Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશમણિપુરમાં ફરી ભડકી હિંસા: કૂકી આતંકીઓએ ઘરમાં ઘૂસીને મૈતેઈ વ્યક્તિને મારી નાખ્યો,...

    મણિપુરમાં ફરી ભડકી હિંસા: કૂકી આતંકીઓએ ઘરમાં ઘૂસીને મૈતેઈ વ્યક્તિને મારી નાખ્યો, રૉકેટ હુમલો કરીને એક વૃદ્ધ પૂજારીની પણ કરી હતી હત્યા

    મણિપુરમાં વધી રહેલી હિંસા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ટોળાંએ ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વમાં રાઈફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કરીને સુરક્ષાદળોના હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -

    મે, 2023માં મણિપુરમાં હિંસા ભડકી ઉઠ્યા બાદ મહિનાઓ સુધી રાજ્ય અશાંત રહ્યું હતું. થોડો સમય શાંતિ રહ્યા બાદ હવે ફરી હિંસા શરૂ થઈ છે. શુક્રવારે રાત્રે કૂકી આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં રૉકેટમારો ચલાવ્યો હતો અને એક હિંદુ પૂજારીની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. શનિવારે સવારે પણ અહીં હિંસામાં આતંકવાદીઓએ એક વ્યક્તિને ઘરમાં ઘૂસીને મારી નાખ્યો. ત્યારબાદ થયેલા ગોળીબારમાં અન્ય ચાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં, જેમાંથી ત્રણ કૂકી આતંકવાદીઓ હોવાનું કહેવાય રહ્યું છે.

    અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યમથકથી 5 કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ વિસ્તારમાં એકલા રહેતા એક વ્યક્તિ તેમના ઘરમાં ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન જ આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર તાબડતોડ ગોળી ચલાવી દીધી હતી, પરિણામે તેમનું મોત થયું હતું. ત્યારબાદ અન્ય એક વિસ્તારમાં ગોળીબાર થયો, જેના કારણે ત્રણ કૂકી આતંકવાદીઓ અને એક મૈતેઈ એમ કુલ ચાર વ્યક્તિઓનાં મોત થયાં.

    આ ઘટના બાદ મણિપુરમાં તણાવની સ્થિતિ વધી ગઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે, શુક્રવારે મોડી રાત્રે (6 સપ્ટેમ્બર) એક ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં રાઈફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કરી હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ હથિયાર લૂંટ્યાં છે કે નહીં, તે અંગેની કોઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી.

    - Advertisement -

    પોલીસે ટિયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કર્યા હતા પ્રયાસ

    મણિપુરમાં વધી રહેલી હિંસા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ટોળાંએ ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વમાં રાઈફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કરીને સુરક્ષાદળોના હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે મોક બૉમ્બ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે લાંબો સમય સુધી સંઘર્ષ થયો હતો, આ દરમિયાન પણ 5 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. ઘાયલ લોકોને JNIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં તણાવના કારણે બધી જ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, કમિટી ઓન મણિપુર ઇન્ટીગ્રીટી (COCOMI)એ વિરોધમાં બંધ અને કર્ફ્યુંની હાકલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગમાં 6 સપ્ટેમ્બરના રોજ પૂર્વ મુખ્યમંત્રી મરેમ્બામ કોઈરેંગના ઘર પર કૂકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બપોરે તેમના ઘર પર રોકેટ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો.

    આ મામલે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ઘટનાઓને ‘આતંકવાદી કૃત્યો’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, “રાજ્ય સરકાર આવા હુમલાને અત્યંત ગંભીરતાથી લે છે. તથા આતંકવાદના આવા કૃત્યો સામે લડવા માટે જરૂરી પ્રતિક્રિયા પણ આપશે.” આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, ‘આવનારા 6 મહિનામાં મણિપુરને જરૂરથી શાંત કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની હિંસાને શાંત કર્યા બાદ અચાનક મણિપુરમાં ફરી આવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં