Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતઅમરેલીમાં 50 કિલો ગૌમાંસ સાથે પકડાયો હતો આસિફ, ગૌહત્યા મામલે 10 વર્ષની...

    અમરેલીમાં 50 કિલો ગૌમાંસ સાથે પકડાયો હતો આસિફ, ગૌહત્યા મામલે 10 વર્ષની સજા ફટકારાઈ: કોર્ટે માન્યું- ગાય હિંદુઓમાં પવિત્ર તે જાણતો હોવા છતાં લાગણી દુભાવવાના ઇરાદે કરી હતી કતલ

    આ મામલો 6 નવેમ્બર, 2021નો છે. આસિફ વિરુદ્ધ અમરેલી શહેર પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ IPC તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ગૌવંશની કતલ કરીને લોહી પાલિકાની ગટરમાં વહેવડાવા મામલે અમરેલીની સેશન્સ કોર્ટે એક મુસ્લિમ શખ્સને 10 વર્ષની સજા ફટકારી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આરોપીની ઓળખ આસિફ અલારખ તરકવડીયા તરીકે થઈ છે. મામલો 2021નો છે, જે મામલે 13 ઑગસ્ટ, 2024ના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો. 

    આ મામલો 6 નવેમ્બર, 2021નો છે. આસિફ વિરુદ્ધ અમરેલી શહેર પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ IPC તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ બાદ કોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો. પહેલાં મામલો સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાંથી પછીથી માર્ચ, 2023માં સેશન્સ કોર્ટને કેસ કમિટ કરી દેવાયો હતો. 

    કેસની વધુ વિગતો અનુસાર, કેસ નોંધાયાના દિવસે પોલીસે બાતમીના આધારે આસિફના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 50 કિલો ગૌમાંસ અને પશુ કાપવાનાં સાધનો મળી આવ્યાં હતાં. ત્યારબાદ તેની ધરપકડ કરીને અમરેલી શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. FIRમાં જણાવવામાં આવ્યું હતું કે, આસિફે ગાય હિંદુ ધર્મનું પવિત્ર પ્રતીક માનવામાં આવતી હોવાનું જાણવા છતાં હિંદુઓની લાગણી દુભાય તેવું કૃત્ય કરીને આર્થિક ફાયદો મેળવવાના ઈરાદે ગૌવંશ કાપીને લોહી અને અન્ય ખરાબ કચરો નગરપાલિકાની ખુલ્લી ગટરમાં કાપી ઉપદ્રવ ફેલાવ્યો હતો. 

    - Advertisement -

    મામલો પ્રથમ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 17 સપ્ટેમ્બર, 2022ના રોજ ચાર્જશીટ રજૂ કરી હતી. પરંતુ પછીથી માર્ચ, 2023માં કેસને સેશન્સ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગત 2 ઑગસ્ટના રોજ આરોપી સામે ચાર્જ ફ્રેમ કર્યા હતા અને 8 ઓગસ્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. આખરે 13 ઑગસ્ટના રોજ ચુકાદો જાહેર કરીને આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો. 

    કોર્ટે માન્યું- હિંદુઓની લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હતું

    તમામ દલીલોને અંતે અને રેકર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ અને તથ્યોને ધ્યાને લેતાં કોર્ટે માન્યું કે આરોપીએ ગૌવંશની કતલ કર્યાનું પ્રસ્થાપિત થાય છે. જેથી IPCની કલમ 429 હેઠળ તે ગુનેગાર સાબિત થાય છે. આ ઉપરાંત, ગાય હિંદુ ધર્મ માટે પવિત્ર માનવામાં આવતી હોવાનું જાણવા છતાં આરોપીએ કતલ કરી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું અને ઉમેર્યું હતું કે IPC 295 હેઠળ કોઇ ધર્મનું દ્વેષભાવનાથી અપમાન કરવું એ ગુનો બને છે. ઉપરાંત, કોર્ટે તેને ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ પણ ગુનેગાર ઠેરવ્યો હતો, જેમાં પશુને ક્રૂરતાપૂર્વક બાંધી રાખીને માર મારવા પર સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

    અંતિમ હુકમમાં કોર્ટે આસિફને IPCની કલમ 295 અને 429 તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1-C) અને કલમ 6(b)ના ભંગ બદલ કલમ 8 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 295 હેઠળ 2 વર્ષની સજા અને 2 હજારનો દંડ, IPC 429 હેઠળ 3 વર્ષની સજા અને 3 હજારનો દંડ, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ અને GPAની કલમ 119 હેઠળ 2 માસની સજા ફટકારવામાં આવી હતી. તેણે તમામ સજા સાથે ભોગવવાની રહેશે. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં