Saturday, June 29, 2024
More
    હોમપેજદેશશપથગ્રહણ દરમિયાન પેલેસ્ટાઇન સમર્થક નારાથી અસદુદ્દીન ઓવૈસીના સાંસદપદ પર જોખમ? જાણો શું...

    શપથગ્રહણ દરમિયાન પેલેસ્ટાઇન સમર્થક નારાથી અસદુદ્દીન ઓવૈસીના સાંસદપદ પર જોખમ? જાણો શું કહે છે બંધારણના આર્ટિકલ 102 અને 103, જેના હેઠળ થઈ છે ફરિયાદ

    AIMIM નેતા અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ કલમ 102 (D) અને 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાથી હવે એ વાત ચર્ચામાં આવી છે કે, શું કોઈ સાંસદ કોઈ અન્ય દેશ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી શકે છે? બંધારણની કલમ 102 (D)માં આ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.

    - Advertisement -

    18મી લોકસભાના પ્રથમ સત્રમાં બીજા દિવસે પણ ઘણા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં AIMIM સાંસદ અસદુદ્દીન ઔવેસી રહ્યા છે. તેમને શપથ ગ્રહણ કર્યા બાદ ‘જય પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કાશી અને મથુરાનાં મંદિરો માટે કેસ લડી રહેલા વકીલ હરિ શંકર જૈન અને અન્ય એક વકીલે તેમના વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. બંને વકીલોએ બંધારણની કલમ 102 (D) અને 103 હેઠળ ઔવેસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે બંધારણના આ બંને આર્ટિકલ વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે.

    AIMIM નેતા અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ કલમ 102 (D) અને 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાથી હવે એ વાત ચર્ચામાં આવી છે કે, શું કોઈ સાંસદ કોઈ અન્ય દેશ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી શકે છે? બંધારણની કલમ 102 (D)માં આ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. બંધારણના આ આર્ટિકલની જો વાત કરવામાં આવે તો ‘જય પેલેસ્ટાઇન’ના નારા સંસદ ભવનમાં લગાવવા પર ઔવેસીની લોકસભા સભ્ય તરીકે સદસ્યતા પણ જઈ શકે છે. બંધારણના એ આર્ટિકલ વિશે વિસ્તારથી સમજવાના પ્રયાસ કરીએ.

    આર્ટિકલ 102 શું કહે છે?

    અસદુદ્દીન ઔવેસી દ્વારા ભારતના સંસદ ભવનમાં લગાવવામાં આવેલા વિદેશી રાષ્ટ્ર પ્રત્યે આસ્થા દર્શાવતા નારાથી તેમનું લોકસભાના સભ્ય તરીકેનું પદ જઈ શકવાની સંભાવના છે. બંધારણના આર્ટિકલ 102ના ભાગ Dમાં આ અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે.

    - Advertisement -

    લોકસભાના સભ્યનું સભ્યપદ જઈ શકે જો-

    • (A) જો તે વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈપણ રાજ્યની સરકાર હેઠળ કોઈ લાભદાયી પદ કે હોદ્દો ધરાવતો હોય તો તે વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે નહીં. તેથી તેણે પહેલાં જે-તે સરકારમાં રહેલા પદ પરથી રાજીનામું આપવું પડશે.
    • (B) જો સભ્યની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને કોર્ટ દ્વારા તેમને માનસિક રીતે અનફીટ ઠેરવ્યો હોય તો તેવો સભ્ય પણ લોકસભાના સાંસદ તરીકે અયોગ્ય છે.
    • (C) જો તેને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તો તેવો વ્યક્તિ સંસદના સભ્ય તરીકે અયોગ્ય છે. (નાદાર એટલે એવી વ્યક્તિ જે તેના દેવાની ચૂકવણી કરી શકતી નથી અને જ્યાં સુધી તે તે સ્થિતિમાં રહે ત્યાં સુધી તેને નાદાર ગણવામાં આવશે.)
    • (D) જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે.
    • (E) જો કોઈ વ્યક્તિને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવે તો તે પણ લોકસભાના સભ્ય તરીકે કાર્ય કરી શકે નહીં.
    આર્ટિકલ 102 અને તેની જોગવાઈઓ (ફોટો: Legislative Department)

    આપણે બંધારણની કલમ 102 હેઠળ આવતા 5 ભાગો વિશે ચર્ચા કરી છે. તેમાં ભાગ ચોથો એટલે ‘D’ તેવા વ્યક્તિને દર્શાવે છે, જેની નિષ્ઠા અન્ય દેશ કે દેશો પ્રત્યેની હોય છે. બંધારણની કલમ 102(D) અથવા તો 102(4) હેઠળ તે વ્યક્તિનું લોકસભા સભ્યપદ જતું રહે છે. તો આ ભાગ હેઠળ અસદુદ્દીન ઔવેસી પર પણ કાર્યવાહી થઈ શકે છે.

    આર્ટિકલ 103

    બંધારણની કલમ 103 રાષ્ટ્રપતિને વિશેષ સત્તા આપે છે. બંધારણની કલમ 103માં કહેવાયું છે કે, “જો આર્ટિકલ 102 હેઠળ અયોગ્યતાનો કેસ ઉઠે છે તો આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલવા આવશે અને તેમનો નિર્ણય આખરી હશે.” આ સાથે તેમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિ આવા કેસમાં ચૂંટણી પંચની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય કરશે. તેથી જ બંને વકીલોએ અસદુદ્દીન ઔવેસી વિશેની ફરિયાદ રાષ્ટ્રપતિને કરી છે. હવે રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ સાથે મળીને આ અંગેનો નિર્ણય લેશે. ખાસ નોંધવા જેવું છે કે, આ મામલે રાષ્ટ્રપતિનો નિર્ણય આખરી રહેશે. એટલે રાષ્ટ્રપતિ ઔવેસીને પદ છોડવા માટે કહે તો, તો પક્ષ કે પ્રતિપક્ષ દ્વારા પણ તેનો વિરોધ થઈ શકે નહીં.

    આર્ટિકલ 103ની જોગાવાઈ (ફોટો: Legislative Department)

    નોંધનીય છે કે, હૈદરાબાદથી ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે (26 જૂન, 2024) લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી ‘જય પેલેસ્ટાઇન’નો નારો લગાવ્યો હતો. તેમણે ઉર્દૂમાં શપથ લીધા. ઉર્દૂમાં શપથ લેનાર અસદુદ્દીન ઓવૈસીએ ‘જય ભીમ, જય મીમ’ કહ્યું અને ‘અલ્લાહુ અકબર’ પણ બોલ્યા, પરંતુ તેમણે અંતમાં ‘જય પેલેસ્ટાઇન’ પણ કહ્યું હતું. આ દરમિયાન પૂર્વ ચંપારણના ભાજપના સાંસદ રાધામોહન સિંઘ અધ્યક્ષતા કરી રહ્યા હતા અને નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવી રહ્યા હતા. જોકે, ભારે વિરોધ બાદ ઓવૈસીનો ‘જય પેલેસ્ટાઇન’નો ઉલ્લેખ સંસદની કાર્યવાહીના રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં