નોંધનીય છે કે, 27 ડિસેમ્બરથી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જેને સત્યવ્રત ચોકી એવું નામ અપાયું છે. આ પછીથી જ એવા દાવા કરવામાં આવ્યા હતા કે, ચોકી વક્ફની સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે. આ મામલે AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઔવેસીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, પોલીસ ચોકી વક્ફની સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે.
નકલી દસ્તાવેજો થયા હતા ફરતા
નોંધનીય છે કે, આ મામલે અમુક નકલી દસ્તાવેજો પણ ફરતા થયા હતા, જેના આધારે આ જમીન વક્ફ સંપત્તિ હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. 30 ડિસેમ્બરે, સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળ દ્વારા 20 મુદ્દા પર આધારિત દસ્તાવેજો પણ સંભલ જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 1929માં અબ્દુલ સમદ નામના વ્યક્તિએ પોતાની મિલકતો વકફને આપી દીધી હતી.
#संभल के शाही जामा मस्जिद के सामने चौकी निर्माण विवाद में नया मोड़ आया है। वक्फ संपत्ति पर दावा करने वाला व्यक्ति अपने दावे से मुकर गया। @Krishan_IPS pic.twitter.com/dvfsFPdFHJ
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) January 7, 2025
જોકે, પ્રશાસને આ દસ્તાવેજોની તપાસ કરી તો તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ જમીન વક્ફની સંપત્તિ હોવાના દાવા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કારણ કે, મૃતક અબ્દુલ સમદના 90 વર્ષના પૌત્ર અને મિયાં સરાયના રહેવાસી મુહમ્મદ ખાલિદે આ મામલે ખુલાસા કર્યા હતા. તેમણે પોલીસને એક એફિડેવિટ સોંપીને આ અંગે ખુલાસા કર્યા હતા.
એફિડેવિટમાં સરકારી સંપત્તિ હોવાનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, મુહમ્મદ ખાલિદે એસપી સંભલના નામે આપેલ એફિડેવિટ અનુસાર, જામા મસ્જિદની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકી વક્ફ પ્રોપર્ટી પર નથી. તેમજ આ ચોકીની જમીન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તે માત્ર આ જમીનની સંભાળ રાખતા હતા. તેમણે જણાવ્યું હતું કે, “તે તેમના પૂર્વજો અનુસાર ચોકીની દેખભાળ કરતા હતા, પરંતુ તેમને જાણ થઈ કે, આ સરકારી સંપત્તિ છે ત્યારથી તેમણે દેખભાળ કરવાનું બંધ કરી દીધું હતું.”
#संभल के शाही जामा मस्जिद के सामने चौकी निर्माण विवाद में वक्फ संपत्ति पर दावा करने वाला व्यक्ति अपने दावे से पीछे हट गया है। उसने इसे निराधार बताते हुए पुलिस अधीक्षक के सामने कहा कि यह संपत्ति उसकी नहीं है @Krishan_IPS pic.twitter.com/pqDEMNcuwX
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) January 7, 2025
આ સિવાય તેમણે એફિડેવિટમાં લખી આપ્યું છે કે, પોલીસ ચોકી બનવા પર તેમને અને તેમના પરિવારને ખુશી છે. તે અથવા તેમનો પરિવાર આગામી સમયમાં પણ આ જમીન પર કોઈ દાવો કરશે નહીં. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ પણ આ સંપત્તિ પર દાવો કરશે, તો તે ખોટું હશે કારણ કે, તેમના દાદા અને પિતા આ સંપત્તિની સંભાળ રાખતા હતા, પરંતુ આ સંપત્તિ તેમની વ્યક્તિગત નહીં પરંતુ સરકારી સંપત્તિ છે.
મૃતક અબ્દુલ સમદના વંશજ મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે, શાહી જામા મસ્જિદની સામે જે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે, તે તેમની જમીન નથી. તેના પૂર્વજો તેની સંભાળ રાખતા. પરંતુ હવે તેમને ખબર પડી કે, આ સરકારી જમીન છે, તેથી તેમને કોઈ વાંધો નથી કે ત્યાં ચોકી બનાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, “હવે અમારા પરિવારને આ મિલકત સાથે કોઈ લેવાદેવા નથી.”