Saturday, April 12, 2025
More
    હોમપેજદેશ’14 એપ્રિલે હટાવવામાં આવે આંબેડકરની મૂર્તિઓ’: ખાલિસ્તાની પન્નુએ જારી કર્યો ધમકીભર્યો વિડીયો,...

    ’14 એપ્રિલે હટાવવામાં આવે આંબેડકરની મૂર્તિઓ’: ખાલિસ્તાની પન્નુએ જારી કર્યો ધમકીભર્યો વિડીયો, બાબાસાહેબની પ્રતિમા પર લખ્યું- SFJ ઝિંદાબાદ

    ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે ખાલિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સાથે જ 'શીખ હિંદુ નથી', 'ખાલિસ્તાન ઝિંદાબાદ' અને 'SFJ ઝિંદાબાદ' જેવા ઉશ્કેરણીજનક નારા પણ લખવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના (SFJ) સૌથી મોટા સરગના ગુરપતવંત સિંઘ પન્નુએ (Gurpatvant Singh Pannu) હવે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. પંજાબના જલંધરના ફિલ્લૌર સ્થિત નાંગેલ ગામમાં ડૉ. આંબેડકરની પ્રતિમા (Dr. B.R Ambedkar Statue) સાથે છેડછાડ કરવામાં આવી એવો વિડીયો પન્નુએ બહાર પાડ્યો હતો. તેનો દાવો છે કે, અલગતાવાદી તત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખી દીધું હતું. SFJના આ દલિતવિરોધી કૃત્યને કારણે દલિતોમાં પણ આક્રોશ છે.

    ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે ખાલિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સાથે જ ‘શીખ હિંદુ નથી’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ અને ‘SFJ ઝિંદાબાદ’ જેવા ઉશ્કેરણીજનક નારા પણ લખવામાં આવ્યા હતા. જોકે, અમે પન્નુ દ્વારા જારી કરાયેલા વિડીયોની પુષ્ટિ કરતા નથી. એટલું જ નહીં, પન્નુએ તો જાહેરાત પણ કરી છે કે, આગામી 14 એપ્રિલે રાજ્યભરમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ હટાવી દેવામાં આવે. આ પાછળ તેની દલીલ એ છે કે, ભારતના બંધારણને કારણે જ શીખોને આ દેશમાં કોઈ અધિકાર મળ્યા નથી. આતંકવાદી પન્નુ ઘણીવાર આવા ઉશ્કેરણીજનક વિડીયો બહાર પાડે છે.

    તાજેતરમાં જ એક તસવીર સામે આવી છે, જેમાં તે બુલેટપ્રૂફ જેકેટ પહેરીને જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. તે હાલમાં અમેરિકાના ન્યૂયોર્કમાં રહે છે. થોડા દિવસો પહેલાં અમેરિકાએ પન્નુની હત્યાના પ્રયાસનો આરોપ એક ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર એજન્ટ પર લગાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારથી પન્નુ ડરી ગયો છે અને બહાર આવતો નથી. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા થયા બાદથી તે ડરમાં હતો. તાજેતરની ઘટના વિશે વાત કરીએ તો ફિલ્લૌર પોલીસ હાલમાં આ ઘટનાનો ઇનકાર કરી રહી છે.

    - Advertisement -

    પોલીસનું કહેવું છે કે, પન્નુના વિડીયોનું લોકેશન શોધી કાઢવામાં આવી રહ્યું છે અને માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ આવી પહેલી ઘટના નથી. આ વર્ષે જાન્યુઆરીમાં અમૃતસરમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને મોટાપાયે રાજકારણ પણ થયું હતું. જોકે, આ કૃત્ય કરનાર વ્યક્તિ દલિત હોવાનું બહાર આવ્યું હતું. આકાશદીપ સિંઘ નામના એક વ્યક્તિનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે પ્રતિમા પર ચઢીને તેને હથોડીથી મારતો જોવા મળી રહ્યો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઈને FIR નોંધી હતી.

    આ ઘટના સુવર્ણ મંદિર તરફ જતી હેરિટેજ સ્ટ્રીટ પર આવેલા શહેરમાં બની હોવાથી આ ઘટના પર ઘણો હોબાળો થયો હતો. ત્યાંથી સુવર્ણ મંદિર ઘણું નજીક છે. આ અમૃતસરમાં ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમા હતી. આ ઘટના અંગે ભાજપે શાસક પક્ષ AAP પર નિશાન સાધ્યું હતું. ભાજપે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પરવાનગી વિના આવી ઘટના શક્ય નથી. અગાઉ, અરવિંદ કેજરીવાલે આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને સંસદમાં મુદ્દો બનાવ્યો હતો અને અમિત શાહને ઘેર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં