Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશરણાર્થી બનીને ભારત આવેલા સૂફી ઝરીફ બાબાની હત્યા: શાહરૂખ-સલમાનના નામ પર કરોડોની...

    શરણાર્થી બનીને ભારત આવેલા સૂફી ઝરીફ બાબાની હત્યા: શાહરૂખ-સલમાનના નામ પર કરોડોની સંપત્તિ બનાવી લીધી હતી, આઈબીની પણ હતી નજર

    શરણાર્થી હોવા છતાં ઝરીફે કરોડોની સંપત્તિ એકઠી કરી હતી અને જેના કારણે ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ તેની ઉપર નજર હતી. તે પોતાને અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ ગણાવતો હતો અને કિંમતી પથ્થરોનો પણ વેપાર કરતો હતો. 

    - Advertisement -

    અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે ભારત આવેલા ઝરીફ બાબાની મંગળવારે (5 જુલાઈ, 2022) પૈસાની લેવડદેવડ દરમિયાન માથામાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ગુરુવારે (7 જુલાઈ 2022) એક વ્યક્તિની અટકાયત કરી છે.

    શરણાર્થી હોવા છતાં ઝરીફે કરોડોની સંપત્તિ એકઠી કરી હતી અને જેના કારણે ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ તેની ઉપર નજર હતી. તે પોતાને અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ ગણાવતો હતો અને કિંમતી પથ્થરોનો પણ વેપાર કરતો હતો. 

    મહારાષ્ટ્રના નાસિક નજીક યેવાલાના ઔદ્યોગિક ઉપનગર ચિચોંડી ખુર્દમાં મંગળવારે મોડી રાત્રે કેટલાક લોકોએ ઝરીફ બાબાની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યામાં ઝરીફનો ડ્રાઈવર અને એટેન્ડન્ટ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ કેસમાં પોલીસે ગુરુવારે (7 જુલાઈ 2022) એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

    - Advertisement -

    30-32 વર્ષની વયનો (અલગ-અલગ રિપોર્ટ અનુસાર) ઝરીફ વર્ષ 2017 માં તાલિબાનનું જોખમ હોવાનું કહીને ભારત આવ્યો હતો. આટલા ઓછા સમયમાં તે કરોડોની સંપત્તિનો માલિક બની ગયો હતો. અત્યાર સુધીમાં તેની 4 કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે, તેમજ પોલીસના મત અનુસાર તેની વધુ સંપત્તિ અંગે ખુલાસો થઇ શકે છે. 

    કોણ છે ઝરીફ બાબા?

    ઝરીફ બાબા કે સૂફી બાબાના નામથી પ્રખ્યાત ઝરીફ પોતાને ચિશ્તી સૂફી વંશજ ગણાવતો હતો. તે પોતાનું આખું નામ ખ્વાજા સૈયદ ઝરીફ ચિશ્તી મોઇનુદ્દીન કહેતો. કહેવાય છે કે તેનો જન્મ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં થયો હતો. 

    જન્મ બાદ તેનો પરિવાર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આવી ગયો હતો. જે પછી તેણે કૌટુંબિક વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, આ વ્યવસાય શું હતો તે સ્પષ્ટ નથી પરંતુ આ જ મામલે તે બ્રિટનથી લઈને ખાડી દેશોના સંપર્કમાં રહેતો હતો. કહેવાય છે કે પછીથી તે સૂફી ધર્મગુરુનું કામ કરવા લાગ્યો હતો. 

    તાલિબાનનું જોખમ વધ્યા બાદ તે પાકિસ્તાન અને ત્યાંથી ઈરાન ચાલ્યો ગયો હતો. જે બાદ વર્ષ 2017 માં ભારત આવ્યો હતો. થોડો સમય દિલ્હીમાં રહ્યા બાદ કર્ણાટક ગયો હતો. છેલ્લા બે વર્ષથી તે નાસિકના યેવલા નજીક એક નાના ગામમાં રહેતો હતો. 

    ઝરીફ સોશિયલ મીડિયા પર બે યુ-ટ્યુબ અકાઉન્ટ ચલાવતો હતો. આ અકાઉન્ટમાં તેના લખો ફોલોઅર્સ જોડાયેલા હતા. દરરોજ તેની પાસે અનેક લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા. તે નાસિક, કર્ણાટક અને અજમેરની મજારોમાં પણ જતો હતો અને હજારો લોકોને મળતો હતો. 

    કમાણીનાં સાધનો

    તેની કમાણીનાં મુખ્ય સાધન તેની પાસે સારવાર માટે આવતા લોકો અને યુ-ટ્યુબ ચેનલ હતાં. જેના થકી તે લાખો રૂપિયા કમાતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે કિંમતી પથ્થરો વેચવાનું કામ પણ શરૂ કર્યું હતું. તેમજ તેને લોકો પાસેથી દાન પણ મળતું હતું. કહેવાય છે કે તે બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખન્ના ફોટો અને એડિટેડ વિડીયો દ્વારા પોતાનો પ્રભાવ વધારતો હતો.

    રિપોર્ટ અનુસાર, કેટલાક દિવસો પહેલાં તેણે યેવલામાં 15 એકર જમીન ખરીદી હતી અને ત્યાં જ તે પોતાનો સ્થાયી અડ્ડો બનાવવા માંગતો હતો. પોલીસનું માનવું છે કે તે શરણાર્થી હતો એટલે પોતાનું બેન્ક અકાઉન્ટ ખોલી શકતો ન હતો અને પોતાના નામે સંપત્તિ ખરીદી શકતો ન હતો. તેથી બની શકે કે તે બીજાના નામો પર સંપત્તિ ખરીદી રહ્યો હોય. પોલીસનું એવું પણ માનવું છે કે તેની હત્યા પાછળ સંપત્તિ જ મુખ્ય કારણ છે. 

    આઈબીની નજર હતી

    ઝરીફની યુ-ટ્યુબ ચેનલો પર ફોલોઅર્સની સંખ્યા સતત વધતી જતી હતી. એક અફઘાન શરણાર્થી આટલા ઓછા સમયમાં દેશમાં પ્રખ્યાત થઇ ગયા બાદ સુરક્ષા એજન્સીઓ પણ તેની ઉપર નજર રાખવા માંડી હતી. મહારાષ્ટ્રની વાવી પોલીસે 2021 માં ઝરીફ, તેની પત્ની અને ડ્રાઈવર ગફ્ફારની તપાસ કરી રહી હતી. જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ 22 એપ્રિલ 2021 ના રોજ ઇન્ટેલિજન્સ બ્યુરોને સોંપવામાં આવ્યો હતો. ત્યારથી જ આઈબીની તેની ઉપર નજર હતી.

    આર્જેન્ટીના મૂળની મહિલા સાથે લગ્ન

    નાસિક ગ્રામ્ય પોલીસના એસપી સચિન પાટીલના જણાવ્યા અનુસાર, ઝરીફ લગભગ બે વર્ષથી મિરગાંવ શિવારાના એક બંગલામાં રહેતો હતો. તેણે આર્જેન્ટિનામૂળ ની 28 વર્ષીય તિરીના દાઉદી નામની મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, પોલીસને આ લગ્ન સબંધિત કોઈ દસ્તાવેજ મળ્યા ન હતા. 

    ઝરીફ બાબાની હત્યા બાદ સામે આવ્યું કે તેની સાથે એક મહિલા અને એક અફઘાન નાગરિક રહેતા હતા. મહિલા પોતાને તેની પત્ની ગણાવતી હતી. દાઉદીને હિંદી, અંગ્રેજી કે મરાઠીમાંથી એકેય ભાષા આવડતી નથી, જેથી પોલીસનું કહેવું છે કે તેની પૂછપરછ થઇ શકે તેમ નથી. મહિલા પાસે વર્ષ 2023 સુધી ભારતમાં રહેવા માટેના વીઝા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ઝરીફ આર્જેન્ટીનાને લગ્ન કરવાના ઉદ્દેશ્યથી ભારત લાવ્યો હતો. મહિલા સાથે તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને 22 નવેમ્બર 2017 ના રોજ બંને ભારત આવ્યા અને બીજા દિવસે બંનેએ લગ્ન કરી લીધાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં