Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશ બોર્ડરથી ભારત તરફ આવી રહ્યા છે વિદેશી એરક્રાફ્ટ, શેખ હસીનાએ છોડ્યો...

    બાંગ્લાદેશ બોર્ડરથી ભારત તરફ આવી રહ્યા છે વિદેશી એરક્રાફ્ટ, શેખ હસીનાએ છોડ્યો દેશ: હિંસાથી પડી ભાંગી હસીના સરકાર, સેનાનું શાસન લાગુ

    ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથે સંકળાયેલી સીમાથી 10 કિલોમીટર દૂરથી જ AJAX1431 કૉલ સાઈન વાળા એક C-130 વિમાન તેમજ એક સેનાના હેલિકોપ્ટર પર નજર રાખી રહી છે. આ વિમાન દિલ્હી તરફ આગળ વધી રહ્યું હોવાનું કહેવામાં આઈ રહ્યું છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં શેખ હસીનાની ચૂંટાયેલી સરકાર પડી ભાંગી છે. અનામત અને વિદ્યાર્થી આંદોલનના (Bangladesh Protest)નામે શરૂ થયેલી હિંસાની આગમાં દેશ બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. પીએમ હસીનાના રાજીનામાં બાદ બાંગ્લાદેશી સેનાએ શાસન પોતાના હાથમાં લઇ લીધું છે. બીજી તરફ વિરોધ કરી રહેલા ટોળા પીએમ હાઉસમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલ મીડિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે કે શેખ હસીનાએ દેશ છોડી દીધો છે અને તેઓ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં શરણ લઈ શકે છે.

    ન્યુઝ એજન્સી ANI અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથે સંકળાયેલી સીમાથી 10 કિલોમીટર દૂરથી જ AJAX1431 કૉલ સાઈન વાળા એક C-130 વિમાન તેમજ એક સેનાના હેલિકોપ્ટર પર નજર રાખી રહી છે. આ વિમાન દિલ્હી તરફ આગળ વધી રહ્યું હોવાનું કહેવામાં આઈ રહ્યું છે. એજન્સીએ સુત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ એરક્રાફ્ટ પૈકી એકમાં શેખ હસીના (Sheikh Hasina) અને તેમના કેટલાક અંગત લોકો સવાર હોઈ શકે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે શેખ હસીના તેમના વિશ્વાસુ લોકો સાથે ભારત કે પછી દુબઈ, લંડન કે ફિનલેન્ડમાં (Finland) શરણ લઇ શકે છે.

    ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તાપલટો થવાની શક્યતા ઘણા લાંબા સમયથી સેવાઈ રહી હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અનિયંત્રિત હિંસા બાદ રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તાજા સામે આવેલા વિડીયોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈસ્લામિક કટ્ટરપંથીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે બાંગ્લાદેશમાં થયેલી આ હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ સેના બાંગ્લાદેશની સુરક્ષા સંભાળી રહી છે. વડાપ્રધાનના ઘરમાં ઘૂસેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પણ લૂંટ ચલાવી છે. બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ મુજીબુર રહમાનની મૂર્તિ પણ તોડાઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં