અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની (Ahmedabad Plan Crash) દુર્ઘટનાની ગંભીરતાને જોતા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. આ પહેલાં અહેવાલ આવ્યા હતા કે શાહ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) સંપર્કમાં છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી.”
Pained beyond words by the tragic plane crash in Ahmedabad. Disaster response forces have been quickly rushed to the crash site. Spoke with the Gujarat Chief Minister Shri Bhupendra Patel, Home Minister Shri Harsh Sanghavi, and Commissioner of Police Ahmedabad to assess the…
— Amit Shah (@AmitShah) June 12, 2025
દુર્ઘટનાને લઈને PM મોદીએ પણ X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે. હું અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.”
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
ગુજરાત સરકારે દુર્ઘટનાની ગંભીરતાને જોતા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ સક્રિય કર્યો છે. સરકારે લેન્ડલાઇન: 079-23251900 મોબાઇલ: 99784 05304 પોલીસ હેલ્પલાઇન: 079-25620359 આ નંબર જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જે આ 07925620359 છે.
In view of the Ahmedabad plane crash incident, the state government has activated a Control Room at the State Emergency Operations Centre.
— Gujarat Police (@GujaratPolice) June 12, 2025
For any related assistance
Landline: 079-23251900
Mobile: 99784 05304
Police Helpline: 079-25620359
આ સિવાય ક્રેશને ધ્યાનમાં રાખીને સંકલન કરવા માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા એક ઓપરેશનલ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે. જેના નંબર 011-24610843 | 9650391859 આ અનુસાર છે.
In light of the AI171 crash, an Operational Control Room has been activated at the Ministry of Civil Aviation to coordinate all details.
— MoCA_GoI (@MoCA_GoI) June 12, 2025
Contact: 011-24610843 | 9650391859
We are committed to swift response and full support to all affected.@RamMNK @mohol_murlidhar
નોંધનીય છે કે સિવિલ એવિએશન મંત્રી રામમોહન નાયડુ પણ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે. અહેવાલ અનુસાર યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન, ઇયર સ્ટારમરે પણ પોસ્ટ કરીને માહિતી આપી છે કે આ પ્લેન ક્રેશને લઈને ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે.