Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રાજ ઠાકરેની જેમ હું પણ મારા કાકાનું ધ્યાન રાખીશ' - અજીત પવાર;...

    ‘રાજ ઠાકરેની જેમ હું પણ મારા કાકાનું ધ્યાન રાખીશ’ – અજીત પવાર; ‘હવે રોટલી પલટાવવાનો સમય આવી ગયો છે’ – શરદ પવાર: કાકા-ભત્રીજા બંનેએ આપ્યા સૂચક સંકેતો

    પવાર ફેમિલી અને ઠાકરે ફેમિલીમાં એક બાબત સમાન છે કે બંને પરિવારના વડાએ પોતપોતાના ભત્રીજાના દમ પર રાજનીતિ કરી છે. પરંતુ જ્યારે પણ સત્તા સોંપવાની વાત આવી ત્યારે પોતાના બાળકોને આગળ રાખ્યા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી બગાવતના એંધાણ છે. શિવસેનામાં થયેલા બળવાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ પવાર પરિવારમાં કડવાશ બળવાનું સ્વરૂપ લે તેવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેને સલાહ આપનારા NCP વડા શરદ પવાર પોતે ભત્રીજા અજીત પવારની સામે ઊભા છે. તાજેતરમાં શરદ પવાર અને અજીત પવારના નિવેદનોએ NCPમાં ફરી તિરાડના સંકેતો આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી NCPમાં બીજા નંબરના મુખ્ય નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારના ભાજપમાં જોડાવાની અફવાએ જોર પકડ્યું છે. ખુદ શરદ પવારના દીકરી સુપ્રિયા સુલેએ પણ સંકેત આપ્યા હતા આવનારા દિવસોમાં રાજકારણમાં મોટો વિસ્ફોટ થવાનો છે. જોકે, ત્યારે અજીત પવારે ભાજપ સાથે હાથ મિલાવવાની વાત ફગાવી દીધી હતી. પરંતુ, હવે ફરી અજીત પવારે બળવાના સીધા સંકેત આપી દીધા છે.

    તો NCPમાં રાજ ઠાકરે અને બાળા સાહેબ ઠાકરેવાળી થઈ શકે છે

    અજીત પવારે એવું નિવેદન આપ્યું છે કે જે રીતે રાજ ઠાકરેએ પોતાના કાકા બાળા સાહેબનું ધ્યાન રાખ્યું, તેમ તેઓ પણ પોતાના કાકા એટલે કે શરદ પવારનું ધ્યાન રાખશે. ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ પોતાના કાકા અને શિવસેના સામે બળવો કરીને નવી પાર્ટી બનાવી હતી. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેએ અજીત પવારને સલાહ આપતા કહ્યું હતું કે, તેમણે પોતાના કાકાનું એ જ રીતે ધ્યાન રાખવું જોઈએ જે રીતે તેઓ બહારના લોકોનું રાખે છે. અજીત પવારે આને લઈને પલટવાર કર્યો હતો કે, તેઓ પણ રાજ ઠાકરેની જેમ પોતાના કાકાનું ધ્યાન રાખશે.

    - Advertisement -

    ઠાકરેની જેમ શરદ પવારે પણ ભત્રીજાના દમ પર રાજનીતિ કરી

    પવાર ફેમિલી અને ઠાકરે ફેમિલીમાં એક બાબત સમાન છે કે બંને પરિવારના વડાએ પોતપોતાના ભત્રીજાના દમ પર રાજનીતિ કરી છે. પરંતુ જ્યારે પણ સત્તા સોંપવાની વાત આવી ત્યારે પોતાના બાળકોને આગળ રાખ્યા. MNS પ્રમુખ રાજ ઠાકરેને શિવસેનામાં મહત્વ ન મળતાં તેમણે કાકાથી રસ્તો અલગ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની રચના કરી હતી. શરદ પવાર પણ પોતાનો રાજકીય વારસો અજીત પવારને નહીં, પણ દીકરી સુપ્રિયા સુલેને સોંપવા માગે છે. આ વાત અજીત પવારને ખટકી રહી છે જે યોગ્ય પણ છે. સુપ્રિયા સાંસદ ભલે હોય, પણ એનસીપી કે મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ અજીત પાવર જેટલું નથી.

    શરદ પવારે પણ આપ્યા રોટલી પલટવાના સંકેત

    એક તરફ અજીત પવારના નિવેદનથી મહારાષ્ટ્રનો રાજકીય માહોલ ગરમાયો છે તો બીજી તરફ NCP વડા શરદ પવારે પણ આવા જ કંઈક સંકેત આપ્યા છે. તેમણે પાર્ટીની યુથ વિંગને સંબોધિત કરતા કહ્યું હતું કે, “કોઈએ મને કહ્યું છે કે રોટલી પલટવાનો સમય આવી ગયો છે. જો યોગ્ય સમયે એ ન પલટાય તો કડવાશ આવી જાય.” હવે આ રોટલીની કડવાશ અજીત પવાર સાથેના કડવા સંબંધોને લઈને છે એ કોઈપણ વ્યક્તિ સમજી જાય. આ મામલે શિંદે જૂથ તરફથી નિવેદન આવ્યું છે કે, શરદ પવાર અજીત પવારને સાઈડલાઈન કરવાના મૂડમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં