Saturday, June 29, 2024
More
    હોમપેજરાજકારણચૂંટણી પૂર્ણ, સેમ પિત્રોડા ફરી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ: વિવાદિત ટિપ્પણીના કારણે...

    ચૂંટણી પૂર્ણ, સેમ પિત્રોડા ફરી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ: વિવાદિત ટિપ્પણીના કારણે આપવું પડ્યું હતું રાજીનામું, કોંગ્રેસે ફરી નિમણૂક કરી દીધી- સાચી પડી PM મોદીની ભવિષ્યવાણી

    કોંગ્રેસ પાર્ટીએ પોતાના વફાદાર અને ખાસ એવા સેમ પિત્રોડાને ફરી એક વાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર બેસાડી દીધા છે. ગત મે મહિનામાં પિત્રોડાએ ભારતીય લોકોના ચહેરા અને રંગને લઈને વંશીય ટીપ્પણી કરી હતી જે બાદ વિવાદ થતા તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

    - Advertisement -

    પોતાના નિવેદનોને લઈને કાયમ વિવાદમાં રહેતા સેમ પિત્રોડાને કોંગ્રેસે ફરી એક વાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દીધા છે. ગાંધી પરિવારના ખૂબ જ નજીકના એવા સેમ પિત્રોડાએ લોકસભા ચૂંટણી પહેલાં એક વિવાદિત નિવેદનના પગલે રાજીનામું આપવું પડ્યું હતું. પિત્રોડાએ ભારતમાં વિવિધતા દર્શાવવાના નામે વંશીય (Racist) ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ તેમની ખૂબ ટીકા પણ થઈ હતી અને દેશભરમાં વિવાદ થયો હતો. ચાલુ ચૂંટણીએ અણધારી આફત જોતાં કોંગ્રેસે સેમ પિત્રોડાનું રાજીનામું લઇ લીધું હતું.

    મળતી માહિતી અનુસાર, બુધવારે (26 જૂન 2023) કોંગ્રેસે અધિકારિક જાહેરાત કરીને કહ્યું કે, સેમ પિત્રોડાને ફરી એક વાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર નીમવામાં આવ્યા છે. ગત મે મહિનામાં પિત્રોડાએ ભારતીય લોકોના ચહેરા અને રંગને લઈને વંશીય ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ થતા તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે ચૂંટણી પછી જેવું રાજકારણ રાબેતામુ જબ થયું કે કોંગ્રેસે ફરી તેમને તે જ પદ પર બેસાડી દીધા, જ્યાંથી રાજીનામું આપ્યું હતું.

    જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદ સમયે જ કહી દીધું હતું કે આમ થશે જ. NDTVને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “ક્યારેક એવું લાગે છે કે પાર્ટી જાણીજોઈને આમ કરાવતી હોય છે. તેઓ એકલા પોતાની મરજીથી આમ કરતા હોય તેવું મને નથી લાગતું, કારણ કે હોબાળો થયા બાદ કેટલાક દિવસ તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તેમ છતાં ત્યારબાદ તેઓ પાર્ટીની મુખ્યધારા સાથે રહે છે. જેમ અત્યારે અમેરિકામાં તેમના ગુરુ (પત્રકાર સેમ પિત્રોડાનું નામ લે છે) છે તેમને રાજીનામું અપાવી દીધું, થોડા સમય બાદ તેમને ફરી પાછા લઈ લેશે. આ તમની સમજી વિચારેલી રણનીતિ છે. દેશમાં ભ્રમ ફેલાવવો, વાતાવરણ બગાડવું, નવા-નવા મુદ્દા ઉભા કરવા, વિપક્ષને એવા મુદ્દાઓ પર રિએક્ટ કરવા મજબૂર કરવા. પાર્ટી આવી ચાલાકીઓ કરતી રહે છે.”

    - Advertisement -

    શુબ હતું વિવાદિત નિવેદન, જે પછી આપ્યું હતું રાજીનામું?

    કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ 8 મે 2024ના રોજ ભારતની વિવિધતા સમજવવાના બહાને ભારતના લોકોના દેખાવ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે વાત કરતા ભારતમાં વસતા લોકોના દેખાવને લઈને બોલવા લાગ્યા હતા. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “આપણે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશને એકસાથે રાખી શકીએ છીએ. જ્યાં નોર્થ ઈસ્ટના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા દેખાય છે.” સેમ પિત્રોડાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયું હતું. વિવાદ વધતાની સાથે જ પિત્રોડાએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં