Thursday, September 19, 2024
More
    હોમપેજરાજકારણશરિયાનું કડક અર્થઘટન, વાંધાજનક અભ્યાસક્રમ, કટ્ટરવાદ સાથે સંબંધ, ઇસ્લામની સર્વોપરિતા, બાળ અધિકારોનું...

    શરિયાનું કડક અર્થઘટન, વાંધાજનક અભ્યાસક્રમ, કટ્ટરવાદ સાથે સંબંધ, ઇસ્લામની સર્વોપરિતા, બાળ અધિકારોનું પણ ઉલ્લંઘન: NCPCRએ મદરેસા તાલીમના જોખમને લઈને સુપ્રીમ કોર્ટ સામે કર્યા અનેક ઘટસ્ફોટ

    કમિશને વધુમાં કહ્યું કે, "આયોગે દારૂલ ઉલૂમ દેવબંદની વેબસાઇટ પર એક અન્ય વાંધાજનક કન્ટેન્ટની નોંધ પણ લીધી છે, જેમાં એક ફતવામાં ભારત પર આક્રમણ (ગઝવા-એ-હિંદ) વિશે વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, જે કોઈપણ આ માટે મરશે, તે મહાન શહીદ હશે."

    - Advertisement -

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (NCPCRએ) એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં દેશની સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ભારતમાં મદરેસાઓની શિક્ષણ પ્રણાલી મૂળભૂત રીતે ખામીયુક્ત છે. કમિશને કહ્યું છે કે, ભારતના બંધારણ દ્વારા બાળકોને આપવામાં આવેલા શિક્ષણના અધિકારોનું મદરેસાઓમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. NCPCR અનુસાર, “મદરેસા તાલીમ બાળકોના શિક્ષણના અધિકારને ગંભીરપણે અવરોધે છે અને શિક્ષણનો અધિકાર અધિનિયમ અથવા બંધારણની કલમ 21A હેઠળ તેનો કોઈ બંધારણીય આધાર પણ નથી.”

    દારૂલ ઉલૂમ દેવબંદનો પ્રભાવ: કટ્ટરવાદનો માર્ગ?

    NCPCRએ પોતાના રિપોર્ટમાં મદરેસાઓ પર દારૂલ ઉલૂમ દેવબંદના ગંભીર પ્રભાવને ઉજાગર કર્યો છે. આયોગે તેને ‘શરિયાની ખૂબ સખત અને રૂઢિવાદી વ્યાખ્યા કરનારી વિચારધારા’ ગણાવી છે. NCPCRએ વધુમાં જણાવ્યું છે કે, “તાલિબાનના કટ્ટરપંથી જૂથોએ તેવું પણ કહ્યું છે કે, તેઓ દારૂલ ઉલૂમ દેવબંદની મઝહબી અને રાજકીય વિચારધારાઓથી પ્રભાવિત છે અને મદરેસાઓ પણ આ જ વિચારધારાની હાજરી પણ જોવા છે.” બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કરવામાં આવેલા આ દાવાઓએ મદરેસામાં બાળકોના થઈ રહેલા કટ્ટરપંથીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

    ઔપચારિક શિક્ષણ અને મૂળભૂત અધિકારોથી વંચિત છે બાળકો

    આયોગે વધુમાં જણાવ્યું હતું કે, મદરેસાઓમાં ભણતા બાળકો શિક્ષણના અધિકાર (RTE) 2009 હેઠળના પોતાના મૌલિક અધિકારોથી વંચિત રહ્યા છે. તેમને પ્રમાણભૂત શિક્ષણ, મધ્યાહન ભોજન અને પ્રશિક્ષિત શિક્ષકો સુધીની પહોંચ પણ મળી શકતી નથી. આયોગે વધુમાં કહ્યું કે, “RTE કાયદાની ગેરહાજરીના કારણે મદરેસામાં ભણતા બાળકો તે સુવિધાઓ અને અધિકારોથી વંચિત રહે છે, જે નિયમિત સ્કૂલોમાં ભણતા બાળકોને આપવામાં આવે છે.” તે સિવાય NCPCRએ કહ્યું કે, મદરેસાઓમાં શારીરિક દંડ આપવાનો એક ગંભીર મુદ્દો પણ છે. બાળકોને ઇસ્લામની સર્વોપરિતા વિશે જ ભણાવવામાં આવે છે અને મદરેસા પરિસરની અંદર જ સગીર બાળકો વિરુદ્ધ દુષ્કર્મના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

    - Advertisement -

    કમિશને કહ્યું કે લઘુમતી સંસ્થાઓ હોવાને કારણે, મદરેસાઓને પ્રતિરક્ષા મળે છે જે “કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે (કલમ 14); ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ (કલમ 15(1)); બાળકોને સ્વસ્થ રીતે અને સ્વતંત્રતા અને ગૌરવની પરિસ્થિતિઓમાં વિકાસ કરવાની તકો અને સુવિધાઓ આપવામાં આવે છે અને બાળપણ અને યુવાની દરમિયાન શોષણ અને નૈતિક અને શારીરિક ત્યાગથી સુરક્ષિત રાખવામાં આવે છે (કલમ 39(f) અને કલમ 13(2) તે જવાબદારી પણ લાદે છે. મૂળભૂત અધિકારો હેઠળ પૂરા પાડવામાં આવેલ અધિકારોને છીનવી લેતો અથવા સંક્ષિપ્ત કરતો હોય એવો કોઈ કાયદો બનાવવો નહીં અને તેના ઉલ્લંઘનમાં બનેલો કોઈપણ કાયદો ઉલ્લંઘનની હદ સુધી લાગુ કરવા યોગ્ય રહેશે.”

    મદ્રેસાઓમાં બિન-મુસ્લિમ વિધાર્થીઓ: ધાર્મિક બળજબરીનો મામલો

    NCPCR દ્વારા કરવામાં આવેલા અન્ય એક ચોંકાવનારા ખુલાસામાં જાણવા મળ્યું છે કે, મદરેસાઓમાં મોટી સંખ્યામાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જે ભારતના બંધારણની કલમ 28(3)નું ઉલ્લંઘન દર્શાવે છે. આ ખુલાસાની સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ સંસ્થાઓ ઇસ્લામી શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે, તે દર્શાવે છે કે, ઇસ્લામી સંસ્થા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 75નું ઉલ્લંઘન કરે છે. NCPCRએ દલીલ કરી હતી કે, “બાળકોને ઇસ્લામ સિવાય કોઈ અન્ય ધર્મને માનતા રોકવા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 75નું સ્પષ્ટ ઉલ્લંઘન છે.”

    અભ્યાસક્રમમાં વાંધાજનક કન્ટેન્ટ: કટ્ટરપંથી વિચારોને પ્રોત્સાહન આપવું

    NCPCRએ દારૂલ-ઉલૂમ-દેવબંદ દ્વારા જારી કરવામાં આવેલા ફતવાઓના આધારે મદરેસાઓમાં નિર્ધારિત પુસ્તકોની પણ નોંધ લીધી હતી. એક ફતવામાં કહેવાયું છે કે, “તક્વિયત-ઉલ-ઈમાન એક પ્રામાણિક પુસ્તક છે.” આ પુસ્તક ઇસ્લામ પર પોતાના કઠોર અને કટ્ટરપંથી વિચારો માટે જાણીતું છે. આયોગને જાણવા મળ્યું કે, મદરેસાઓના શિક્ષણમાં ઇસ્લામની સર્વોપરિતા વિશે વાત કરતાં અનેક લખાણો સામેલ છે. જેના કારણે ધર્મ-પ્રચારને લઈને પણ ચિંતા વધી ગઇ છે. તે સિવાય NCPCRને જાણવા મળ્યું છે કે, મદરેસાઓમાં ઉપયોગમાં લેવાતા કેટલાક પુસ્તકોમાં સગીરો સાથેના અયોગ્ય સંબંધોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ મદરેસા શિક્ષણ પ્રણાલી અંગે ઘણી નૈતિક અને કાયદાકીય ચિંતાઓ પેદા કરે છે.

    આયોગે જણાવ્યું હતું કે, “કમિશનને દારૂલ ઉલૂમ દેવબંદ દ્વારા જારી કરવામાં આવેલા ફતવાઓ અંગેની ફરિયાદો મળી છે, જેમાં ‘બહિશ્તી ઝેવર’ નામના એક પુસ્તકનો સંદર્ભ પણ સામેલ છે. અહીં તે ઉલ્લેખ કરવો યોગ્ય છે કે, ઉપરોક્ત પુસ્તકમાં એવી સામગ્રી હતી, જે ન માત્ર બાળકો માટે અયોગ્ય છે, પરંતુ બાળકો માટે વાંધાજનક અને ગેરકાયદેસર પણ છે. કારણ કે, તેમાં સગીર સાથે શારીરિક સંબંધ બાંધવા અંગેનું લખાણ જોવા મળ્યું છે. આરોપ છે કે, આ પુસ્તક મદરેસાઓમાં બાળકોને ભણવામાં આવતી હતી. આ રીતની વાંધાજનક જાણકારી ધરાવતા અન્ય ફતવા તમામ લોકો માટે ઉપલબ્ધ છે.” 2023માં NCPCRની નોટિસ બાદ આ પુસ્તકને દારૂલ ઉલૂમ દેવબંદની વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યું હતું.

    આયોગે વધુમાં જણાવ્યું કે, દારૂલ ઉલૂમ દેવબંદની વેબસાઇટ પર ‘ગઝવા-એ-હિંદ’ સાથે જોડાયેલો એક ફતવો પણ મળી આવ્યો છે. કમિશને વધુમાં કહ્યું કે, “આયોગે દારૂલ ઉલૂમ દેવબંદની વેબસાઇટ પર એક અન્ય વાંધાજનક કન્ટેન્ટની નોંધ પણ લીધી છે, જેમાં એક ફતવામાં ભારત પર આક્રમણ (ગઝવા-એ-હિંદ) વિશે વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, જે કોઈપણ આ માટે મરશે, તે મહાન શહીદ હશે.” કમિશને કહ્યું કે, એક શૈક્ષણિક સંસ્થા હોવાના નાતે, આ રીતના ફતવા જારી કરવાથી ‘બાળકોમાં પોતાના જ દેશ પ્રત્યે નફરત પેદા થાય છે અને તેના કારણે બાળકોને બિનજરૂરી માનસિક અને શારીરિક કષ્ટો સહન કરવા પડે છે.”

    બંધારણીય દુરુપયોગ અને દેખરેખનો અભાવ

    આયોગે જણાવ્યું છે કે, મદરેસાઓ દ્વારા પોતાના કામોને યોગ્ય ઠેરવવા માટે બંધારણની કલમ 29(2)નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કમિશને કહ્યું, “મદરેસાઓ ઇસ્લામી અભ્યાસ શીખવવા માટેની પ્રાથમિક સંસ્થા તરીકે કામ કરે છે, તે વાતથી ઇનકાર કરી શકાય નહીં” NCPCRએ દલીલ કરી હતી કે, આ રીતની છૂટ બાળકોને સંતુલિત અને ઔપચારિક શિક્ષણ પ્રદાન કરવાની વ્યાપક બંધારણીય જવાબદારીઓને સુસંગત નથી. આ સંસ્થાઓ પર ‘ભારતના બંધારણની કલમ 29(2)ની આડમાં’ અન્ય કામ કરવાનો આરોપ લાગ્યો છે.

    ‘ગંભીર ગેરવર્તણૂક’ને સુધારવા માટે ન્યાયિક સમીક્ષાની માંગ

    NCPCRને અંજુમ કાદરીની અરજીને પડકાર આપ્યો છે. કાદરીએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી ઉત્તર પ્રદેશમાં મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004 રદ થવાને લઈને દાખલ કરવામાં આવી હતી. આયોગે જણાવ્યું છે કે, આ અધિનિયમ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો અને કલમ 14, 21 અને 21Aના બંધારણીય આદેશો વિરુદ્ધ છે.

    ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બેંચે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવીને કહ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં કાયદેસર હિત હોવા છતાં તેનો ઉપાય અધિનિયમને રદ કરવો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં