Thursday, September 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈદના જુલૂસમાં રાજસ્થાનથી લઈને બિહાર સુધી થયું રાષ્ટ્રધ્વજનું અપમાન, તિરંગામાં અશોક ચક્રના...

    ઈદના જુલૂસમાં રાજસ્થાનથી લઈને બિહાર સુધી થયું રાષ્ટ્રધ્વજનું અપમાન, તિરંગામાં અશોક ચક્રના સ્થાને લગાવી દીધા ચાંદ-તારા: વિડીયો વાયરલ

    બિહારની ઘટનાની જેમ રાજસ્થાનના કોટામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ઈદના જુલૂસમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું અને તિરંગા પર ચાંદ અને તારાના નિશાન બનાવવામાં આવ્યા હતા. જુલૂસમાં આ ધ્વજ લહેરાવવામાં પણ આવ્યો હતો.

    - Advertisement -

    ઈદના જુલૂસમાં રાષ્ટ્રધ્વજનું અપમાન (Insult Of National Flag) થયું હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. રાજસ્થાનથી (Rajasthan) લઈને બિહાર (Bihar) સુધી આવી ઘટનાઓ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. બિહારના સારણ (Saran) જિલ્લામાં કોપા બજારમાં ઈદના જુલૂસ દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. મોહમ્મદ પયગંબરના જન્મદિન મિલાદ-ઉલ-નબીના જુલૂસ દરમિયાન તિરંગામાં અશોક ચક્રના સ્થાને ચાંદ-તારા લગાવી દેવામાં આવ્યા હતા, જે બાદ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટા પાયે હોબાળો થયો હતો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આવી જ ઘટના રાજસ્થાનના કોટામાંથી (Kota) પણ સામે આવી હતી, જેમાં પોલીસે તિરંગો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

    બિહારની ઘટનાને લઈને સારણ પોલીસ અધિક્ષક (SP) કુમાર આશીષે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ભારતીય ધ્વજ સંહિતા 2022 સહિત ઘણી કલમોના ઉલ્લંઘનને ધ્યાને રાખીને પોલીસે FIR નોંધી છે. SP આશીષે વધુમાં જણાવ્યું છે કે, પોલીસે વિવાદિત ઝંડાને જપ્ત કરી લીધો છે. આ સાથે જ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તરત કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કોના પ્રભાવ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે, તે જાણવા માટે પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

    SP કુમાર આશીષે વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, વિડીયોની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, આ ઘટના કોપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપા બજારની છે. જ્યાં મિલાદ-ઉલ-નબીના જુલૂસ દરમિયાન આ વિવાદાસ્પદ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને વિવાદિત ધ્વજને જપ્ત કરી લીધો હતો. હાલ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.

    - Advertisement -

    રાજસ્થાનના કોટામાં પણ તિરંગાનું અપમાન

    બિહારની ઘટનાની જેમ રાજસ્થાનના કોટામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ઈદના જુલૂસમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું અને તિરંગા પર ચાંદ અને તારાના નિશાન બનાવવામાં આવ્યા હતા. જુલૂસમાં આ ધ્વજ લહેરાવવામાં પણ આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ તરત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.

    કોટા પોલીસે આ ઘટનાને લઈને કહ્યું છે કે, “આજે ઇદ મિલાદુનબીના જુલૂસ દરમિયાન અનંતપરા વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ સાથે વાંધાજનક ચિહ્નો લગાવીને લહેરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને વિવાદિત ઝંડો જપ્ત કરી લીધો હતો.” સાથે જ પોલીસે આરોપીઓને સગીર ગણાવતા કહ્યું છે કે, તિરંગો ફરકાવનારા બાળકોની ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બિહાર અને રાજસ્થાનની આ ઘટનાઓ વચ્ચે દેશમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ પણ યથાવત છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલી બર્બરતા, વક્ફ સુધારા વિધેયક વિરુદ્ધ મુસ્લિમ સમુદાયનું એકત્રીકરણ અને દેશના જુદા જુદા ભાગોમાં ગણેશ ગણેશ પંડાલો પર હુમલાના કારણે વાતાવરણ તંગ છે. આવી સ્થિતિમાં તિરંગાના અપમાનની આ ઘટના વધુ તણાવ પેદા કરી શકે છે. કોટા અને બિહારની આ ઘટનાઓ માત્ર રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાનું અપમાન નથી, પરંતુ દેશના વર્તમાન સાંપ્રદાયિક વાતાવરણને વધુ ભડકાવવાનો પ્રયાસ પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં