Friday, September 20, 2024
More
    હોમપેજદેશઆસામમાં હવે કાઝી નહીં કરી શકે નિકાહ કે તલાકના કાગળિયાં: હિમંતા બિસ્વા...

    આસામમાં હવે કાઝી નહીં કરી શકે નિકાહ કે તલાકના કાગળિયાં: હિમંતા બિસ્વા સરમા સરકારનો મોટો નિર્ણય, બાળનિકાહ અટકાવવા જૂના કાયદાને નિરસ્ત કરવાનું બિલ કર્યું રજૂ

    હિમંતા બિસ્વા સરમાના મંત્રી જોગેન મોહન દ્વારા આસામ મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935 અને આસામ નિરસન અધ્યાદેશ 2024ને સમાપ્ત કરવા માટે આસામ નિરસન વિધેયક 2024 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો.

    - Advertisement -

    આસામ (Assam) સરકારે મુસ્લિમ નિકાહ અને તલાક (Muslim Nikah & Talaq) અંગે મોટો નિર્ણય તેમજ બાળવિવાહ રોકવા માટે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ પર મહત્વનો નિર્ણય લીધો. આસામની સરમા સરકારે ગુરુવારે (22 ઓગસ્ટ 2024) મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન સંબંધિત કાયદાને નિરસ્ત કરવાનું બિલ વિધાનસભામાં રજૂ કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનનો નિયમ સમુદાયના બાળકોને નિકાહ કરવાની અનુમતી આપી શકે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર હિમંતા બિસ્વા સરમાના (Himanta Biswa Sarma) મંત્રી જોગેન મોહન દ્વારા આસામ મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935 અને આસામ નિરસન અધ્યાદેશ 2024ને સમાપ્ત કરવા માટે આસામ નિરસન વિધેયક 2024 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. તેમણે વિધેયક રજૂ કરવાના ઉદ્દેશ્ય અને તેની પાછળના કારણને રજૂ કરતા કહ્યું હતું કે, પુરુષોમાં 21 વર્ષથી ઓછી વય ધરાવતા અને મહિલાઓમાં 18 વર્ષથી ઓછી આયુ ધરાવતા લોકોના નિકાહ રજિસ્ટર થવાની શક્યતાઓ નહીં રહે. તેમના જણાવ્યા અનુસાર આ પહેલા જૂના નિયમોમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નહતી જેમાં સગીર વયના બાળકોના નિકાહ પર નજર રાખી શકાય, તેના દુષ્પ્રભાવ સ્વરૂપ કોર્ટમાં મોટી સંખ્યામાં આ પ્રકારના કેસ વધ્યા હતા.

    તેમણે જણાવ્યું કે, “જૂના કાયદામાં આ પ્રકારની ગેરરીતી પર નજર રાખવા માટે કોઈ જ જોગવાઈ નહોતી. જૂના કાયદામાં અધિકૃત મુસ્લિમ નિકાહ રજીસ્ટાર સાથે સાથે-સાથે નાગરિકો દ્વારા પણ બંને પક્ષોની અનુમતી વગર જ જબરદસ્તી નિકાહ કરી તેનો દુરુપયોગ કરવાની શક્યતાઓ છે. જૂના કાયદામાં નિકાહ અને તલાકનું રજીસ્ટ્રેશન અનિવાર્ય નહોતું. રજીસ્ટ્રેશન સીસ્ટમ તેમાં એક ઔપચારિકતા છે, જેમાં માનદંડોમાં ગેરરીતીની શક્યતાઓ વધી જતી હતી. આ સ્વતંત્રતા પહેલાના બ્રિટીશ ભારત સરકાર દ્વારા આસામ પ્રાંતમાં મુસ્લિમ મઝહબી અને સામાજિક વ્યવસ્થા માટેનો અધિનિયમ હતો.”

    - Advertisement -

    બીજી તરફ આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું હતું કે, 1935ના કાયદા અનુસાર આસામના મુસલમાનોના નિકાહ અને તલાકના રજીસ્ટ્રેશન સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું હતું અને તેમાં વાલીઓને સગીર બાળકોના નિકાહ રજીસ્ટ્રેશન કરવાનું આવેદન આપવાનો અધિકાર હતો. તેમણે કહ્યું કે, “નવા કાયદાથી મુસ્લિમ નિકાહ અને સંચાલન પર કોઈ જ અસર નહીં થાય. તેમાં માત્ર કાઝીઓની જગ્યાએ હવે સરકારી અધિકારીઓ દ્વારા નિકાહનું અને તલાકનું રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેની સાથે-સાથે સગીર બાળકોના નિકાહ રજીસ્ટ્રેશન પર પણ રોક લગાવવામાં આવી છે.”

    નોંધનીય છે કે આસામના મંત્રીમંડળે ગયા મહીને જ આસામ મુસ્લિમ નિકાહ અને તલાક પંજીકરણ અધિનિયમ 1935ને નિરસ્ત કરવાના બીલને મંજૂરી આપી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં