Wednesday, June 18, 2025
More
    હોમપેજરાજકારણકેરળના મંત્રીને વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભારત માતાનો ફોટો જોઈ પડ્યો વાંધો,...

    કેરળના મંત્રીને વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભારત માતાનો ફોટો જોઈ પડ્યો વાંધો, રાજભવને હટાવવાની ના પાડી દીધી તો યોજ્યો પોતાનો અલગ પ્રોગ્રામ

    પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી પી. પ્રસાદે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાની હતી. જોકે, કાર્યક્રમના મંચ પર લગાવવામાં આવેલા ભારત માતાના ફોટા પર તેમણે વાંધો ઉઠાવ્યો.

    - Advertisement -

    કેરળના (Kerala) રાજકીય વાતાવરણમાં એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં રાજ્યના કૃષિ મંત્રી પી. પ્રસાદે (P Prasad) રાજભવન ખાતે આયોજિત પર્યાવરણ દિવસના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ બહિષ્કારનું કારણ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના નિવાસસ્થાન રાજભવનના મંચ પર લગાવવામાં આવેલું ભારત માતાનું ચિત્ર (Bharat Mata Photograph) છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલું હોવાનો મંત્રીનો આક્ષેપ છે. આ ચિત્રમાં ભારત માતા ભગવા રંગનો ઝંડો ધરાવતા દર્શાવવામાં આવ્યાં હતાં, જેના પર મંત્રીએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને દૂર કરવાની માંગ કરી હતી.

    પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી પી. પ્રસાદે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાની હતી. જોકે, કાર્યક્રમના મંચ પર લગાવવામાં આવેલા ભારત માતાના ફોટા પર તેમણે વાંધો ઉઠાવ્યો. મંત્રીએ આ ચિત્રને RSSની વિચારધારા સાથે જોડતા તેનો વિરોધ કર્યો અને તેને દૂર કરવાની માંગ કરી. રાજભવનના અધિકારીઓએ જણાવ્યું કે આ ચિત્ર અગાઉ પણ અનેક કાર્યક્રમોમાં પ્રદર્શિત થયું છે અને તે રાજભવનની પરંપરાનો ભાગ છે.

    કેરળ CPIના મંત્રી પ્રસાદે કહ્યું હતું કે, “આ એક ગેરબંધારણીય બાબત છે. આ રાજ્યપાલે પદભાર સંભાળ્યા પછી જ આવા ફેરફારો થયા છે. સામાન્ય ભારત માતાની તસવીર પ્રત્યે અમને સૌથી વધુ આદર અને આદર છે, પરંતુ RSS દ્વારા ઉપયોગમાં લેવાતી તસવીર પ્રત્યે નહીં.”

    - Advertisement -

    યોજાયા 2 અલગ-અલગ કાર્યક્રમો

    મંત્રીએ રાજભવનને ફોન કરીને જાણ કરી કે જો ચિત્ર દૂર કરવામાં નહીં આવે તો તેઓ સમારોહમાં હાજરી આપી શકશે નહીં. પરંતુ આર્લેકર પોતાની વાત પર અડગ રહ્યા અને નિર્દેશ કર્યો કે ચિત્ર દૂર કરવામાં આવશે નહીં. ત્યારબાદ રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સચિવાલયના દરબાર હોલમાં એક કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. પરિણામે ગુરુવારે બે અલગ-અલગ રાજ્ય-સ્તરીય કાર્યક્રમો યોજાયા– એક રાજભવનમાં આર્લેકરની અધ્યક્ષતામાં અને બીજો દરબાર હોલમાં જેમાં પ્રસાદની અધ્યક્ષતા હતી.

    સીપીઆઈ નેતા બિનોય વિશ્વમે પણ રાજભવનની આ કાર્યક્રમમાં ભગવો ધ્વજ ધારણ કરીને ઉભેલા ભારત માતાની છબીનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી હતી. તેમણે કહ્યું, “શું ભારત માતાની છબી ફક્ત ત્યારે જ પૂર્ણ થશે જો તે આરએસએસ ધ્વજ ધારણ કરશે? શું તે ફક્ત ત્યારે જ પૂર્ણ થશે જો તે સિંહની બાજુમાં ઉભા રહેશે? રાજભવન ક્યારેય RSSના આવા હઠીલા વલણ માટેનું પ્લેટફોર્મ ન બનવું જોઈએ.”

    જોકે ભાજપે CPIના નેતાઓના આ વલણની ટીકા કરી હતી. ભાજપના નેતા કુમ્માનમ રાજશેખરને આ વિવાદ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, “મને સમજાતું નથી કે પ્રસાદ કે સીપીઆઈના નેતાઓ આ રીતે પ્રતિક્રિયા કેમ આપી રહ્યા છે. ભારત માતાના ફોટાને ધાર્મિક પ્રતીક તરીકે ન જોવો જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં