Thursday, September 19, 2024
More
    Home Blog Page 1051

    ઇસ્લામિક કટ્ટરપંથીઓની ઢાલ: નિર્દોષ બાળકોમાં રેડાઈ રહ્યુ છે કટ્ટરપંથી ઝેર, નુપુર શર્મા વિવાદમાં બાળકોનો ઉપયોગ

    મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલ, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તથાકથિત ઈશ નિંદા વિવાદ રોજ અલગ અલગ રંગ રૂપ ધારણ કરી રહ્યો છે. રોજ સવારે ટીવી ચેનલો અને ન્યુઝ પેપરો મુસ્લિમ ટોળાઓ દ્વારા કરાયેલી હિંસાની ખબરોથી ઉભરાઈ જાય છે. અલગ અલગ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લીમવાદી ધાર્મિક કટ્ટરતાનું ઝેર ઓકતી પોસ્ટોથી ખદબદી રહ્યું છે. તેવામાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

    યુઝર વિનોદ તાપડીયા પોતાના ટ્વીટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક મુસ્લિમ બાળકો ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના ફોટા વાળા પોસ્ટર પર જાહેરમાં પેશાબ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં મુસ્લિમ બાળકોનું ટોળું બુમો પડતું અને ચિચિયારીઓ કરતું જોવા મળી રહ્યું છે, કેટલાક લોકો બાળકોના ટોળાને બુમો પાડીને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.

    વિનોદ તાપડીયા વિડીયો પોસ્ટ કરત લખી રહ્યા છે કે “આ છે ભવિષ્ય,આંખો ખોલીને જોઇલો બધાં,અંધ ભક્તો પણ, અને નૈનસુખ અંધો પણ.” આ વિડીયો ક્યાંનો છે તથા કોણે બનાવ્યો છે તેની પુષ્ટી નથી થઇ શકી

    આ પહેલા પણ બાળકોનો હુલ્લડમાં ઉપયોગ

    બાળકોમાં આ પ્રકારનું ઝેર અને કટ્ટરતા ભરવા વાળા લોકો તેમના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે આટલુજ નહિ પરંતુ પ્રયાગરાજમાં થયેલી હિંસામાં પણ ઉપદ્રવીઓની રણનીતિમાં સગીર વયના બાળકો શામેલ હતા. તેઓએ 15 થી 20 વર્ષના છોકરાઓને હુલ્લડમાં આગળ ધકેલી દીધા. નુપુર શર્માની ધરપકડ કરવાની જગ્યાએ બાળકોએ ફાંસીના નારા લગાવવા માંડ્યા. જ્યારે પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પાછળથી મસ્જિદની છત પરથી પથ્થરો વરસવા લાગ્યા હતા. સગીર બાળકોને જોઇને અંતે પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ પછી અટાલાની ગલીઓમાં પોલીસ અને પથ્થરબાજો સામસામે આવી ગયા હતા. ટીયર ગેસના શેલ પણ ભીડને ભગાડી શક્યા ન હતા.

    આ પ્રકારની વધતી જતી ઘટનાઓ મુસ્લિમ બાળકોમાં ધાર્મિક વિરોધાભાસનું ઝેર ભરે છે. મુસ્લિમ કટ્ટરવાદી ટોળાઓ બાળકોનો ઢાલની માફક ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, મુસ્લિમ બાળકોના હાથમાં પથ્થર, મોઢામાં “સર તન સે જુદા” જેવા નારા, અને હિંસાત્મક દેખાવો.. આવનાર સમયમાં કઈ હદ સુધી જાય તે કહી શકાય નહિ, કારણકે ધર્માંધ થયેલા કટ્ટરવાદી મુસ્લિમ ટોળાઓ પોતાનીજ ભવિષ્યની પેઢીને અંધકાર તરફ લઇ જઈ રહ્યા છે.

    દાઝ્યાને ડામ: સતત ધમકીઓ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું, કટ્ટરપંથીઓની ધમકી “ગૌમૂત્ર પીનાર, તારું માથું કાપી નાખશું”

    નવીન જિંદાલે પલાયન કર્યું છે. પાર્ટીના દિલ્હી રાજ્ય પ્રવક્તા, જેમને પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે નવીન જિંદાલને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મોબાઈલ નંબર ‘+91 89861333931’ પરથી ફોન કોલનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને તેમણે લખ્યું કે તેમને અને તેના પરિવારના સભ્યોને હત્યાની ધમકી આપવામાં આવી છે. તેણે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી છે. આ ધમકીઓને કારણે નવીન જિંદાલ અને તેના પરિવારને દિલ્હી છોડવાની ફરજ પડી છે. અંતે નવીન જિંદાલે પલાયન કર્હ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

    તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને ફોલો કરી રહ્યા હતા અને તેની રેકી પણ થઈ છે. તેમણે ટ્વિટર પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, પૂર્વ દિલ્હીના ડીસીપી અને દિલ્હીના કમિશનરને ટૅગ કરીને ટ્વિટર પર કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેમને ધમકી મળી હોય. તેમને છેલ્લા ઘણા દિવસોથી આવી ધમકીઓ મળી રહી છે. તેને શનિવારે (11 જૂન, 2022) સવારે 11:38 વાગ્યે નવો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું શિરચ્છેદ કરવા માટે ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

    નવીન જિન્દાલે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી હતી કે, “મારી દરેકને ફરીથી નમ્ર વિનંતી છે કે મારા અને મારા પરિવારના સભ્યો વિશે કોઈપણ પ્રકારની માહિતી કોઈની સાથે શેર ન કરો. મારી વિનંતી છતાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર મારા રહેઠાણનું સરનામું પોસ્ટ કરી રહ્યા છે. મારા પરિવારના જીવને ઇસ્લામિક કટ્ટરપંથીઓથી ખતરો છે.” આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા મળતી ધમકીઓના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

    તે જોઈ શકાય છે કે ખાલીદ એમજે નામના યુઝરે લખ્યું છે કે, “તને એક અઠવાડિયાની અંદર મારી નાખવામાં આવશે. તૈયાર રહો.” શહાદત હુસૈન નામના વ્યક્તિએ તેમને લખ્યું, “તમારી હત્યા કરવામાં આવશે. બસ ઘરની બહાર નીકળ. હું તને ગોળી મારી દઈશ.” ઉર્દૂ નામ વાળા અન્ય એક વ્યક્તિએ તેમને ધમકી આપી હતી કે, “અરે ઓ ગાય પૂજક, અમે ટૂંક સમયમાં તારા અને તારા બાળકોના માથા કાપી નાખીશું.” અન્ય યુઝરે તેને ધમકી પણ આપી હતી.

    ખુર્રમે લખ્યું હતું કે, “હરામ#$%, કુતરાના પીલ્લા, ગૌમૂત્ર પીનારા, મદર#@#@$, તને શોધવા માટે હું મારા તમામ સંસાધનો કામે વળગાળી દઈશ, અને તને અને તારા પરિવારને ગોતીને કૂતરાની મોતે મારીશ, અને જો મારા મારવાના પહેલાજ તું મરી ગયો તો હું તારા ખાનદાનને મારીશ, હું મારા બાળકો અને પૌત્રોને તારા પરિજનોનું લીસ્ટ આપીશ જેથી તેઓ તારી આવનારી પેઢીને મારી નાંખે” આ ઉપરાંત અન્ય ઘણાં કટ્ટરવાદી મુસલમાન યુઝર્સ તેમને ગાળો આપતા અને જાનથી મારવાની ધમકી આપતા જોવા મળ્યા હતાં. આવી ધમકીઑ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું

    બાબાનું બુલડોઝર: જુમ્મા હિંસાના માસ્ટરમાઇન્ડ ઝફર હયાતના સાથી ઈશ્તિયાકની બહુમાળી ઈમારત જમીનદોસ્ત, જુઓ વીડિયો

    ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસામાં યોગી સરકારના બુલડોઝર આરોપીઓના ઘર સુધી પહોંચવા માંડ્યા છે. અહેવાલ છે કે આજે (11 જૂન 2022) કાનપુર હિંસાના મુખ્ય આરોપી ઝફર હયાતના નજીકના મિત્ર મોહમ્મદ ઇશ્તિયાકના ઘર પર વહીવટીતંત્ર દ્વારા કાનપુરમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમે અતિક્રમણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદે બાંધકામના કારણે તેની બહુમાળી ઇમારત તોડી પાડી હતી. તે જ સમયે, પ્રયાગરાજમાં પણ પોલીસે 5000 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે.

    કાનપુરમાં બુલડોઝરની કાર્યવાહી થવાનો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ શેર કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુલડોઝર દ્વારા ઊંચી ઇમારતને તોડી પાડવામાં આવી હતી. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્રેટરીએ કહ્યું, “KDA જમીન માફિયાઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. કાર્યવાહી ચાલુ છે. ભવિષ્યમાં આવા વધુ ગેરકાયદે બાંધકામો અને જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”

    આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઈશ્તિયાક પર નકશા પાસ કર્યા વિના ઈમારત ઉભી કરવાનો આરોપ હતો અને ત્યારબાદ રહેણાંક ઈમારતનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે અધિકારીઓએ આ કાર્યવાહી બાદ જણાવ્યું કે, “વર્ષ 2021 માં, આ ઇમારતને સીલ કરવામાં આવી હતી અને તોડી પાડવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આ પછી પણ બાંધકામનું કામ ચાલુ રહ્યું હતું. શનિવારે બિલ્ડીંગ તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન પ્રશાસન, પોલીસ અને આરએએફના અધિકારીઓ સ્થળ પર હાજર હતા.

    નોંધનીય છે કે, આ પહેલા 3 જૂન 2022ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસા કેસના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મીની 4 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને 5 જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે તોફાનીઓની યાદી જારી કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે તે દિવસે જ્યારે મોદી શહેરમાં આવ્યા પછી જ તોફાનીઓએ ધમાલ શરૂ કરી હતી.

    કાનપુરની જેમ આ શુક્રવારે પ્રયાગરાજમાં પણ રમખાણો પર યોગી સરકારની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે તેઓએ 70 નામાંકિત અને 5000 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. એસએસપીના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર એક્ટ અને NSA હેઠળ 29 મહત્વપૂર્ણ કલમોમાં કાર્યવાહી કરવામાં આવશે.

    ‘ચોરી ઉપર સે સીના જોરી’: કોંગ્રેસના ધારાસભ્ય એ મૃતક દંગાઈ માટે માગ્યા ₹50 લાખ માંગ્યા અને કહ્યું સરકારી નોકરી આપો

    કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ રાંચીમાં માર્યા ગયેલા તોફાનીઓ માટે ₹ 50 લાખ માંગ્યા હતા અને સરકાર પાસે માર્યા ગયેલા તોફાનીઓના પરિવારને સરકારી નોકરી આપવા કહ્યું હતું, કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ પોલીસ કાર્યવાહી ઉપર સવાલ ઉભા કર્યા હતા.

    ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ટીવી ડિબેટમાં આપેલા જવાબ બાદ શુક્રવારે (10 જૂન 2022) ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. તેમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કર્ણાટક વગેરેનો શમાવેશ થાય છે.

    ઝારખંડની રાજધાની રાંચીમાં પોલીસ પર હુમલો થયો, જેના કારણે પોલીસે ગોળીબાર કર્યો અને તેમાં 2 તોફાનીઓ માર્યા ગયા. હિંસાને જોતા રાજધાનીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ, વીડિયો વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.

    રાંચીમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા બે તોફાઓની ઓળખ મુદસ્સીર ઉર્ફે કૈફી અને મોહમ્મદ સાહિલ જણાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ પર પથ્થરમારો શરૂ થયો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી ત્યારે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. કેટલાક અહેવાલોમાં તોફાનીઓ તરફથી પણ ગોળીબાર થયો હોવાની વાત સામે આવી છે.

    ઝારખંડના જામતાડાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારીએ તોફાનીઓને બદલે પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ગોળીબાર માટે પોલીસની નિંદા કરતા, તેણે રાંચી એસપી સિટી પર કાર્યવાહી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

    તે જ સમયે, કર્ણાટકના બેલાગવી જિલ્લામાં કિલા રોડ પર એક દરગાહ પાસે નૂપુર શર્માનું પૂતળું લટકાવવામાં આવ્યું હતું. ભાજપ અને હિન્દુત્વવાદી નેતાઓની ફરિયાદના આધારે પોલીસે આ પૂતળાને હટાવી દીધું હતું. હિંદુ સંગઠનોએ આવું કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ડીસીપી બેલાગવીના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.

    મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા. નવી મુંબઈ નજીક પનવેલમાં લગભગ 2,000 મહિલા પ્રદર્શનકારીઓએ નુપુર શર્માને ફાંસીની સજાની માંગ કરી હતી. મુંબઈના વાશી, શિવજી પાર્કમાં ભીડે નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવા જ દેખાવો થાણે, ઔરંગાબાદ, પુણે, સોલાપુર, નંદુરબાર, ભંડારા, ચંદ્રપુર અને લાતુરમાં પણ થયા હતા.

    પશ્ચિમ બંગાળના હાવડામાં નૂપુર શર્માના વિરોધમાં ઉગ્રવાદી પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે નેશનલ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. આ દરમિયાન રસ્તા પર ટાયરો મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને દિલ્હી જઈને વિરોધ કરવા કહ્યું હતું.

    તે જ સમયે, લગભગ 1500 પ્રદર્શનકારીઓની ભીડ દિલ્હીની જામા મસ્જિદમાં પરવાનગી વિના એકઠી થઈ હતી. આ પછી પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યો, પરંતુ પોલીસે લગભગ 15 મિનિટમાં પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી. પોલીસે પરવાનગી વગર ભેગા થવા બદલ કેસ નોંધ્યો છે.

    દેશભરમાં હિંસક પ્રદર્શનો અને જાનથી મારવાની ધમકીઓનો સામનો કરી રહેલ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા વડોદરા-સુરતના હિન્દુ સંગઠનો

    પૈગંબર મુહમ્મદ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણીના આરોપમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્મા સામે દેશભરમાં વિરોધ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ કાલે રાતે અને આજે સવારે વડોદરાના હિન્દુ સંગઠનોએ જાહેરમાં આવીને નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરીને નારા લગાવ્યા હતા.

    ગઈ કાલે જુમ્માની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં હિંસક તોફાનો થયા હતા, જેમાં પથ્થરમારા અને આગચંપીના બનાવો પણ બન્યા હતા. ઘણી જગ્યાએ પોલીસ જવાનો પર પણ હુંમલા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરામાં ઇસ્લામવાદીઓએ શુક્રવારની નમાજ બાદ પોતાનો વિસ્તાર બાનમાં લીધો હતો. વડોદરામાં ગોરવા ફાટક પાસેના શાકમાર્કેટના રસ્તા પર મુસ્લિમોએ નૂપુર શર્માના ફોટાઓ પાથરીને પ્રદર્શન કર્યું હતું અને નારાએ તકબીરના નારા લગાવ્યા હતા.

    જે બાદ રાતના સમયે નૂપુર શર્માના સમર્થનમાં વડોદરાના હિન્દુ સંગઠનો આવ્યા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતા. ‘નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સવારે મુસ્લિમો સામે ઢીલી પડેલ પોલીસ સાંજે આ હિન્દુ સંગઠનોના શાંતિપૂર્ણ પ્રદર્શનને બંધ કરાવવા તરત જ પહોચી ગઈ હતી અને હિન્દુ સંગઠનોને સમજાવીને રસ્તેથી હટાવ્યા હતા.

    ત્યાર બાદ આજ સવારે બ્રહ્મસમાજ તથા અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં સુરતના પરશુરામ ગાર્ડન ખાતે નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે નૂપુર શર્મા સામે જે લોકો હિંસક વિરોધ નોંધાવી રહ્યા છે તે અયોગ્ય છે. તેઓ નૂપુર શર્માના સમર્થનમાં રસ્તા પર પણ ઉતરી પડશે અને દેશની અખંડિતતા માટે અંત સુધી નૂપુર સાથે ઊભા રહેશે.

    નોંધનીય છે કે પૂર્વ ભાજપ પ્રવક્તાને રોજ ઠેર ઠેરથી જાનથી મારવાની અને સિર કલમ કરવાની ધમકીઓ મળી રહી છે, તેમનું માથું વાઢવા માટે જુદા જુદા ઇનામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જે જોતાં હવે જુદી જુદી જગ્યાએથી હિન્દુ સંગઠનો તેમના સમર્થનમાં બહાર આવી રહ્યા છે.

    જુમ્માની નમાજ બાદ હિંસા: 227ની ધરપકડ, ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશેઃ સીએમ યોગીએ કહ્યું- અરાજકતાને સાંખી નહીં લેવાય

    હિંસાત્મક જુમ્મા બાદ યુપીમાં શુક્રવાર (10 જૂન, 2022)ની નમાજ પછી ઘણા જિલ્લાઓમાં પ્રદર્શનોની આડમાં હિંસા અને પથ્થરમારો થયો હતો. સહારનપુર, ફિરોઝાબાદ, મુરાદાબાદ અને આંબેડકર નગર જિલ્લામાં સમયસર પરિસ્થિતિને કડક નિયંત્રણમાં લાવવામાં આવી હતી, જ્યારે પ્રયાગરાજમાં તોફાનીઓએ ભારે અશાંતિ સર્જી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશાસનને હિંસક ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લામાંથી 227 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાત્મક જુમ્મા બાદ યુપી પોલીસ એકશનમાં જોવા મળી છે.

    અહેવાલો અનુસાર પ્રયાગરાજમાં સૌથી વધુ 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાથરસમાં 50, આંબેડકરનગરમાં 28, મુરાદાબાદમાં 25, સહારનપુરમાં 48 અને ફિરોઝાબાદમાં 8ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઈલેક્ટ્રોનિક પુરાવાના આધારે શોધખોળમાં લાગેલી છે. ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, બદમાશો પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવશે. હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ પણ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે.

    યુપી પોલીસે વિવિધ હેન્ડલ્સને પણ અફવાઓ ન ફેલાવવા ચેતવણી આપી અને તેવા લોકો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

    મુખ્યમંત્રીના આદેશ પર ગૃહ વિભાગે તમામ જિલ્લાઓ પાસેથી સ્થિતિનો રિપોર્ટ મંગાવ્યો છે. યોગી આદિત્યનાથે કહ્યું છે કે અરાજકતાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. યુપીના ગૃહ વિભાગે યુવાનોને બિનજરૂરી રીતે રસ્તા પર ફરવાની મનાઈ ફરમાવી છે.

    મળતી માહિતી મુજબ પ્રયાગરાજ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં પથ્થરમારામાં ADGના ગનર ઘાયલ થયા હતા. ખુદ જિલ્લા મેજિસ્ટ્રેટને ઈજાઓ થઈ હતી. આ હિંસા મુસ્લિમ બહુલ કારેલી વિસ્તારમાં થઈ હતી. અહીં પીએસી ટ્રક સળગાવી દેવામાં આવી હતી. અહીં સગીર છોકરાઓને પથ્થરમારો માટે આગળ કરવામાં આવ્યા હતા. પોલીસ તેમને સમજાવવાનો પ્રયાસ કરીજ રહી હતી કે અચાનક છત પરથી પથ્થરમારો શરૂ થયો હતો.

    તે જ સમયે, યુપીના આંબેડકરનગર જિલ્લાના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની તલવાપર મસ્જિદની સામે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરી પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા. આંબેડકર નગરના એડિશનલ એસપીના જણાવ્યા અનુસાર, યુવાનોને પથ્થરમારો કરવા માટે આગળ ધકેલવામાં આવ્યા હતા. અહીં પોલીસે AIMIMના જિલ્લાધ્યક્ષની ધરપકડ કર્યાના સમાચાર છે.

    આ સાથે પોલીસે સહારનપુર, ફિરોઝાબાદ, મુરાદાબાદ અને હાથરસમાં એકઠા થયેલા દેખાવકારોને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો.

    અમિત શાહના મંત્રાલયે તમામ રાજ્યો તથા UTને એલર્ટ કર્યા, પોલીસ પર પણ હુમલાની આશંકા: શુક્રવારે નૂપુર શર્મા વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદના કથિત અપમાનના નામે દેશભરમાં આચરવામાં આવેલા રમખાણોને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે હિંસા દરમિયાન તેમને નિશાન બનાવી શકાય છે.

    નોંધનીય છે કે શુક્રવારે (10 જૂન 2022) દેશના ઘણા શહેરોમાં વિરોધના નામે રમખાણો થયા હતા. આ દરમિયાન તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘણી ગંભીર અને ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ હતી.

    મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને યોગ્ય તોફાન ગિયરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો થઈ શકે છે. તેમણે કહ્યું કે પોલીસની સાથે સાથે અર્ધલશ્કરી દળોને પણ જરૂર પડ્યે પડકાર માટે તૈયાર રહેવાની જરૂર છે.

    અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસને ઉશ્કેરણીજનક ભાષણ કરનારા લોકો પર કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય રાજ્ય પોલીસને પોતાના ભાષણોમાં હિંસક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા અને લાઈવ પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.

    ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને જરૂરી પગલાં ભરવા, સરહદો પર નજર રાખવા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં હિંસા અને પોલીસ પર હુમલાને ધ્યાનમાં રાખીને રમખાણોને લઈને સતર્ક રહેવાની જારી કરવામાં આવી છે.

    અત્રે નોંધનીય છે કે પયગંબરના કથિત અપમાનના નામે દેશભરમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ થઈ રહી છે. શુક્રવાર (10 જૂન 2022)ના રોજ, જુમ્માની નમાજ બાદ થયેલી હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન, સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવા ઉપરાંત, મીડિયા અને સોશિયલ મીડિયા પર હિંસા ભડકાવતા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હતા.

    હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘણી જગ્યાએ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તે જ સમયે, ઝારખંડમાં પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે.

    એક્શન નહીં, વોરંટ નહીં સીધું સિર કલમ: કાશ્મીરના એક યુટ્યુબર ફૈઝલ વાનીએ અતિક્રૂર VFX વિડીયો શેર કર્યો, તીક્ષ્ણ હથિયાર દ્વારા નૂપુર શર્માનું માથું કાપ્યું

    ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરતાં બાદ તેમ જ કથિત ટિપ્પણી બદલ માફી જાહેર માંગ્યા બાદ પણ પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ જ પ્રકરણમાં કાશ્મીરના એક યુટ્યુબર ફૈઝલ વાની દ્વારા નૂપુર શર્માનું શિર કલમ કરવાનો VFX વિડીયો સામે આવ્યો છે.

    ડીપ પેઈન ફિટનેસના યુટ્યુબ એકાઉન્ટ પર કાશ્મીર સ્થિત યુટ્યુબર ફૈઝલ વાનીએ સૌથી હિંસક ગ્રાફિક વિડિયો શેર કર્યો છે જેમાં તે પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માનું સિર કલમ કરે છે. આ વિડીયોમાં ફૈઝલ કહેતો જોવા મળ્યો હતો કે, ગુસ્તાખ-એ-રસુલ માટે કોઈ એક્શન કોઈ વોરંટની જરૂર નથી, તેના માટે બસ એક જ સજા છે અને તે છે ‘સરકલમ’. આટલું કહેતા સાથે જ તે વિડીયોમાં તીક્ષ્ણ હથિયાર દ્વારા નૂપુર શર્માનું માથું કાપતો નજરે પડ્યો હતો. વિડીયોના બેકગ્રાઉંડમાં કોઈ અરબી સંગીત પણ વાગી રહેલું સંભળાય છે.

    યુટ્યુબર ફૈઝલ વાની કથિત વિડીયોમાં આટલે નથી અટકતો પરંતુ આગળ જતાં તે નૂપુરના કપાયેલા માથાને હાથમાં લઈને ખુન્નસભરી નજરે જોઈને તેને દૂર ફેંકી દે છે. આ અતિક્રૂર વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. નેટિઝન્સે વિડીયોને અને યુટ્યુબરને ખૂબ વખડ્યો હતો પરંતુ ઇસ્લામવાદીઓ તથા લિબરલો આ વિડીયો પર ટિપ્પણી કરવાથી બચતા જોવા મળ્યા હતા અને તેમના આ વર્તનને નેટિઝન્સે મૌન સંમતિ ગણાવી હતી.

    વિડીયો વાઇરલ થયા બાદ અનેક લોકો દ્વાર કાશ્મીર પોલીસ અને ગૃહ મંત્રાલયને ટેગ કરીને આ યુટ્યુબર વિરુદ્ધ પગલાં લેવાની માંગણી કરી હતી. જે બાદ તે ડરી ગયો હતો અને પોતાનો વિડીયો ડિલીટ કરી દીધો હતો.

    બાદમાં ફૈઝલે બીજો એક વિડીયો રજૂ કરીને પોતાના જૂના વિડીયો માટે લોકોની માફી માંગી હતી. પરંતુ આ વિડીયો માફીનામું ઓછું અને ભાવનાત્મક પ્રોપગેંડા વધુ લાગી રહ્યો હતો. માફીવાળા વિડીયોમાં ફૈઝલ કહેતો સંભળાય છે કે ‘એને ખ્યાલ નહોતો કે તેનો વિડીયો આટલો વાઇરલ થશે.’ તો અહિયાં પ્રશ્ન એ છે કે શું વિડીયો ઓછો વાઇરલ થયો હોત તો તે વિડીયો ડિલીટ ન કરતો અને માફી પણ ના માંગતો.

    માફીવાળા વિડીયોમાં ફૈઝલ આગળ કહે છે કે, તેનો ધર્મ તેને બીજા ધર્મનું સન્માન કરવાનું શીખવાડે છે અને તે વિડીયોમાં કોઈ હિંસક વાત બતાવવા માંગતો નહોતો. પણ ફૈઝલની આ વાત પણ તેનો જ જૂનો વિડીયો ખોટી પડે છે કેમ કે તેમાં ભરપૂર હિંસક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ માફી માત્ર એક નાટક હોય એમ તેને માફી માંગતા માંગતા સમઘ્ર ઘટના માટે દેશના મીડિયા અને સોશિયલ મીડિયા પર આરોપ મૂક્યો હતો કેમ કે તેમણે તેનો વિડીયો શેર કર્યો હતો!

    અત્રે નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે કોઈ ઇસ્લામવાદીએ નૂપુર શર્માનું સરકલમ કરવાની વાત કરી હોય, તેમણે અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઘણાં ઇસ્લામવાદીઓએ નૂપુરનું શિર કલમ કરવાવાળા માટે 20 લાખથી લઈને 1 કરોડ સુધીની ઇનામી રકમની પણ જાહેરાતો કરી હતી.

    10મી જૂન 2022 ના રોજ, શુક્રવારની નમાઝ પછી દેશના અસંખ્ય ભાગોમાં ઇસ્લામવાદી ટોળાંએ તોફાનો કર્યા હોવાથી, ટિપ્પણી પર બગડતી પરિસ્થિતિ આજે ખડકની નીચે પહોંચી ગઈ હતી. કેટલાક સ્થળોએ, ગુસ્સે ભરાયેલા ટોળાએ નૂપુર શર્માના પૂતળા અને પોસ્ટરોને આગ લગાડી, જ્યારે અન્ય સ્થળોએ, પથ્થરો ફેંકવામાં આવ્યા, પોલીસ અને નાગરિકોને ઇજા પહોંચાડી અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.

    જુમ્માની નમાઝ બાદ સતત સળગતાં રહ્યાં ભારતના વિવિધ શહેરો અને નગરો: ગુજરાતમાં પણ અજંપાભરી શાંતિ

    Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે ટ્રોલ્સને નૂપુર શર્મા પર હુમલો કરવા પ્રોત્સાહિત કરવા પ્રોફેટ મોહમ્મદ પર કોમેન્ટ્રી સાથેનો તેનો વીડિયો શેર કર્યો ત્યારથી જ ઇસ્લામવાદીઓએ ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને તેના પરિવારને ઘેરવાનું અને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. મે 2022 ના છેલ્લા અઠવાડિયે, એક સમાચાર ચર્ચા દરમિયાન, નૂપુર શર્માએ કથિતરૂપે પયગંબર મોહમ્મદ વિષે ટીપ્પણી કરી હતી જેને લઈને આજે ભારતમાં ઠેર ઠેર જુમ્માની નમાજ બાદ તોફાનો થયેલ જાણવા મળ્યા હતા.

    ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા વિરુદ્ધ ધાકધમકીનું અભિયાન અવિરતપણે ચાલુ રહ્યું છે, જેમાં સ્થાનિક અને વિદેશી ઇસ્લામવાદીઓ તેના લોહી માટે અધીરા બન્યા છે. બહુવિધ મૃત્યુ અને શિરચ્છેદની ધમકીઓ નૂપુર સામે આવી છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં તેના વિરુદ્ધ સંખ્યાબંધ FIR પણ દાખલ કરવામાં આવી છે. તેની કથિત ‘નિંદા’ અને ત્યારબાદ માફી માંગવા બદલ ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કર્યા હોવા છતાં, ઇસ્લામવાદીઓએ તેને ધમકીઓ સાથે નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. તેના માથા પર હવે રૂ. 20 લાખથી 1 કરોડ સુધીના અનેક ઇનામો જાહેર થયા છે.

    ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં વિરોધ પ્રદર્શન

    10 જૂન, શુક્રવારના રોજ, પયગંબર મુહમ્મદ પર કથિત અપમાનજનક ટીપ્પણી કરવા બદલ ઇસ્લામવાદીઓના હુમલા હેઠળ આવતા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરના અનેક શહેરોમાં વધુ વિરોધ પ્રદર્શનો થયા છે. ગુજરાતનાં અમદાવાદ અને વડોદરામાં પણ ઇસ્લામીઓએ શુક્રવારની નમાજ બાદ અમુક વિસ્તાર બાનમાં લીધો હતો.

    આજે બપોર બાદ ભારતના જુદા જુદા શહેરોમાંથી શુક્રવારની નમાજ બાદ ધમાલ થવાના એક પછી એક અહેવાલો આવવા માંડ્યા હતા. ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ અને વડોદરા પણ આમાંથી બાકાત ન હતા. અમદાવાદનાં મિર્ઝાપુર અને ખાનપુરમાં પણ શુક્રવારની નમાજ બાદ મુસ્લિમોની મોટી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

    બીજી બાજુ વડોદરાના ગોરવા શાક માર્કેટ પાસે પણ જુમ્માની નમાજ બાદ ઈસ્લામિકોનું ટોળું રસ્તે ઉતરી આવ્યું હતું અને રસ્તા પર નૂપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા લગાવીને વિરોધ કર્યો હતો. ટોળાએ નારાએ તકબીર અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.

    ઉત્તરપ્રદેશના મોટા ભાગના શહેરોમાં ધમાલ

    આ પહેલા ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાંથી આ જ પ્રકારના સમાચાર મળ્યા હતા. યુપીના પ્રયાગરાજમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામીઓ દ્વારા મોટા પાયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરમારો એટલો જોરદાર હતો કે પોલીસ જવાનોએ પોતાની સુરક્ષા માટે છુપાઈ જવાની ફરજ પડી હતી.

    આ દરમિયાન ઉત્તર પ્રદેશના સહારનપુર વિસ્તારમાં પણ આવો જ વિરોધ થયો હોવાનું જાણવા મળ્યું હતો. વિરોધ સ્થળ પરથી સામે આવેલા એક વીડિયોમાં હજારો ઈસ્લામવાદીઓ નૂપુર શર્મા વિરોધી સૂત્રોચ્ચાર કરતા રસ્તાઓ પર ભીડ કરતા જોઈ શકાયા હતા. પોલીસ દરમિયાનગીરી કરે છે અને ભીડને વિખેરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભીડ દ્વારા કાબુ મેળવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના દેવબંદ, લખનઉ, મુરાદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારે જુમ્માની નમાજ બાદ તોફાનો થયા બાદ તોફાનીઓએ વિસ્તાર બાનમાં લીધો હતો.

    દિલ્હીની જામા મસ્જિદમાં ભારે વિરોધ પ્રદર્શન

    અહેવાલો અનુસાર, આજે શુક્રવારની અથવા જુમ્માની નમાઝ પછી, મોટી સંખ્યામાં લોકો દિલ્હીની જામા મસ્જિદની બહાર ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. વિડીયો સામે આવ્યા છે જેમાં મુસ્લિમો ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા અને ભાજપના ભૂતપૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

    ઝારખંડમાં પથ્થરમારો, વાહનોને આગ ચાંપી, પોલીસકર્મીઓ ઘાયલ

    ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડની માંગણી સાથે સેંકડો ઇસ્લામવાદીઓ સાથે વિરોધ ફાટી નીકળ્યા બાદ રાંચીમાં હનુમાન મંદિર પાસે ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેતી વખતે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.

    અહેવાલો અનુસાર, શુક્રવારની નમાજ પછી રસ્તા પર ઉમટી પડેલા ટોળાએ પથ્થરમારો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પાડતા અનેક વાહનોને આગ ચાંપી અને તોડફોડ કરી હતી. હિંસા દરમિયાન અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓની સાથે એક વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા.

    વિરોધ પ્રદર્શન દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં એક પોલીસકર્મી પથ્થરમારો કરનારા ઇસ્લામવાદીઓનો સામનો કરવા માટે તેના ઉપરી અધિકારીઓ પાસેથી ભીખ માંગતો સાંભળી શકાય છે. પોલીસકર્મી તેના ઉપરી અધિકારીઓને વિનંતી કરતી વખતે પણ રડે છે.

    હૈદરાબાદની મક્કા મસ્જિદ ખાતે પ્રદર્શન

    દેશના ઘણા સ્થળોની જેમ, તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં પણ વિરોધ ફાટી નીકળ્યો હતો, જેમાં ઇસ્લામવાદીઓ જુમ્માની નમાજ પછી મક્કા મસ્જિદની બહાર એકઠા થયા હતા. પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધની કથિત ‘નિંદાત્મક’ ટિપ્પણી માટે નૂપુર શર્મા વિરુદ્ધ દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

    હૈદરાબાદ પોલીસે ઘટનાની નોંધ લેતા, ભારે દળ અને સીઆરપીએફ સ્ટાફને સ્થળ પર તૈનાત કર્યો હતો. અધિકારીઓએ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને ઇસ્લામવાદીઓને સ્થળ પરથી વિખેર્યા. અહેવાલોમાં ઉલ્લેખ છે કે કલાપાથેર, મેહદીપટ્ટનમ, ચંદ્રયાનગુટ્ટા, શાહીનનગર, સૈદાબાદ અને શહેરના અન્ય સ્થળોએ પણ સમાન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

    કલકત્તા, બંગાળમાં તોફાનીઓનો રસ્તાઓ પર કબ્જો

    હજારો ઇસ્લામવાદીઓ નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે શુક્રવારની નમાઝ પછી કોલકાતાના પાર્ક સર્કસ 7-પોઇન્ટ ક્રોસિંગમાં રસ્તા પર ઉમટી પડ્યા હતા. વિરોધ દરમિયાન, ઈસ્લામવાદીઓએ કાળા ઝંડા લઈને શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 7-પોઇન્ટ ક્રોસિંગ એ કોલકાતામાં બાલીગંજ, પાર્ક સ્ટ્રીટ અને પાર્ક સર્કસ જેવા મહત્વના વ્યાપારી વિસ્તારોને જોડતા સૌથી વ્યસ્ત આંતરછેદો પૈકીનું એક છે, અને ઇસ્લામવાદીઓએ શર્માનો વિરોધ કરવા માટે કલાકો સુધી આ રસ્તો બ્લોક રાખ્યો હતો, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ હતી.

    ઈસ્લામવાદીઓ કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તારમાં વિરોધ દરમિયાન નૂપુર શર્માના પોસ્ટર પર ચપ્પલ ફેંકતા જોવા મળ્યા હતા. પોસ્ટર પર જૂતાના નિશાન પણ હતા, જે પૂર્વ બીજેપી પ્રવક્તાનો ઉપહાસ કરવા માટે બનાવાયા હતા.

    હાવરા, બંગાળમાં પણ ઠેર ઠેર તોફાનો

    સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નૂપુર શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળના હાવરામાં એક પોલીસ બૂથ અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે, નૂપુર શર્માનું શિરચ્છેદ કરવાની માંગ સાથે હાવરામાં એક વિશાળ ટોળાએ શર્મા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    મહારાષ્ટ્ર પણ જુમ્માની નમાજ બાદ તોફાનો

    અન્ય રાજ્યોની જેમ, ઇસ્લામવાદીઓએ પણ શુક્રવારે મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેમાં સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના ભૂતપૂર્વ પક્ષના સાથીદાર નવીન જિંદાલ સામે પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણી બદલ કાર્યવાહીની માંગણી કરી હતી.

    લગભગ 1,000 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 3,000 વિરોધીઓએ પનવેલ, નવી મુંબઈમાં, શર્મા અને જિંદાલની ધરપકડની માંગ સાથે કૂચ કરી હતી.

    સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક પ્રતિનિધિમંડળે પનવેલ તહસીલદારને એક મેમોરેન્ડમ પણ રજૂ કર્યું હતું. થાણે, ઔરંગાબાદ, સોલાપુર, નંદુરબાર, પરભણી, બીડ, લાતુર, ભંડારા, ચંદ્રપુર અને પુણે જિલ્લામાં પણ સમાન વિરોધ અને માર્ચ યોજવામાં આવી હતી. કેટલાક સ્થળોએ વિરોધ કરી રહેલા મુસ્લિમોએ નૂપુર શર્મા અને નવીન જિંદાલના પોસ્ટરો અને પૂતળા સળગાવ્યા હતા.

    આમ ભારતના લગભગ દરેક રાજ્યોમાં અને દરેક મોટા શહેરોમાં આજે જુમ્માની નમાજ બાદ તોફાનો થયા હતા. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ તોફાનીઓ પર શું પગલાં લેવામાં આવે છે.

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ: થાઈલેંડમાં થઈ ગાંજો કાયદેસર કરવાની જાહેરાત અને ભારતમાં થયા રાહુલ ગાંધી ટ્રોલ, જાણો શું થયું

    થાઈલેન્ડે ગુરુવારથી ગાંજા (મરિયુઆના)ની ખેતી કરવા અને રાખવાનું કાયદેસર કરવાની જાહેરાત કરી છે. જેથી ત્યાની યુવા પેઢીમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ જ સમાચાર ભારતમાં કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે, જેનું કારણ છે યુપી કોંગ્રેસની ટ્વિટ.

    યુપી કોંગ્રેસે ડિલીટ કરેલ ટ્વીટનો સ્ક્રિનશોટ

    વિષય એમ છે કે આજે બપોરના સવા બે વાગ્યા આસપાસ ઉત્તરપ્રદેશ કોંગ્રેસનાં આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, “થાઈલેંડમાં ગાંજો કાયદેસર થઈ ગયો છે. હવે છુપાઈ છુપાઈને જવાની જરૂર નહીં પડે.” ટ્વિટ માત્ર થોડો સમય જ રહી અને બાદમાં યુપી કોંગ્રેસની ટ્વિટ ડિલીટ કરીને હટાવી લેવામાં આવી હતી.

    હવે નોંધનીય વાત એ છે કે કોંગ્રેસનાં ઉત્તરપ્રદેશના ઓફિશિયલ ટ્વિટર આઈડીથી આવી ટ્વિટ કોણ કરી શકે અને એ પાછળ તેની શું મંશા હોય શકે? કેમ કે સૌ જાણે છે એમ ભારતના જો કોઈ રાજકીય નેતા સૌથી વધુ થાઈલેંડ પ્રવાસ કરતાં હોય તો એ છે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી. ઉપરાંત રાહુલ ગાંધી પર જ અનેકવાર સુરક્ષા એજન્સીઓને અંધારામાં રાખીને વિદેશ પ્રવાસ પર જવાના આરોપો લગતા રહ્યા છે. તો આપ પોતાના જ પક્ષના મુખ્ય નેતા વિષે આવી ટિપ્પણી કરી હશે કે શું એ પણ એક તપાસનો વિષય છે.

    ઈન્ડિયા ટુડે દ્વારા 2015માં જાહેર કરાયેલ રાહુલ ગાંધીના 60 દિવસના ગુપ્ત પ્રવાસની વિગતો (ફોટો: India Today)

    જોવા જેવી વાત છે કે નાના નાના અનેક પ્રવાસો ઉપરાંત 2015માં ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં રાહુલ ગાંધી 60 દિવસ માટે સતત ગાયબ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર 60 દિવસ માટે ગાયબ થયેલ રાહુલ ગાંધીના આ પ્રવાસની ગુપ્ત વિગતો ડિસેમ્બર 2015માં ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં બહાર આવી હતી. જે મુજબ રાહુલ ગાંધી આ 60 દિવસ દરમિયાન મોટો સમય થાઈલેંડમાં જ રહ્યા હતા.

    આ નાનકડા ટૂંકા ગાળાના ઘટનાક્રમને લોકો સ્ક્રિનશોટ વડે ઝડપી લેવામાં સફળ રહ્યા હતા અને બાદમાં નેટિઝન્સે સ્ક્રિનશોટ શેર કરીને યુપી કોંગ્રેસની ટ્વિટ પર પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

    ટ્વિટર પર @coolfunnytshirt નામના એક ટ્વિટર આઈડીએ યુપી કોંગ્રેસને ટોણો મારતાં લખ્યું હતું કે યુપી કોંગ્રેસે યુપી ભાજપ જોઇન કરી લીધી. આવી કહેવાનું એક જ કારણ હોય શકે કે આ ટ્વિટથી ભાજપને જ ફાયદો થવાનો હતો.

    ટ્વિટર પર મોટું ફોલોઈંગ ધરાવતા @rishibagree એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની મજાક કરતાં લખ્યું હતું કે હવે રાહુલ ગાંધી ડંકાની ચોટ પર થાઈલેંડ જશે.

    અન્ય એક ટ્વિટર યુઝર @narne_kumar06 એ પોતાની ટ્વિટમાં યુપી કોંગ્રેસની ડિલીટ થયેલ ટ્વિટનો સ્ક્રિનશોટ ઉમેરીને તેને પપ્પુ, થાઈલેંડ અને ગાંજા વચ્ચેનું જોડાણ કહ્યું હતું.

    આ ઘટનાક્રમમાં ટિપ્પણી કરવામાં ભાજપના નેતાઓ પણ પાછળ રહ્યા ન હતા. આંધ્રપ્રદેશના ભાજપાના મહામંત્રી વિષ્ણુ વર્ધન રેડ્ડીએ ડિલીટ થ્યેલ ટ્વિટનો સ્ક્રિનશોટ જોડીને લખ્યું હતું કે ભાજપનું રાષ્ટ્રીય તથા જુદા જુદા પ્રાદેશિક ટ્વિટર હેંડલો ટેમી સરકાર દ્વારા થયેક સમાજઉપયોગી કામો અને યોજનાઓનો પ્રચાર કરતી હોય છે જ્યારે યુપી કોંગ્રેસની ટ્વિટર આઈડી થાઈલેંડમાં ગાંજો કાયદેસર થવાની જાહેરાત કરે છે. અંતમાં રેડ્ડીએ જોડ્યુ હતું કે, “ભિન્ન લોકો, ભિન્ન પસંદ.”

    ગુજરાત પ્રદેશ ભાજપ આઇટી સેલના સભ્ય ભાવેશ લોઢાં (@bhav2406)એ યુપી કોંગ્રેસ દ્વારા ડિલીટ કરાયેલ ટ્વિટનો સ્ક્રિનશોટ મૂકીને માત્ર એટલું લખ્યું હતું કે, “ડિલીટ કરી દીધું.”

    થાઈલેંડમાં ગાંજો કેમ થયો કાયદેસર

    ગુરુવારની સરકારી જાહેરાત બાદ મારિજુઆનાને કાયદેસર બનાવનાર થાઈલેંડ પહેલું એશિયાઈ રાષ્ટ્ર બન્યું છે.

    થાઈલેંડના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા તમામ છોડને માદક દ્રવ્યોની શ્રેણીમાંથી દૂર કરવાનો નિર્ણય એશિયામાં થાઈલેંડને તબીબી અને ઔદ્યોગિક ઉપયોગ માટે ગાંજાને કાયદેસર જાહેર કરનાર પ્રથમ દેશ બનાવે છે. પરંતુ તે ઉરુગ્વે અને કેનેડાના ઉદાહરણોને અનુસરતું નથી, માત્ર આ બે દેશો છે કે જેમણે રાષ્ટ્રીય ધોરણે મનોરંજન માટે ગાંજાને કાયદેસર બનાવ્યું છે.

    થાઈલેંડના આરોગ્ય પ્રધાને જાહેરાત કરી છે કે તેઓ શુક્રવારથી શરૂ કરીને 1 મિલિયન ગાંજાના રોપાઓનું વિતરણ કરશે. તેમણે એવી છાપ ઉમેરી છે કે થાઈલેન્ડ ગાંજાના સ્વપ્નલોકમાં ફેરવાઈ રહ્યું છે.