Monday, December 23, 2024
More
    હોમપેજદેશ'વક્ફ પ્રોપર્ટી' તરીકે નોંધાયેલા છે 250 સંરક્ષિત સ્મારકો: ASI તેના નિયંત્રણને પુનઃસ્થાપિત...

    ‘વક્ફ પ્રોપર્ટી’ તરીકે નોંધાયેલા છે 250 સંરક્ષિત સ્મારકો: ASI તેના નિયંત્રણને પુનઃસ્થાપિત કરવા JPCનો કરશે સંપર્ક

    વધુમાં, ASI સંભવતઃ ASI-સંરક્ષિત પરંતુ વકફ-નિયંત્રિત સ્થળો પર જાળવણી અને સંરક્ષણના પગલાંમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે JPCને જાણ કરશે.

    - Advertisement -

    ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના (ASI) આંતરિક સર્વેમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનમાં તેના લગભગ 250 જેટલા સંરક્ષિત સ્મારકો (Protected Monuments) હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે. ASI સંયુક્ત સંસદીય સમિતિનો (JPC) સંપર્ક કરવાની તૈયારી કરી રહી છે જે વક્ફ (સુધારા) બિલની (Waqf (Amendment) Bill) સમીક્ષા કરી રહી છે જેથી તેઓને આ હકીકતોથી માહિતગાર કરવામાં આવે અને આ સ્મારકો પર તેનું નિયંત્રણ પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવે.

    ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ASI યાદીમાં ભારતના મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ અંગેના 2006ના સચ્ચર સમિતિના (Sachar Committee) અહેવાલમાં ઉલ્લેખિત અનેક સ્મારકોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ‘ભારતમાં ASIના અનધિકૃત કબજા હેઠળ વક્ફ પ્રોપર્ટી’ની યાદી આપવામાં આવી છે.

    જો કે ASI યાદીમાં સમાવિષ્ટ તમામ 172 સ્થળો રાષ્ટ્રીય સ્તરે માન્ય સ્મારકો નથી, દિલ્હીમાં કેટલીક નોંધપાત્ર સ્થળોમાં ફિરોઝશાહ કોટલામાં આવેલી જામા મસ્જિદ, RK પુરમમાં આવેલી છોટી ગુમતી મકબરો, તેમજ હૌઝ ખાસ મસ્જિદ અને ઇદગાહનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ચોથી JPC મીટિંગ દરમિયાન, ASI એ અંદાજ લગાવ્યો હતો કે કુલ 120 સ્મારકો હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે, જો કે, તેના વિવિધ વર્તુળોમાંથી વિગતો પ્રાપ્ત કર્યા પછી, ASI એ સંખ્યા સુધારીને 250 કરી છે.

    - Advertisement -

    વધુમાં, ASI સંભવતઃ ASI-સંરક્ષિત પરંતુ વકફ-નિયંત્રિત સ્થળો પર જાળવણી અને સંરક્ષણના પગલાંમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે JPCને જાણ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં