Saturday, April 20, 2024
More
    હોમપેજમંતવ્યઅયોધ્યામાં બનતી મસ્જિદના નિર્માણમાં દાન આપવા માટે હિંદુઓ આગળ, 40 ટકા દાન...

    અયોધ્યામાં બનતી મસ્જિદના નિર્માણમાં દાન આપવા માટે હિંદુઓ આગળ, 40 ટકા દાન આપ્યું: ‘ગંગા-જમુની તહેઝીબ’ મજબૂત કરનારાઓને કેટલાક સવાલ

    મસ્જિદ નિર્માણ માટે જે સૌથી પહેલા 11 લોકોએ ‘દાન’ આપ્યું હતું, તેઓ હિંદુઓ હતા. એવું પણ જણાવવામાં આવ્યું કે, મોટી સંખ્યામાં હિંદુઓ ગુપ્ત દાન કરી રહ્યા છે!

    - Advertisement -

    પાંચસો વર્ષના સંઘર્ષ બાદ વર્ષ 2019માં અયોધ્યામાં હિંદુઓને તેમના આરાધ્ય ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે લીલી ઝંડી આપી. તેની સાથે જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન પણ આપવામાં આવી હતી. ભવ્ય મંદિરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મસ્જિદ વિશે નવી જાણકારી સામે આવી છે. 

    પાંચ એકરમાં બનવા જઈ રહેલ મસ્જિદનો પ્લાન તો પાસ થઇ ગયો છે પણ હજુ કાયદાકીય કોકડું ગૂંચવાયું છે, જેના કારણે મસ્જિદ નિર્માણમાં મોડું થઇ રહ્યું છે. કારણ એ છે કે જમીન એગ્રીકલ્ચર યુઝ માટેની છે, એટલે તેમાં બાંધકામ ન થઇ શકે. આ માટે જે-તે જવાબદાર વ્યક્તિઓએ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને અરજી કરી છે. નકશો પાસ થયા બાદ આગળ કામ ચાલશે. 

    બીજી તરફ, જાણવા એવું મળ્યું છે કે, આ મસ્જિદ માટે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાંથી ‘દાન’ આવ્યું છે. અને આ દાનમાંથી 40 ટકા હિસ્સો હિંદુઓનો હોવાનું કહેવાય છે. અહેવાલો જણાવે છે કે, મસ્જિદ માટે અત્યાર સુધી આવેલ દાનનો 30 ટકા હિસ્સો મુસ્લિમો, 30 ટકા હિસ્સો કોર્પોરેટ્સ તરફથી જ્યારે 40 ટકા હિસ્સો હિંદુઓ તરફથી મળ્યો છે. 

    - Advertisement -

    મસ્જિદ ટ્રસ્ટના મંત્રી અતહર હુસૈન ભાસ્કરને જણાવે છે કે, ઓગસ્ટ 2020માં તેમણે મસ્જિદ નિર્માણમાં આર્થિક સહયોગ આપવા માટે બેંકની વિગતો જારી કરી હતી. તેઓ કહે છે, “અત્યાર સુધી અમારી પાસે 40 લાખ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે. જેનો લગભગ 30 ટકા હિસ્સો કોર્પોરેટ તરફથી આવ્યો છે, 30 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાય જ્યારે બાકીનો 40 ટકા હિસ્સો હિંદુ સમુદાય તરફથી આવ્યો છે.”

    અન્ય એક રિપોર્ટ જણાવે છે કે, અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે જે સૌથી પહેલા 11 લોકોએ ‘દાન’ આપ્યું હતું, તેઓ હિંદુઓ હતા. એવું પણ જણાવવામાં આવ્યું કે, મોટી સંખ્યામાં હિંદુઓ ગુપ્ત દાન કરી રહ્યા છે!

    મસ્જિદ સમિતિએ તો એવું પણ કહ્યું કે તેમણે આ ‘દાન’ ઉઘરાવવા માટે કોઈ પણ પ્રકારનું અભિયાન ચલાવ્યું નથી. એટલે એનો અર્થ એ થયો કે હિંદુઓ સામે ચાલીને ‘ગંગા-જમુની તહેઝીબ’ને બળ આપવા માટે મહેનતનો રૂપિયો દાન કરી રહ્યા છે. 

    આ ‘ગંગા-જમુની તહેઝીબ’ એ જ બકવાસ અને ફાલતુ બાબત છે જેની વાતો કરીને તથાકથિત લિબરલો અને કથિત સેક્યુલરો હિંદુઓને પગ તળે કચડતા આવ્યા છે. આ તહેઝીબ ખરેખર હોત તો તમારે ભગવાન રામની જન્મભૂમિની લડાઈ લડવા માટે આટલાં વર્ષો સંઘર્ષ કરવો પડ્યો ન હોત કે ભગવાન આટલાં વર્ષો તંબૂમાં રહ્યા ન હોત. ખરેખર આ ‘તહેઝીબ’ અસ્તિત્વ ધરાવતી હોત તો કન્હૈયાલાલ, ઉમેશ કોલ્હે અને એવા સેંકડો લોકો આજે આપણી વચ્ચે હોત, જેઓ માત્ર ‘કાફિર’ હોવાના કારણે ધર્માન્ધ મઝહબીઓ દ્વારા માર્યા ગયા હતા. 

    ‘ધાર્મિક સૌહાર્દ’ની આડમાં વાસ્તવિકતાથી કિનારો કરી શકાય નહીં. અને વાસ્તવિકતા એ છે કે અહીં દર થોડા દિવસે કોઈને કોઈ શહેરની કોઈ શેરીમાં ‘સર તન સે જુદા’ના નારા લાગે છે. વાસ્તવિકતા એ છે કે કોઈ વિવાદિત માળખામાંથી શિવલિંગ મળી આવે ત્યારે તેની મજાક ઉડાવવામાં આવે છે. અને તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એક આખી ગ્લોબલ ઇકોસિસ્ટમ વચ્ચે કૂદી પડે છે અને વાત ‘સર તન સે જુદા’ સુધી પહોંચી જાય છે. 

    એટલે ધર્મનિરપેક્ષતા અને આવી તહઝીબના ઝંડા લઈને ફરતાં પહેલાં એ જોજો કે માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કે સામેનો વ્યક્તિ જુદી ધાર્મિક માન્યતા ધરાવતો હોવાના કારણે છેક હત્યા કરવા સુધી પહોંચી જતી મઝહબી વિચારધારાને પોષવામાં ક્યાંક તમારું પણ યોગ’દાન’ નથી ને? કારણ કે, આજના સમયમાં તમારું કામ માત્ર એક પોતાની વિચારધારા ધરાવતી સરકારને મત આપી આવવા માત્ર જેટલું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં