની હરકતો વધવા લાગી હતી.
પીડિતાએ જ્યારે આ વાત પોતાના પતિને કહી, તો તેના પતિનો જાવેદ સાથે આ બાબતને લઈને ઝઘડો પણ થયો હતો. આ ઝઘડા બાદ પતિ-પત્ની બંને એ જાવેદ નું મકાન ખાલી કરી નાખ્યું હતું, તને બીજી જગ્યા પર રહેવા ચાલ્યા ગયા હતા, પરંતુ તે પછી પણ જાવેદે તેમનો પીછો છોડ્યો ન હતો. અને હેરાનગતિ ચાલુ રાખી હતી, આટલું જ નહીં પરંતુ પીડિતાને જાહેરમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસ સ્ટેશન જઈને જાવેદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આરોપી જાવેદ પોતે પણ પરણીત હોવાનું સામે આવ્યું છે.
જણાવી દઈએ કે એશબાગ વિસ્તારમાં રહેવા વાળો રીક્ષા ડ્રાઈવર જાવેદ લગભગ એક વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો, કોરોના ની બીજી લહેર વખતે જાવેદે પોતાની રીક્ષાને કથિત રીતે એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી હતી, તેની રીક્ષામાં તેણે ઓક્સિજન સિલેન્ડર પણ લગાવ્યો હતો. તે કહેતો હતો કે નિશુલ્ક ઓક્સિજન, અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરતો હોવાનું કહ્યું હતું .
સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ પર સુનાવણી કરતા રાજદ્રોહ કાયદા પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પુનર્વિચાર સુધી રાજદ્રોહના કાયદા 124A હેઠળ કોઈ પણ નવો કેસ દાખલ કરવામાં ન આવે. આ મામલે કેન્દ્ર રાજ્ય સરકારોને ગાઈડલાઈન પણ જારી કરશે.
કોર્ટે હાલ ચાલતા કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે એમ પણ કહ્યું છે કે જેમની વિરુદ્ધ રાજદ્રોહના આરોપસર કેસ ચાલી રહ્યા છે અને આ આરોપમાં જેઓ જેલમાં બંધ છે તેઓ જામીન માટે જે-તે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકે છે. હવે આ મામલે જુલાઈમાં સુનાવણી થશે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કાયદા અને તેની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટ ખાતે સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ એન.વી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને રાજદ્રોહની કલમ અંગે પુનર્વિચાર કરવાની મંજૂરી આપતા કહ્યું કે, પુનર્વિચારની પ્રક્રિયા પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી આ કાયદાનો ઉપયોગ થવો ન જોઈએ. સાથે કોર્ટે આશા વ્યક્ત કરતા કહ્યું કે, 124A પર ફરીથી વિચારની પ્રક્રિયા પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી કોઈ કેન્દ્ર કે રાજ્ય સરકાર આ કલમ હેઠળ કેસ દાખલ નહીં કરે.
હાલ આ કાયદા પર રોક લગાવવામાં નહીં આવે : કેન્દ્રની અપીલ
દરમ્યાન, કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, રાજદ્રોહના આરોપસર એફઆઈઆર દાખલ કરવાનું બંધ કરી શકાય નહીં કારણ કે આ પ્રાવધાન એક સંગીન અપરાધ સાથે સબંધિત છે અને 1962 માં એક બંધારણીય પીઠે પણ તેને યથાવત રાખ્યો હતો. કેન્દ્રે રાજદ્રોહના બાકી કેસો મામલે કોર્ટને સૂચન કર્યું કે, આ પ્રકારના કેસમાં જામીન અરજીઓ જલ્દીથી સુનાવણી કરવામાં આવે કારણ કે સરકાર દરેક કેસની ગંભીરતાનું આકલન કરી શકે નહીં અને આ કેસો આતંકવાદ, મની લોન્ડરિંગ વગેરે જેવી બાબતો સાથે પણ જોડાયેલા હોય શકે છે.
સરકારે કોર્ટમાં જણાવ્યું કે કેન્દ્રે રાજ્ય સરકારોને જારી કરવા માટેના આદેશનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જે અનુસાર રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ હશે કે જિલ્લા પોલીસ પ્રમુખ (એસપી) કે તેમનાથી ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરી વગર રાજદ્રોહની ધારાઓ હેઠળ એફઆઈઆર દાખલ થઇ શકાશે નહીં. જેની સાથે સરકારે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે હાલ આ કાયદા પર રોક લગાવવામાં ન આવે.
આ ઉપરાંત, સરકાર પક્ષેથી સોલિસિટર જનરલે એમ પણ જણાવ્યું હતું કે આ જામીનપાત્ર કલમ છે અને તમામ ચાલી રહેલા કેસની ગંભીરતાનું વિશ્લેષણ કરવું અને આકલન કરવું કઠિન છે. આ સંજોગોમાં કોર્ટ અપરાધની પરિભાષા પર રોક લગાવે તે યોગ્ય હોય શકે નહીં.
બીજી તરફ, અરજદાર તરફથી દલીલ કરતા વકીલ કપિલ સિબ્બલે માંગ કરી હતી કે રાજદ્રોહ કાનૂન પર તત્કાલ રોક લગાવવાની જરૂર છે. આ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહના કાયદાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ સાથે નોંધ્યું કે નાગરિકોના અધિકારોની રક્ષા સર્વોપરિ છે.
સોમવારે (9 એપ્રિલ), મૃતક રોઇટર્સ ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અદનાન આબિદી, સન્ના ઇર્શાદ મટ્ટુ અને અમિત દવે નામના 3 અન્ય લોકો સાથે ‘ફીચર ફોટોગ્રાફી’ માટે તેમને મરણોત્તર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનિશને આ પુરસ્કાર બીજી વખત મળી રહ્યો છે.
The Pulitzer Prize for feature photography is awarded to Adnan Abidi, Sanna Irshad Mattoo, Amit Dave and the late Danish Siddiqui of Reuters for the coverage of COVID in India https://t.co/qiFwmaxrLMpic.twitter.com/R0KjZVwx0h
દાનિશ સિદ્દીકીએ તેની તસવીરો દ્વારા ભારતના કોવિડ -19 મૃત્યુની મજાક ઉડાવી હતી.
કોવિડ -19 રોગચાળાના બીજા વેવ દરમિયાન, દાનિશ સિદ્દીકીએ તકવાદી રીતે પોતાના ફાયદા માટે લોકોના દુઃખને ટાંક્યું હતું. તેણે મૃતકોના પરિવારના સભ્યોની ગોપનીયતા અથવા લાગણીઓને ધ્યાનમાં લીધા વિના મૃત કોવિડ -19 દર્દીઓની ચિતા સળગાવવાની બહુવિધ છબીઓ પોસ્ટ કરી હતી.
ગયા વર્ષે 22 એપ્રિલના રોજ એક ટ્વીટમાં, રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટે લખ્યું હતું કે, “જેમ કે ભારતે કોવિડ કેસનો વિશ્વ રેકોર્ડ પાર કર્યો છે, જે લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા હતા તેમના અંતિમ સંસ્કારની ચિતાઓ 22 એપ્રિલ, 2021, નવી દિલ્હીમાં એક સ્મશાનભૂમિ ખાતે ચિત્રિત કરવામાં આવી હતી.”
સિદ્દીકીએ રોગચાળાના તેમના અસંવેદનશીલ કવરેજ પર ગર્વ અનુભવ્યો હતો, જેણે આખરે દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર પુરસ્કાર જીતાડ્યો. વુહાન કોરોના વાયરસ ફાટી નીકળયા બાદ ભારત સરકાર અને અગણિત ફ્રન્ટલાઈન કામદારો દ્વારા કરવામાં આવેલા સર્વશ્રેષ્ઠ પ્રયાસોને નકારી કાઢવા માટે તેમના ચિત્રોને હથિયાર બનાવવામાં આવ્યા હતા.
As India posted world record of COVID cases funeral pyres of people, who died due to the coronavirus disease were pictured at a crematorium ground in New Delhi, April 22, 2021. @Reuters#CovidIndiapic.twitter.com/bm5Qx5SEOm
કેવી રીતે રોઇટર્સે હિંદુઓના મૃત્યુમાં પણ તેમનું ગૌરવ નકાર્યું હતું.
2020 માં કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી સમગ્ર વિશ્વમાં લોકો મૃત્યુ પામ્યા હતા, અને હજુ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. પરંતુ તેમના અંતિમ સંસ્કાર માટે ગીધવાદ અને રોગિષ્ઠ વળગાડ કોઈક રીતે ફક્ત ભારતમાં જ જોવા મળ્યો હતો, એ પણ પાશ્ચાત્ય પ્રકાશનો માટે કે જેઓ ખરેખર ભારતીયોને, ખાસ કરીને, હિન્દુઓને ગૌરવ આપવાનું ધ્યાન રાખી શકતા નથી.
જ્યારે ઘણા લોકોએ દાનિશની તેની વીરતા માટે પ્રશંસા કરી હતી, ત્યારે રોઇટર્સે હિંદુઓના અગ્નિસંસ્કારની છબીઓથી પૈસા કમાયા હતા. રોઇટર્સનો હિંદુઓને સળગતા જોવાનો આ રોગી શોખ લોકોને કોવિડ-19 વિશે કહેવા સાથે સંબંધિત ન હતો.
કોવિડ-19 વિશે લખવા અને લોકોને જણાવવા માટે કે પરિસ્થિતિ કેટલી ચિંતાજનક હતી, કોઈએ તેમની વેબસાઈટ પર અને પ્રકાશિત થયેલા બહુવિધ લેખોમાં તેમના ફ્રન્ટ પેજ પર હિંદુઓને અગ્નિદાહ આપવાની તસવીરો સ્પ્લેશ કરવાની જરૂર નહોતી, પરંતુ રોઇટર્સ મૃત્યુમાં હિંદુઓની ગરિમાને નકારીને સ્મશાનગૃહની છબીઓને શણગારી હતી.
તાલિબાનો દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી
દાનિશ સિદ્દીકીની તાલિબાન દ્વારા 16 જુલાઈ, 2021 ના રોજ અફઘાનિસ્તાન જેવા યુદ્ધગ્રસ્ત દેશમાં એક અસાઇનમેન્ટ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. અફઘાન દળો અને ઇસ્લામવાદીઓ વચ્ચેની અથડામણોને આવરી લેવા માટે તેણે અફઘાન રાષ્ટ્રીય દળો સાથે સ્પિન બોલ્ડક પ્રદેશમાં મુસાફરી કરી હતી, જ્યાં તેનું મોત નીપજયું હતું.
પુલિત્ઝર પુરસ્કાર માટે હમેશા ભારત વિરોધીઓને અગ્રતા
નોંધનીય છે કે ન માત્ર દાનિશ સિદ્દીકી પરંતુ જે પણ પત્રકારોના વિચારો ભારત વિરોધી હોય છે એમને પુરસ્કાર માટે અગ્રતા અપાય છે. અને આ માટે હમેશા તેની નિંદા પણ થતી આવી છે.
મેગ્નમ ફાઉન્ડેશન દ્વારા ‘2021 ફોટોગ્રાફી એન્ડ સોશિયલ જસ્ટિસ ફેલોશિપ’ માટે પસંદ કરાયેલા 11 લોકોમાં સન્ના ઇર્શાદ મટ્ટુ પણ સામેલ છે. આ કાર્યક્રમને જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે ટેકો આપવામાં આવે છે, જે મીડિયા અને ‘નાગરિક સમાજ’ દ્વારા ભારત વિરોધી કથાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે.
સન્નાનું મોટા ભાગનું કામ ભારતીય સુરક્ષા દળોને કાશ્મીર ખીણમાં સ્થાનિક લોકો માટે ‘દમનકારી’ અને વિરોધી તરીકે દર્શાવવા પર કેન્દ્રિત હોય છે. આ પ્રદેશને ઇસ્લામિક ઉગ્રવાદીઓ તરફથી સતત ખતરો છે તે જોતાં, સુરક્ષા દળોએ હંમેશા હાઇ એલર્ટ પર રહેવાની જરૂર છે. આતંકવાદી હુમલાની શક્યતાઓને નિષ્ફળ બનાવવા માટે તેઓને સર્વેલન્સ કામગીરી હાથ ધરવા અને રાહદારીઓની વારંવાર પૂછપરછ કરવાની ફરજ પાડવામાં આવે છે. આ બધું નિર્દોષ કાશ્મીરીઓની સુરક્ષા માટે છે તે જાણતા હોવા છતાં, સન્નાએ ‘રક્ષકો’ને ખલનાયક તરીકે રંગવાની તક ઝડપી લેતી હોય છે.
Central Reserve Police Force were seen stopping passenger vehicles and asking the passengers to step out and line up for searches. Passengers were asked for identity proofs in Srinagar, Kashmir on Wednesday, October 20, 2021.#Kashmirpic.twitter.com/KlMDbpHfEW
પુલિત્ઝર પુરસ્કાર પર વારંવાર અનેક ગેરનીતિના આરોપ લાગતાં આવ્યા છે. પુલિત્ઝર પુરસ્કારમાં ન્યુ યોર્ક ટાઈમ્સના પત્રકારોને અધિક મહત્વ આપવામાં આવે છે એ બાબત પર પ્રકાશ પાડતા ઈઝરાયેલના એક પત્રકારે પુરાવા આધારિત એક ટ્વિટર થ્રેડ રજૂ કરીને સાબિત કરવાનો પર્યટન કર્યો કે પુલિત્ઝર અને ન્યુયોર્ક ટાઈમ્સ વચ્ચે સાંઠગાંઠ છે.
Pulitzer Prizes were announced yesterday. As you may know, @nytimes has more Pulitzers than any other newspaper.
What you don’t know is how many of those are ill-gotten. A 🧵👇
— Ashley Rindsberg (@AshleyRindsberg) May 10, 2022
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સ્થિત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલ પ્રદર્શન માટે હિંદુ દેવી-દેવતાઓનાં વાંધાજનક ચિત્રો બનાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા હવે યુનિવર્સીટીએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
મંગળવારે (10 મે 2022) મળેલી સિન્ડીકેટ બેઠકમાં દેવી-દેવતાઓના વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર યાદવને યુનિવર્સીટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તદુપરાંત, ડીન-વાઈસ ડીન સહિતના અધ્યાપકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
વિવાદ બાદ નવ સભ્યોની બનેલી સત્યશોધક સમિતિએ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાદ સંકલન સમિતિએ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, સત્તાધારી જૂથે કોઈ પણ અધ્યાપકને સસ્પેન્ડ કરતા પહેલાં તેમનો પક્ષ મૂકવાની તક આપવા માટે અપીલ કરી હતી. જે બાદ જવાબદાર લોકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવાનું નક્કી કરાયું હતું.
સિન્ડીકેટની બેઠક બાદ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલ, વાઈસ ડીન કશ્યપ પરીખ, સ્ક્પલ્ચર વિભાગના કાર્યકારી પ્રમુખ શાંતા સરવૈયા, ગ્રાફિક્સ પેઈન્ટીંગના અધ્યાપકો ઇન્દ્રપ્રમિત રોય, અકિલ અહેમદને કારણ દર્શક નોટીસ પાઠવીને ઘટના અંગે ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ તેમાંથી કોઈ દોષિત ઠરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
ડીન સહિતના છ અધ્યાપકોને પાઠવવામાં આવેલ નોટીસના જવાબો મળ્યા બાદ આ મામલે ફરીથી યુનિવર્સીટીને રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, સમગ્ર વિવાદ બાદ ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા કોડ ઓફ કંડક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નિર્ણયનું સ્વાગત, સંડોવાયેલા તમામ લોકો પર કાર્યવાહી થાય : એબીવીપી
સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિવેદન જારી કરીને નિર્ણયને આવકારવામાં આવ્યો છે. લેખિત નિવેદનમાં સંગઠને જણાવ્યું છે કે, ‘દેશની અસ્મિતા અને સંસ્કૃતિના થયેલા અપમાનને ન્યાય મળ્યો છે અને ફરી એક વખત સત્યનો વિજય થયો છે. સાથે હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા દરેક લોકો પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી.’
ડીન, અધ્યાપકોનાં નિવેદનોમાં વિરોધાભાસ
વધુમાં, ફાઈન આર્ટ્સ ફેક્લ્ટીમાં થયેલા સમગ્ર વિવાદ મામલે નીમવામાં આવેલ નવ સભ્યોની સત્યશોધક સમિતિએ ગઈકાલે રિપોર્ટ રજૂ કરતાં નોંધ્યું હતું કે આ મામલે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી ડીન અને અધ્યાપકોએ સતત પોતાનાં નિવેદનો બદલ્યાં હતાં. જે બાદ પ્રકરણમાં શંકાઓ તેજ બની છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, સ્કપલ્ચર વિભાગના હેડ શાંતા સરવૈયાએ સમિતિને તપાસના પ્રથમ દિવસે જણાવ્યું હતું કે, વિવાદિત આર્ટ વર્ક જોયા બાદ સવારે કઢાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે બીજી વખત હાજર થતી વખતે જ્યુરીએ જોયા પછી તેમના કહેવાથી બપોરે આર્ટ વર્ક કાઢવાની સૂચના આપી હોવાનું કહ્યું હતું.
વિવાદ સર્જાયો તેના પ્રથમ દિવસે ફેકલ્ટી ડીને નિવેદન આપીને અમારે ત્યાં ચિત્રો બન્યાં જ નથી અને વાયરલ તસવીરમાં દેખાતી દીવાલ ફેકલ્ટીની નથી તેમ કહીને બચાવ કર્યો હતો. પરંતુ સમિતિ સમક્ષ તેમણે કહ્યું હતું કે, “મને કેવી રીતે ખબર હોય કે ચિત્રો બની રહ્યા છે. જેને હવાલો સોંપવામાં આવ્યો હતો તેમણે પણ જણાવ્યું નથી.
આ ઉપરાંત, પોલીસ ફરિયાદ પ્રમાણે વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદનકુમાર યાદવે ફરી પણ આવાં ચિત્રો બનાવીશ તેવું જણાવ્યું હતું. પરંતુ સમિતિ સમક્ષ નિવેદન આપતા માફી માંગતા કહ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઈ છે અને આવાં ચિત્રો ફરી નહીં બનાવું.
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના પણ સર્વેની માંગ ઉઠી છે. પક્ષકારોનું માનવું છે કે તાજમહેલના 20 બંધ ઓરડાને ખોલવામાં આવે, કારણકે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મુર્તિઓ હોવાની સંભાવનાઓ છે, જેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન પીડીપીની ચેરમેન અને જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ તાજમહેલને લઈને ભાજપ સરકારને મોટો પડકાર ફેંક્યો છે. મહેબુબા મુફ્તી ફરી વિવાદોમાં ઘેરાયા .
મહેબૂબા મુફ્તિએ કહ્યું છે કે જો એમનામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવીને દેખાડે, પછી જોઈએ છીએ કે કેટલા લોકો ભારતમાં તેને જોવા આવે છે, મહેબૂબાએ કહ્યું હતું કે ભાજપ લોકોને નોકરીઓ નથી અપાવી શકતું, મોંઘવારી ઉપર પણ કાબુ નથી કરી શકતા. દેશની સંપતી વેચાઈ રહી છે, દેશ આજે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ચુક્યો છે, પરંતુ આ લોકોને આ વાતની જરા પણ ચિંતા નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
મહેબુબાએ આગળ જણાવ્યું કે મુઘલોના સમયે જે વસ્તુઓ બની છે, જેમકે તાજમહેલ, મસ્જિદો, કિલ્લાઓ આલોકો તેની પાછળ પડીને તેને બગાડવા ઈચ્છે છે, તેનાથી તેમને કશું નથી મળવાનું. મહેબૂબાએ સરકાર પર આરોપ લગાવ્યો કે આ તમામ વિવાદો માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવા માટે ઉભા કરવામાં આવી રહ્યાં છે, આ બાબતે મુફ્તિ કહે છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે મુસ્લિમોની પાછળ લગાવી દેવામાં આવ્યા છે. જે પૈસા લુટીને વિદેશ ભાગી ગયા છે તેમને પકડવાના બદલે એ જગ્યાઓનો વિરોધ કરવા માંગેછે જેનું નિર્માણ મુઘલો દ્વારા કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે મંગળવાર (10 મે 2022) ના રોજ ઐતિહાસિક ઈમારત કુતુબ મિનાર પાસે કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, આ દરમ્યાન હિંદુ સંગઠનોએ વિરોધ દર્શાવતા કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની માંગ કરી હતી. ‘યુનાઇટેડ હિંદુ ફ્રંટ’ તરફથી કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની અપીલ કરવામાં આવી છે. યુનાઇટેડ હિંદુ ફ્રંટનું કહેવું છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે, આ મિનારનું નિર્માણ 27 જૈન અને હિંદુ મંદિરોને ધ્વસ્ત કરીને કરવામાં આવ્યો હતો.
જોકે મહેબૂબા મુફ્તિ તરફથી આવા નિવેદનો પહેલાં પણ આવી ચુક્યા છે, કેન્દ્ર પર તે હંમેશા નિશાન તાકતાં રહેતા હોય છે. આ ઉપરાંત પણ ઘણી વાર તે વિવાદાસ્પદ નીવેદનો આપતા રહ્યાં છે. થોડા દિવસો પહેલાંજ પાકિસ્તાની તરફેણમાં રાગ આલાપતા કહ્યું હતું કે કશ્મીરમાં શાંતિ સ્થાપવા પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરુરી છે, અને એટલે સુધી પણ કહ્યું હતું કે ઘાટીમાં ફોજી કાફલા વધારવાથી કશું નથી થવાનું.
જમ્મુ કશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ 2019 લોકસભા ચુંટણી વખતે ધમકી આપી હતી કે જો કોઈએ સંવિધાનની ધારા 370 હટાવી તો જમ્મુ કશ્મીર ભારતથી અલગ થઈ જશે, મહેબૂબા મુફ્તિએ એ પણ ધમકી આપી હતી કે જો કોઈ ધારા 370 અને 35 – A હટાવવાની કોશિશ કરશે, તેમના હાથ કાપી નાંખવામાં આવશે.