Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમદરેસાના મૌલવીઓ ફરી બન્યા હેવાન: ઇસ્લામ વિષે ભણવા આવેલ 13 વર્ષના બાળક...

    મદરેસાના મૌલવીઓ ફરી બન્યા હેવાન: ઇસ્લામ વિષે ભણવા આવેલ 13 વર્ષના બાળક સાથે બાપુનગરના મદની મદરેસામાં થયું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

    અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી એક મદરેસાના મૌલવી દ્વારા એક બાળકનું જાતિય શોષણ કરવાનો એક ઘૃણાસ્પદ કિસ્સો ઑપઇન્ડિયાના ધ્યાનમાં લાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલ મદની મદરેસામાં બે મૌલવીઓ દ્વારા 13 વર્ષના એક સગીર બાળક સાથે તે જ મદરેસામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને જાતિય સતામણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળક નજીકની શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

    એક વિશ્વસનીય સૂત્ર દ્વારા ઑપઇન્ડિયાને મળતી એક્સક્લુઝિવ જાણકારી મુજબ ગોમતીપુરમાં રહેતા અને છૂટક મજુરીનું કામ કરતા એક રોજમદારે ઉનાળુ વેકેશન હોવાથી 29 મે ના રોજ પોતાના 6 બાળકોમાંથી સૌથી મોટા 13 વર્ષના બાળકને મુસ્લિમ ધર્મ વિષે ભણવા માટે પોતાના નજીક બાપુનગરના મદની મદરેસામાં મોકલ્યો હતો. 30 તારીખે આ બાળકે ઘરે આવીને પોતાના માતા પિતાને મદરેસામાં બે મૌલવીઓ દ્વારા એની સાથે થયેલ અમાનવીય કૃત્ય વિષે જણાવ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

    બાળકના જણાવ્યા મુજબ તેને માર પણ મરવામાં આવ્યો હતો અને શરીર પર મારના નિશાન હોવાથી તથા બે મૌલવી દ્વારા મદરેસામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાતા ગુદાના ભાગે અસહ્ય દુખાવો થતો હોવાથી તેને નજીકમાં આવેલ શારદાબેન હોસ્પિટલ પાસે સારવાર માટે લઈ જવાયો હતો. શારદાબહેન હોસ્પિટલ ખાતે પૂછપરછમાં પીડિત બાળકના પિતાએ જે જાણકારી આપી એ ચોંકાવનારી હતી.

    - Advertisement -

    પીડિત બાળકના પિતાએ માહિતી આપી હતી કે એમના 6 બાળકોમાંથી 13 વર્ષનો સૌથી મોટો પુત્ર ગોમતીપુરની સરકારી શાળા નં. 2માં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. હાલ શાળામાં ઉનાળુ વેકેશન ચાલતું હોવાથી પોતાના ધર્મના રીતિરિવાજ મુજબ એમણે દીકરાને ઇસ્લામ ધર્મ વિષે ભણવા માટે મદરેસામાં મોકલવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓ 29 મેના રોજ સવારે બાળકને લઈને બાપુનગરમાં સુંદરમનગર ખાતે આવેલ મદીના મદરેસામાં વાત કરવા ગયા હતા અને અંતે એ જ દિવસે બાળકનું ત્યાં એડમિશન કરાવીને મૂકી આવ્યા હતા.

    તેમણે આગળ જણાવ્યુ કે બીજા દિવસે એટ્લે કે 30 મેના રોજ રાતે 3 વાગ્યા આસપાસ જ્યારે પોતે કામ પરથી ઘરે આવ્યા ત્યારે એમનો પુત્ર ઘરે આવીને આરામ કરતાં જોવા મળ્યો હતો. સવારે જ્યારે તેમણે પુત્રને ઘરે પાછો કેમ આવી ગયો એમ પૂછ્યું તો પુત્રએ પોતાની સાથે ઘટેલ અમાનવીય ઘટના જણાવી હતી. પુત્રએ જણાવ્યુ કે 29 તારીખે જ્યારે પરિવાર તેને મદરેસા ખાતે મૂકીને ગયો ત્યારે સાંજ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ રાતે 10 વાગ્યા આસપાસ મદની મદરેસાનો મુખ્ય મૌલવી અને અન્ય એક જાડો મૌલવી તેની પાસે આવ્યા હતા. મુખ્ય મૌલવીએ કોઈ કારણ વગર તેના જમણા પગના ઢીંચણના પાછલા ભાગે લાકડા વડે સાત વાર જોરદાર માર માર્યો હતો અને જાડા મૌલવીએ તેના ડાબા હાથને પકડીને કાદના ભાગે કોઈ ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન મારવાની 5 મિનિટ બાદ પોતે બેભાન થઈ ગયો હતો.

    બાળકે પોતાના પિતાને આગળ જણાવ્યુ હતું કે 30 35 મિનિટ બાદ જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેને ગુદાના ભાગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. આથી એ પોતે ગભરાઈ ગયો હતો અને મદરેસામાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે એ ભાગી રહ્યો હતો ત્યારે મદરેસામાંથી 3 લોકો એને પકડવા એની પાછળ પડ્યા હતા. એમનાથી બચવા એ રાજેન્દ્રપાર્ક પાસેની કોઈ હોટલમાં સંતાઇ ગયો હતો. થોડી વાર છુપાઈને રહેવા બાદ તે હોટલ આગળથી નીકળતી એક બાઇક પાછળ બેસીને પોતાના ઘરે પહોચ્યો હતો.

    પીડિત બાળકના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓને ફરિયાદમાં કહ્યું કે, “મદની મદરેસા, સુંદરમનગર, બાપુનગર ખાતેના મુખ્ય મૌલવી તથા એક અન્ય જાડા મૌલવીએ મારા દીકરાને લાકડાના દંડાથી જમણા પગના ઢીંચણના ભાગે સાત ફટકા મારીને, ડાબા હાથમાં કાંડા પાસે કોઈક નશાનું ઇન્જેક્શન આપીને, તેને બેહોશ કરીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.” પીડિતના પિતાએ વધુમાં જણાવ્યુ હતું કે બાળકને પેલા જાડા મૌલવીનું નામ નથી ખબર પરંતુ ફોટો જોઈને જરૂર ઓળખી શકશે.

    આ પહેલી વાર નથી કે કોઈ મદરેસાના મૌલાના પર સગીર બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા બનેલા છે. હાલમાં 2020માં જ ભુજ કોર્ટે 2015થી 2019 સુધી કેટલીય વાર 14 વર્ષની બાળકીનો બળાત્કાર કરનાર નખત્રાણાના ઢોરો ગામની મદરેસાના મૌલાના સમશુદ્દીન હાજી સુલેમાન જતની જામીન અરજી બીજી વાર ફગાવી દીધી હતી. જાન્યુઆરી 2022માં જ ઉત્તરપ્રદેશના મૈનપૂરી જીલ્લામાં એક મદરેસાના 52 વર્ષના મૌલાના જમાલ અહેમદે 8 વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હતો જે બાદ તેની ધરપકડ કરાઇ હતી.

    આ ઉપરાંત મે 2022માં POCSO કોર્ટે કોટા, રાજસ્થાનના એક મૌલવી અબ્દુલ રહેમાનને 6 વર્ષની બાળકોનો બળાત્કાર કરવા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

    હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં આ રીતને ઘટના બનતા ચકચારી વ્યાપી જવા પામી છે. 13 વર્ષનો સગીર બાળક હજુ શારદાબેન હોસ્પીટલમાં છે પણ હાલ તેની હાલત પહેલા કરતાં સારી છે. બાપુનગર પોલીસે હાલ POCSO હેઠળ ફરિયાદ નોંધીને પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં