Thursday, September 19, 2024
More
    હોમપેજદેશદિલ્હીના કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ત્રણ UPSC વિદ્યાર્થીઓનાં મોત, AAP...

    દિલ્હીના કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ત્રણ UPSC વિદ્યાર્થીઓનાં મોત, AAP સરકાર પર ઉઠ્યા સવાલ: ભાજપે કહ્યું- આ અકસ્માત નહીં પણ હત્યા

    ઘટના બાદ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર તેમજ MCDની બેદરકારી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, “આ વિસ્તારના લોકોએ સતત AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકને રાજેન્દ્ર નગર વિસ્તારમાં નાળાની સફાઈ કરવા માટે રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમનું સાંભળ્યું ન હતું.

    - Advertisement -

    દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં શનિવારે (27 જુલાઈ) રાત્રે અચાનક ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓનાં કરુણ મોત થયાં છે. આ તમામ UPSCની તૈયારી કરતા હતા. મૃતકોમાં 2 વિદ્યાર્થિની હતી અને એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 

    મામલાની વધુ વિગતો અનુસાર, દિલ્હી ફાયર સર્વિસને શનિવારે સાંજે લગભગ સાત વાગ્યે રાજેન્દ્ર નગરના Rau’s IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હોવાની જાણ કરતો કૉલ મળ્યો હતો. ત્યારબાદ રેસ્ક્યુ ઑપરેશન માટે પાંચ ફાયર ટેન્ડરો લગાવવામાં આવ્યાં. ઉપરાંત, NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી. 

    ઘટના બની ત્યારે કોચિંગ સેન્ટરમાં લગભગ 30 વિદ્યાર્થીઓ હાજર હતા, જેઓ વાંચન માટે ત્યાં આવ્યા હતા. જેમાંથી 13થી 14 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા અને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે બાકીના જાતે જ બચીને ભાગી છૂટ્યા હતા. પરંતુ ત્રણ વિદ્યાર્થીઓને ન બચાવી શકાયા. બચાવકાર્ય કરનારાઓએ પહેલાં 10:30 વાગ્યે, પછી 11:20 વાગ્યે અને ત્યારબાદ મોડી રાત્રે એમ ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. 

    - Advertisement -

    મૃતકોની ઓળખ તાનિયા સોની (25), શ્રેયા યાદવ (25) અને નેવીન ડાલ્વિન (28) તરીકે થઈ છે. તાનિયા અને શ્રેયા UPનાં વતની હતાં, જ્યારે નેવીન કેરળનો રહેવાસી હતો. 

    સ્થળ પર હાજર વિદ્યાર્થીઓએ કહ્યું કે, બેઝમેન્ટમાં કોચિંગ સેન્ટરની લાઇબ્રેરી આવેલી છે, જ્યાં તેઓ સેલ્ફ સ્ટડી માટે જતા હતા. નજરે જોનારાઓએ કહ્યું કે, ભારે વરસાદ બાદ થોડી જ મિનિટોમાં 10થી 12 ફીટ પાણી ભરાઈ ગયું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓને નીકળવાની તક ન મળી. રાજેન્દ્ર નગરમાં સાંજે 5:30થી 8:30 સુધીમાં 31.5 mm વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

    ઘટના બાદ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર તેમજ MCDની બેદરકારી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, “આ વિસ્તારના લોકોએ સતત AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકને રાજેન્દ્ર નગર વિસ્તારમાં નાળાની સફાઈ કરવા માટે રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમનું સાંભળ્યું ન હતું. આ ઘટના માટે આ જ કારણ જવાબદાર છે. દુર્ગેશ પાઠકને વારંવાર વિનંતીઓ કરવામાં આવી, પણ ડ્રેનેજની સફાઈ ન થઈ. વિદ્યાર્થીઓને કરંટ લાગે છે, પાણીમાં ડૂબે છે…..તેઓ અહીં અભ્યાસ કરવા માટેઆવે છે પણ આમ આદમી પાર્ટીની સરકાર તરફથી આ બધું મળી રહ્યું છે. આ મૃત્યુ માટે કેજરીવાલ અને દુર્ગેશ પાઠક જવાબદાર છે.”

    ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “આ અકસ્માત નહીં પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી હત્યા છે. આ ગુનાહીત બેદરકારી છે. થોડા દિવસ પહેલાં UPSC પરીક્ષાર્થીનું કરન્ટના કારણે મોત થયું હતું. શું દિલ્હીવાસીઓના જીવની કોઇ કિંમત નથી? અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા છે- માત્ર પ્રેસ કૉન્ફરન્સ કરો, જાહેરાતો આપો અને દોષારોપણ કરો. તેના કારણે અવ્યવસ્થા સર્જાય છે અને હવે તે જીવલેણ બની ચૂકી છે. આના માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણ જવાબદાર છે. તેમની પ્રાથમિકતા કેજરીવાલને દારૂ કૌભાંડમાંથી બચાવવાની છે, જનતાના જીવની કોઇ ચિંતા નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં