Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ પહોંચે તે પહેલાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ: કોંગ્રેસ નેતાના હિંદુવિરોધી નિવેદનો...

    અમદાવાદ પહોંચે તે પહેલાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ: કોંગ્રેસ નેતાના હિંદુવિરોધી નિવેદનો સામે VHP-બજરંગ દળ કાર્યકર્તાઓમાં આક્રોશ, પોલીસે કરી અટકાયત

    સોશિયલ મીડિયા પર તસવીરો ફરતી થઈ છે, જેમાં હિંદુ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને રાહુલ ગાંધીનો વિરોધ કરતા જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (6 જુલાઈ) અમદાવાદની મુલાકાતે છે. એક તરફ કોંગ્રેસીઓ તેમના આગમનને લઈને ઉત્સાહી છે ત્યાં બીજી તરફ તાજેતરમાં તેમણે સંસદ ભવનમાં હિંદુઓને લઈને આપેલા નિવેદનને લઈને હિંદુ સંગઠનો તેમનો પુરજોર વિરોધ કરી રહ્યા છે. રાહુલના આગમન પહેલાં અમદાવાદમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ આકરો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અમુકની અટકાયત કરી લીધી હતી. 

    સોશિયલ મીડિયા પર તસવીરો ફરતી થઈ છે, જેમાં હિંદુ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને રાહુલ ગાંધીનો વિરોધ કરતા જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. એક પોસ્ટરમાં રાહુલ ગાંધીને હાથમાં પ્લેકાર્ડ લઈને ઊભેલા બતાવાયા છે, જેમાં લખવામાં આવ્યું હતું- ‘મેં ફિરોજ ખાન કા પોતા હું, ઇસીલિયે હિંદુઓ સે નફરત કરતા હું.’ અન્ય અમુક પોસ્ટરોમાં રાહુલ ગાંધીનાં હિંદુઓ વિશેનાં નિવેદનો ટાંકવામાં આવ્યાં હતાં. 

    VHPના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ નારાબાજી કરીને અને પોસ્ટરો લહેરાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. જોકે, અગાઉથી જ વિરોધ પ્રદર્શનનાં ઇનપુટ મળ્યાં હોવાના કારણે વહેલી સવારથી જ અમદાવાદ પોલીસે કાફલો ખડકી દીધો હતો. જોકે, પછીથી પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન પણ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ કરતી વખતે હિંદુઓને ટાર્ગેટ કર્યા હતા. ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા…હિંસા…હિંસા…નફરત….નફરત…..નફરત……અસત્ય…અસત્ય…..અસત્ય…” આ વિવાદિત સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ વચ્ચે હસ્તક્ષેપ કરીને કહેવું પડ્યું હતું કે સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવો એ યોગ્ય નથી. પછીથી ગૃહમંત્રી શાહ સહિત અન્ય સાંસદોએ પણ રાહુલને ફટકાર લગાવી હતી. 

    બીજી તરફ, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તે રાત્રે હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું પરંતુ આરોપ છે કે તેઓ પહોંચ્યા ત્યારે કોંગ્રેસીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના કારણે સ્થિતિ વણસી હતી. પછીથી આ મામલે કોંગ્રેસ કાર્યકરો સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી આ 5 કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ મળશે. ઉપરાંત, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં