Saturday, April 19, 2025
More
    હોમપેજદેશ‘મંદિરોમાં હાથીઓનો ઉપયોગ આપણી સંસ્કૃતિ’: સુપ્રીમ કોર્ટે લગાવ્યો કેરળ હાઇકોર્ટના આદેશ પર...

    ‘મંદિરોમાં હાથીઓનો ઉપયોગ આપણી સંસ્કૃતિ’: સુપ્રીમ કોર્ટે લગાવ્યો કેરળ હાઇકોર્ટના આદેશ પર સ્ટે, કથિત એક્ટિવિસ્ટો વિદેશી ફન્ડિંગની મદદથી હિંદુ પરંપરા રોકતા હોવાનો અરજદારનો આરોપ

    ગજ સેવા સમિતિએ જણાવ્યું હતું કે કેરળમાં હાથીઓને પવિત્ર માનવામાં આવે છે અને શક્તિના પ્રતીક તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો હતો કે કહેવાતા એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટો મંદિરોમાં તેમના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માંગે છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેરળ હાઇકોર્ટના (Kerala High Court) નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેરળના મંદિરોમાં હાથીઓના (Elephants Use) સરઘસ પર પ્રતિબંધ અને ધાર્મિક વિધિઓમાં તેમના ઉપયોગ અંગે હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મંદિરોમાં હાથીઓનો ઉપયોગ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને હાઇકોર્ટના આદેશમાં તેને રોકવાની ક્ષમતા છે.

    17 માર્ચે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેરળ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગજ સેવા સમિતિ નામના NGOની અરજી પર આ આદેશ આપ્યો છે. કેરળ હાઇકોર્ટે જાન્યુઆરી 2025માં મંદિરોમાં હાથીઓના ઉપયોગ અંગે આ આદેશ આપ્યો હતો.

    હાથીઓ સંસ્કૃતિનો ભાગ: સુપ્રીમ કોર્ટ

    આ અરજી દાખલ કરનાર ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો છે કે હાથીઓ પર પ્રતિબંધની માંગ કરી રહેલા કહેવાતા એક્ટિવિસ્ટો 2 હજાર વર્ષથી વધુ જૂની હિંદુ પરંપરાઓને રોકવા માંગે છે. ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો હતો કે આ એક્ટિવિસ્ટો વિદેશી ફન્ડિંગની મદદથી કામ કરે છે અને હિંદુઓની પરંપરાઓને રોકી રહ્યા છે.

    - Advertisement -

    ગજ સેવા સમિતિએ જણાવ્યું હતું કે કેરળમાં હાથીઓને પવિત્ર માનવામાં આવે છે અને શક્તિના પ્રતીક તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. ગજ સેવા સમિતિએ આરોપ લગાવ્યો હતો કે કહેવાતા એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટો મંદિરોમાં તેમના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા માંગે છે.

    હવે સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025માં આપેલા આદેશમાં કેરળ હાઇકોર્ટે મંદિરના તહેવારોમાં હાથીઓના ઉપયોગ અંગે ઘણી વાતો કહી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે 31 મે 2022 પહેલાં નોંધાયેલા ન હોય તેવા મંદિરો અને દેવસ્થાનો હાથીઓનું સરઘસ કાઢી શકશે નહીં.

    હાઇકોર્ટે લાદ્યા હતા પ્રતિબંધો

    કેરળ હાઇકોર્ટે નવેમ્બર 2024માં પ્રાણી અધિકાર એક્ટિવિસ્ટો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન મંદિરમાં હાથીઓના ઉપયોગ પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. હાઇકોર્ટે  કહ્યું હતું કે મંદિરોમાં વપરાતા હાથીઓ ‘નાઝી કેમ્પ’ જેવું જીવન જીવે છે.

    કેરળ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ તહેવારમાં હાથીઓને 30 કિલોમીટરથી વધુ ચાલવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, તેમને એક દિવસમાં 125 કિલોમીટરથી વધુ દૂર લઈ જવામાં આવશે નહીં. આ સાથે, હાઇકોર્ટે  આદેશ આપ્યો હતો કે તેમને 6 કલાકથી વધુ સમય માટે કોઈપણ વાહનમાં રાખવામાં આવશે નહીં.

    કેરળ હાઇકોર્ટે  સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી જાહેર રસ્તાઓ પર હાથીઓના સરઘસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો; રાત્રે તેમના ઉપયોગ પર પણ પ્રતિબંધો મૂક્યો હતા. સરઘસ દરમિયાન પણ, હાથીઓ વચ્ચે 3 મીટરનું અંતર જાળવવાનું કહ્યું હતું. હાઇકોર્ટે  તો ત્યાં સુધી કહ્યું હતું કે એવી કોઈ ધાર્મિક પરંપરા નથી જેમાં હાથીનો ઉપયોગ ફરજિયાત હોય.

    આ આદેશ પછી, કેરળના મોટા મંદિરોએ કહ્યું હતું કે હવે હાથીઓનો ઉપયોગ લગભગ અશક્ય બની જશે. આ આદેશ પછી ઘણા મંદિરોએ રોબોટિક હાથીઓનો ઓર્ડર આપ્યો હતો. ડિસેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂક્યો હતો. જોકે, આ પછી પણ, જાન્યુઆરી 2025માં, હાઇકોર્ટે આવો જ નવો આદેશ આપ્યો. જેના પર સુપ્રીમ કોર્ટે હવે સ્ટે લગાવી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં