Saturday, October 19, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ ઓળખ ધારણ કરીને હોટેલ ચલાવતો હતો મુબીન, વેજના નામે ખવડાવ્યું નોનવેજ:...

    હિંદુ ઓળખ ધારણ કરીને હોટેલ ચલાવતો હતો મુબીન, વેજના નામે ખવડાવ્યું નોનવેજ: બજરંગ દળના વિરોધ બાદ ચાલ્યું બુલડોઝર, UPના કાનપુરનો મામલો

    ઘટનાનો ખુલાસો સ્થાનિક બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો હતો. આ જ હોટેલમાં કામ કરતા છોટુ નામના એક વ્યક્તિને ખબર પડી ગઈ હતી કે હોટલનો માલિક મુસ્લિમ છે અને તે પોતે તિલક વગેરે કરીને પોતાની ઓળખ છુપાવીને હોટલ ચલાવી રહ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, કાનપુરના એક મુસ્લિમ શખ્સે હિંદુ ઓળખ ધારણ કરીને હોટેલ ખોલી હતી અને તે હોટેલમાં શાકાહારી ભોજનના નામે લોકોને માંસાહારી ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. મહત્વની વાત એ છે કે, આરોપી હોટેલ માલિક મુબીન અહેમદે હિંદુ ઓળખ ધારણ કરી હતી અને મસ્તક પર તિલક કરીને હોટેલ પર કામ કરતો હતો, જેના કારણે તેના પર કોઈપણ શંકા કરી શકતા નહોતા. આ ઉપરાંત તે હોટેલ ગેરકાયદેસર રીતે બની હોવાનું પણ સામે આવ્યું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓને આ ઘટના વિશે માહિતી મળ્યા બાદ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આખરે યોગી સરકારે તે હોટેલ પર બુલડોઝર ફેરવી દીધું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાનો ખુલાસો સ્થાનિક બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો હતો. આ જ હોટેલમાં કામ કરતા છોટુ વર્મા નામના એક વ્યક્તિને ખબર પડી ગઈ હતી કે, હોટેલનો માલિક મુસ્લિમ છે અને તે પોતે તિલક વગેરે કરીને પોતાની ઓળખ છુપાવીને હોટેલ ચલાવી રહ્યો હતો. બજરંગ દળનો તેવો પણ આરોપ છે કે, વેજ હોટેલનું બોર્ડ મારેલું હોવા છતાં અહીં નોનવેજ ભોજન પીરસવામાં આવતું હતું. અન્ય એક મહત્વની વાત તો તે સામે આવી કે, આ હોટેલ મેઈન રોડના ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરીને ઉભી કરી દેવામાં આવી હતી.

    નોંધવું જોઈએ કે, થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે હોટેલ અને દુકાન માલિકોએ પોતાની ઓળખ જાહેર કરવા નિર્દેશ આપ્યા હતા. તે સમયે સરકારનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને દલીલો આપવામાં આવી હતી કે, આખરે ઓળખ જાહેર કરવાની જરૂર શું છે. ત્યારે આ પ્રકારની ઘટના તે તમામ વિરોધ કરનારાઓ માટે જવાબ સમાન છે. વાસ્તવમાં ઘટના કાનપુરના કિદવઈ નગરથી બારહદેવી ચોક તરફ જતા રસ્તા પર ઘણા સમયથી કાર્યરત ‘મામા ભાંજા’ રેસ્ટોરન્ટની છે. આરોપ છે કે, આ હોટેલનો માલિક મુબીન અહેમદ મુસ્લિમ હોવા છતાં પોતાની મઝહબી ઓળખ છુપાવી રહ્યો હતો. તે તિલક કરીને હોટલ પર આવતો હતો અને કામ કરતો હતો.

    - Advertisement -

    શાકાહારી ભોજનના બદલે માંસાહાર પીરસાતું હોવાના આરોપ

    હોટેલ માલિક મુબીન અહેમદના જ એક કર્મચારીએ આ માહિતી બજરંગ દળના કાર્યકર્તાઓ સુધી પહોંચાડતા ભાંડો ફૂટી ગયો હતો. ગત મહિનાની 26 તારીખે બજરંગ દળે હોટલ પર જઈને વિરોધ પણ કર્યો હતો. આરોપ છે કે, સંપૂર્ણ શાકાહારી હોટેલનું બોર્ડ મારેલું હોવા છતાં અહીં માંસાહારી ભોજન પીરસવામાં અને વેચવામાં આવતું હતું અને લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવતો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ આ વાતને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

    આ મામલે બજરંગ દળના જિલ્લા સંયોજક વિશાલ બજરંગીનું કહેવું છે કે, મુબીન અહેમદ માથા પર હિંદુઓની જેમ તિલક કરીને પોતાની ધાર્મિક ઓળખ છુપાવતો હતો. આ વાત તેમને છોટુ વર્મા નામના તેના જ એક કર્મચારીએ કહી હતી. ભારે હોબાળા બાદ પોલીસ અને પ્રશાસન દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક હોટેલને તાળા મારી દેવામાં આવ્યા હતા. બીજી તરફ હોટેલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવી હોવાની પણ ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવતા પ્રશાસન તરત જ એક્શનમાં આવ્યું હતું.

    આ મામલે નગર નિગમના ઝોનલ અધિકરી ચંદ્રપ્રકાશ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, IGRS પોર્ટલ પર વિકાસ અને અશોક ત્રિપાઠી નામના વ્યક્તિઓએ ફરિયાદ કરી હતી કે, આ વિવાદિત ‘મામા-ભાંજા’ હોટેલ સરકારી રોડના ફૂટપાથ પર કબજો કરીને ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે. આ ફરિયાદ મળ્યા બાદ જયારે પ્રશાસન દ્વારા તપાસ અધિકારી નિયુક્ત કરીને તપાસ કરાવવામાં આવી, તો તે વાત સાચી નીકળી હતી. મુબીન અહેમદે વાસ્તવમાં સરકારી જગ્યા પર દબાણ કરીને હોટલ ઉભી કરી દીધી હતી. ગેરકાયદેસર બાંધકામનો ખુલાસો થતાની સાથે જ આ હોટલ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું હતું. હાલ આ જગ્યા સમતલ કરી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં