Tuesday, May 13, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપૌરાણિક કાળથી છે સૌભાગ્યવતી સ્ત્રીઓની ઓળખ... હનુમાનજીને પણ છે પ્રિય...: જાણો શું...

    પૌરાણિક કાળથી છે સૌભાગ્યવતી સ્ત્રીઓની ઓળખ… હનુમાનજીને પણ છે પ્રિય…: જાણો શું છે ‘એક ચપટી સિંદૂર’નું મહત્વ, જેના નામ પર ઑપરેશન કરી ભારતે પાકિસ્તાનને ચખાડ્યો સબક

    હિંદુ ધર્મમાં સિંદૂરની પરંપરા હજારો વર્ષ જૂની છે. સ્કંદ પુરાણ અને અન્ય ગ્રંથોમાં દેવી પૂજાના સંદર્ભમાં સિંદૂરનો ઉલ્લેખ છે. ખાસ કરીને માતા પાર્વતી અને માતા દુર્ગા માટે એ દૈવી શક્તિનું પ્રતીક છે. આ જ કારણે સિંદૂરને લગ્નની વિધિઓમાં સામેલ કરવામાં આવે છે.

    - Advertisement -

    ભારતે મંગળવારે (6 મે, 2025) રાત્રે પાકિસ્તાનની સામે ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધર્યું. ભારતીય સેનાએ 9 હુમલાઓમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને મિસાઈલથી નષ્ટ કરી દીધા. આ હુમલો 13 દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો હતો, જેમાં મહિલાઓના ‘સિંદૂર’ ભૂંસાયા હતા. હિંદુ મહિલાઓ સામે જ તેમના પતિઓનો ગોળીઓથી જીવ લેવામાં આવ્યો હતો.

    આના જવાબમાં ભારતે દુશ્મનોને એક ચપટી સિંદૂરની કિંમત સમજાવી દીધી છે. હવે કોઈ પણ આ સિંદૂર પર હાથ ઉઠાવતા પહેલા સો વાર વિચારશે. આતંકવાદીઓ સામેની આ કાર્યવાહીને ‘ઑપરેશન સિંદૂર’ નામ આપવા પાછળ એક ખાસ કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, કારણ કે તેઓ એ મહિલાઓની વ્યથાને સમજતા હતા, જેમણે પોતાના પતિઓને ગુમાવ્યા હતા.

    પહલગામમાં આતંકવાદીઓએ મહિલાઓને કહ્યું હતું, ‘જા કે મોદી કો બતાના.’ એ જ મોદીએ આ મહિલાઓના પ્રતિશોધને ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા સાકાર કર્યો. પોતાના સુહાગને ગુમાવનારી આ મહિલાઓના સન્માનમાં જ આ કાર્યવાહીનું નામ ‘ઑપરેશન સિંદૂર’ રાખવામાં આવ્યું.

    - Advertisement -

    ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું મહત્વ

    ભારતીય સંસ્કૃતિમાં સિંદૂર સૌભાગ્ય અને સુહાગનું પ્રતીક છે. તે પરિણીત મહિલાઓની ઓળખ છે. સ્ત્રીના સોળ શણગારમાં સિંદૂરનું વિશેષ સ્થાન છે. હિંદુ ધર્મમાં સુહાગની નિશાની તરીકે તેનો ઉપયોગ થાય છે. લગ્નના સમયે સાત ફેરા બાદ પતિ પોતાની પત્નીને સિંદૂર લગાવે છે, અને ત્યારે જ લગ્નની વિધિ પૂર્ણ થાય છે. આ સિંદૂરને મહિલાઓ જીવનભર પોતાના પતિની લાંબી આયુ માટે લગાવે છે.

    સામાન્ય રીતે મહિલાઓ લાલ રંગનું સિંદૂર લગાવે છે, જે લાલ પાવડરના રૂપમાં હોય છે. પરંપરાગત રીતે પરિણીત મહિલાઓ તેને માથે કે વાળની વચ્ચે લગાવે છે.

    જોકે, સિંદૂર માત્ર લાલ રંગનું જ નથી હોતું. દેશના વિવિધ વિસ્તારોમાં નારંગી રંગનું સિંદૂર પણ લગાવવામાં આવે છે, ખાસ કરીને પૂર્વાંચલના ભાગો જેવા કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં. આ ઉપરાંત, ગુલાબી રંગનું સિંદૂર પણ મહિલાઓ લગાવે છે.

    સિંદૂરનો ઇતિહાસ

    હિંદુ ધર્મમાં સિંદૂરની પરંપરા હજારો વર્ષ જૂની છે. સ્કંદ પુરાણ અને અન્ય ગ્રંથોમાં દેવી પૂજાના સંદર્ભમાં સિંદૂરનો ઉલ્લેખ છે. ખાસ કરીને માતા પાર્વતી અને માતા દુર્ગા માટે એ દૈવી શક્તિનું પ્રતીક છે. આ જ કારણે સિંદૂરને લગ્નની વિધિઓમાં સામેલ કરવામાં આવે છે.

    ગુપ્તકાળ (લગભગ 320-550 ઈ.સ.) સુધીમાં સિંદૂર હિંદુ લગ્નના રીતિ-રિવાજો સાથે જોડાઈ ગયું. મનુસ્મૃતિ અને અન્ય ગ્રંથોમાં સુહાગનના શણગારના વર્ણનમાં તેનો ઉલ્લેખ છે. ધીરે-ધીરે આ પરંપરા સમગ્ર ભારતમાં ફેલાઈ.

    જ્યારે હનુમાનજીએ આખા શરીરે સિંદૂર લગાવ્યું

    રામાયણમાં માતા સીતા પોતાના પતિ ભગવાન રામ માટે સિંદૂર લગાવતા હતા. રામાયણની કથા અનુસાર, જ્યારે શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા વનવાસથી પરત ફર્યા, ત્યારે શ્રીરામે અયોધ્યાના રાજા તરીકે રાજ્ય સંભાળ્યું. તે સમયે ભક્ત હનુમાનજી શ્રીરામને ભેટ આપવા ઈચ્છતા હતા.

    હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું, “માતા, શ્રીરામને શું ગમે છે? એટલે કે, તેમને કઈ વસ્તુ જોઈને આનંદ થાય છે?” માતા સીતા તે સમયે પોતાની માંગમાં સિંદૂર લગાવી રહ્યા હતા. હનુમાનજીએ સિંદૂરનું મહત્ત્વ પૂછ્યું, તો માતા સીતાએ હસીને કહ્યું, “આનાથી શ્રીરામને લાંબું આયુષ્ય મળે છે, એટલે હું માંગમાં સિંદૂર લગાવું છું.”

    માતા સીતાની વાત સાંભળી હનુમાનજીએ આનંદથી કહ્યું, “શું આ ચપટી સિંદૂરથી શ્રીરામ પ્રસન્ન થાય છે?” માતા સીતાએ હસીને જવાબ આપ્યો, “હા, મારી માંગમાં સિંદૂર જોઈને શ્રીરામ ખૂબ પ્રસન્ન થાય છે.”

    આ સાંભળી હનુમાનજીએ વિચાર્યું, જો એક ચપટી સિંદૂરથી શ્રીરામ આનંદિત થાય છે, તો આનાથી શ્રેષ્ઠ ભેટ શ્રીરામ માટે બીજું કંઈ હોઈ જ ન શકે. બસ, હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાવીને અયોધ્યાના રાજદરબારમાં આવ્યા. હનુમાનજીનો આ ભક્તિભાવ જોઈ શ્રીરામે તેમને ગળે લગાવી લીધા.

    બંગાળમાં સિંદૂર ખેલા

    બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન દશેરાના દિવસે ‘સિંદૂર ખેલા’ની પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાને સિંદૂર અર્પણ કરી ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. પરિણીત મહિલાઓ આ પરંપરાને ઉત્સાહથી નિભાવે છે, ખાસ કરીને બંગાળી સમાજમાં આનું વિશેષ મહત્વ છે.

    તો આમ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ્યારે આ આખી કાર્યવાહી માટે ‘ઑપરેશન સિંદૂર’ નામ આપ્યું અને ત્રણેવ સેનાએ તે સ્વીકાર્યું તે ખૂબ જ તાર્કિક બની રહયું છે.

    મૂળ લેખ હિન્દીમાં પ્રકાશિત થયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં