Tuesday, January 14, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિતીર્થરાજ પ્રયાગમાં શરૂ થયું મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન: 'હર હર મહાદેવ'ના નાદ...

    તીર્થરાજ પ્રયાગમાં શરૂ થયું મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન: ‘હર હર મહાદેવ’ના નાદ અને લહેરાતી તલવારો સાથે પહોંચ્યા નાગા સાધુઓ, સવારના 10 વાગ્યા સુધીમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી

    નાગા સાધુઓનું અમૃત સ્નાન જોવા માટે સંગમ ક્ષેત્રમાં 15થી 20 લાખ શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા. અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પણ નાગા સાધુઓના દર્શન માટે આવી પહોંચ્યા હતા. કોઈ ચરણસ્પર્શ માટે આતુર છે તો કોઈ સંગમ સ્નાન કરતાં સાધુઓના દર્શન માટે આતુર છે.

    - Advertisement -

    તીર્થરાજ પ્રયાગમાં (Prayagraj) મહાકુંભની (Mahakumbh) શરૂઆત થઈ ચૂકી છે. દેશવિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આ મહાપર્વમાં સહભાગી થયા છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (First Amrit Snan) મંગળવારે (14 જાન્યુઆરી) સવારે 6:15 કલાકે શરૂ થયું હતું. પવિત્ર સંગમમાં પ્રથમ સ્નાન માટે નાગા સાધુઓ પણ ઉમટી પડ્યા હતા. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે હાથમાં ખુલ્લી તલવારો લઈને રાજસી ઠાઠ સાથે સાધુઓના અખાડા સંગમસ્થાન પર પહોંચ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પ્રાચીન પરંપરા અનુસાર, કિન્નર સંતો પણ પોતાના રાજસી ઠાઠ સાથે મહાસંગમ પ્રયાગરાજ પહોંચ્યા છે. હમણાં સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

    નાગા સાધુઓનું અમૃત સ્નાન જોવા માટે સંગમ ક્ષેત્રમાં 15થી 20 લાખ શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા. અનેક વિદેશી શ્રદ્ધાળુઓ પણ નાગા સાધુઓના દર્શન માટે આવી પહોંચ્યા હતા. કોઈ ચરણસ્પર્શ માટે આતુર છે તો કોઈ સંગમ સ્નાન કરતાં સાધુઓના દર્શન માટે આતુર છે. DGP પ્રશાંત કુમારે જણાવ્યું છે કે, સવારે 7 વાગ્યા સુધીમાં લગભગ 1 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમ સ્નાન કરી લીધું છે. તુર્કીથી આવેલી મુસ્લિમ મહિલા પીનારે પણ સંગમ સ્નાન કરીને સનાતન પ્રત્યે આસ્થા વ્યક્ત કરી છે.

    વિદેશી શ્રદ્ધાળુઓએ પણ કર્યું સંગમ સ્નાન

    નોંધવા જેવું છે કે, એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પૉવેલ પણ મહાકુંભની અનુભૂતિ માટે સાધ્વી બનીને કલ્પવાસ કરી રહ્યા છે. મંગળવારની સવારે તેમણે પણ સંગમ ક્ષેત્રમાં ડૂબકી લગાવી હોવાના અહેવાલ છે. જોકે, ઘણા અહેવાલોમાં તે બાબતને નકારવામાં આવી છે, પરંતુ તેઓ અમૃત સ્નાન કરશે તે નિશ્ચિત છે. તે સિવાય પણ અનેક વિદેશી શ્રદ્ધાળુઓએ પણ પ્રયાગરાજમાં અમૃત સ્નાનનો લાભ લીધો હતો. નોંધવા જેવું છે કે, મકરસંક્રાંતિ પર થઈ રહેલા પહેલા અમૃત સ્નાનને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ અભેદ્ય બનાવી દેવામાં આવી છે.

    - Advertisement -

    યુપી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અનુસાર, હાલ સમગ્ર વિસ્તારમાં CCTV દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. SPG કમાન્ડો પણ તીર્થક્ષેત્રમાં ખડેપગે જોવા મળી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં