Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ...

    ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

    નેપાળ બોર્ડર પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન ઑપઇન્ડિયાને સરહદ પરના જિલ્લા પર બૌદ્ધ સ્થળો વચ્ચે આવેલી દરગાહ અને મજારો વિશે જાણવા મળ્યું.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની બોર્ડર પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. 

    નેપાળ બોર્ડર પાસે ભારતનો એક જિલ્લો આવેલો છે, શ્રાવસ્તી. આ સ્થળ દુનિયાભરના બૌદ્ધ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે કારણ કે અહીં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી તમામ ઐતિહાસિક અને ધાર્મિક ધરોહરો હાજર છે. અહીં ડાકુ અંગુલિમાલની ગુફા પણ આવેલી છે, જેના વિશે કહેવાય છે કે તેણે ભગવાન બુદ્ધના વચનોથી પ્રેરિત થઈને હિંસાનો ત્યાગ કર્યો હતો. જ્યારે અમે બૌદ્ધ આસ્થા કેન્દ્રના વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ જગ્યાઓએ પણ મજારો બની ચૂકી છે. 

    મજાર કાયનાતથી અહીં જ સ્થિત?

    - Advertisement -

    નેપાળ પાસે બોર્ડર જિલ્લા સિદ્ધાર્થનગરની નેપાળ બોર્ડર વિસ્તારને અડીને એક હાઈ-વે પસાર થાય છે. જે બલરામપુરથી શ્રાવસ્તીના રસ્તે પીલીભીત સુધી જાય છે. આ જ હાઈ-વે પર આગળ વધતા અમે શ્રાવસ્તી જિલ્લાના નવા બનેલા મોર્ડન પોલીસ મથકે પહોંચ્યા હતા. આ જ મથકની બરાબર સામેનો રસ્તો અંગુલિમાલ ગુફા તરફ જાય છે. 

    અંગુલિમાલ ગુફા માર્ગ પર જેવા અમે આગળ વધ્યા તેવી જ લગભગ 400 મીટર અંદર ગયા બાદ તમામ બૌદ્ધ મઠો અને સ્તૂપો વચ્ચે કે જગ્યાએ કેટલાક ગામવાસીઓની ભીડ જોવા મળી. ત્યાં રોકાયા તો અમે રસ્તા પર આવેલી એક મજાર જોઈ. ત્યાં હાજર બનવારીએ તેને ઇમામ-એ-હસન હુસૈનની મજાર ગણાવી હતી. 

    ઇમામ-એ-હસન હુસૈનની મજાર

    આ મજારની આસપાસ મહોરમમાં દફનાવવામાં આવેલા તાજિયાના અવશેષ જોવા મળ્યા હતા. કેટલાક લોકો આ જગ્યાને કર્બલા ગાવી રહ્યા હતા. અમને એક જ જગ્યાએ બે મજાર જોવા મળી. ત્યાં હિંદુ વેશભૂષામાં એક મહિલા અને થોડા અંતરે એક પુરુષ ઊંઘેલા જોવા મળ્યાં હતાં. લોકોએ જણાવ્યું કે મહિલા પાસેના ગામમાં જ રહે છે અને જિન્નથી પીડિત છે. જમીન પર સૂવાને અહીં હાજરી લગાવવી ગણાવવામાં આવી હતી. 

    મજાર પાસે હાજર દેશરાજ અને રામભરોસેએ કોઈ ખૂંટી બાબા એ મજારનો કેરટેકર જોવાનું જણાવ્યું હતું. અમે ત્યાં હાજર લોકોને તેના ઇતિહાસ વિશે પૂછ્યું તો તેમણે તે ‘કાયનાતથી હાજર છે’ તેમ કહ્યું હતું. જોકે, મજાર પર કરવામાં આવેલ લીલો રંગ તાજો જ હોવાનું જાણવા મળ્યું હતું. 

    દરગાહ આગળ ‘સુન્ની વક્ફ’નું બોર્ડ 

    આ મજારથી થોડે જ આગળ ચાલીએ અમને મુખ્ય રસ્તા ઉપર એક દરગાહનું લીલા રંગનું મોટું બોર્ડ દેખાયું હતું. બોર્ડ પર સૌથી ઉપર 786 અને નીચે ‘સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ લખનૌ સંખ્યા- 2 ઈંતજામિયા કમિટી દરગાહ’ લખેલું જોવા મળ્યું હતું. તેની નીચે દરગાહનું નામ ‘હજરત સૈયદ મીર શાહ રહમતુલ્લાહ’ લખેલું જોવા મળ્યું હતું. આ બોર્ડ અનુસાર, આ દરગાહ શ્રાવસ્તી જિલ્લાના ગામ મહેટ અંતર્ગત આવે છે. 

    દરગાહના ખાદિમ જવ્વાદ અલી

    આ દરગાહ પાસે અંગુલિમાલ ગુફા રોડના રસ્તેથી લગભગ 200 મીટર અંદર કાચા માર્ગ થઈને જવાય છે. આ રોડ પર બહાર ઘટાદાર વૃક્ષો જોવા મળે છે પરંતુ અંદર ગયા બાદ જોવા મળ્યું કે એક મોટા હિસ્સામાં ખાલી મેદાન જેવું બની ગયું છે. 

    અહીં અમે જોયું કે આ ખાલી પડેલા મોટા ભાગની બરાબર વચ્ચે એક દરગાહ બનેલી છે. આ દરગાહની સરહદ વાંસના લાકડાંથી બનાવવામાં આવી હતી અને સરહદ બહાર પણ વાહન પાર્કિંગના નામ પર એક મોટા હિસ્સાની સફાઈ કરી નાંખવામાં આવી હતી. 

    દરગાહ પરિસરમાં સરકારી ડસ્ટબિન અને નળ 

    આ દરગાહ પરિસરમાં અમને સ્વચ્છ ભારતની ડસ્ટબિન પણ જોવા મળી હતી. આવી ડસ્ટબિન શહેરો અને ગામોના વિવિધ ભાગોમાં સરકારી અધિકારીઓએ નેતાઓ દ્વારા લગાવવામાં આવે છે. જેની સાથે દરગાહની પાસે પડેલા ખાલી હિસ્સામાં કેટલાક લોકો નવા તંબૂ બનાવતા જોવા મળ્યા હતા. મેદાનમાં વૃક્ષોની આસપાસ સિમેન્ટના પાકા ચબૂતરા બનાવી દેવામાં આવ્યા હતા અને 2થી વધુ સરકારી નળ લગાવેલા જોવા મળ્યા હતા.

    સરકારી ડસ્ટબિન અને પાછળ લાગેલા તંબૂ

    ‘મહિલાઓનો પ્રવેશ વર્જિત’નું બોર્ડ, પરંતુ મહિલાઓ જોવા મળી 

    મીરા શાહ દરગાહના મુખ્ય કેન્દ્રમાં તંબૂથી ઢાંકીને લીલા રંગની જાળીઓ લગાવીને પાકી દીવાલથી સરહદ બનાવવામાં આવી છે. ઉપર લીલા રંગના ઝંડા પણ લગાવવામાં આવ્યા છે. મુખ્ય કેન્દ્રમાં મહિલાઓનો પ્રવેશ નિષેધ હોવાનું કહીને એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, પરંતુ અમારા કવરેજ દરમિયાન એક મહિલા અંદર બેઠેલી જોવા મળી હતી. આ મહિલા હિંદુ વેશભૂષામાં જોવા મળી હતી.

    દરગાહની બહાર અગરબત્તી અને અત્તર વગેરેની દુકાનો હતી અને થોડા જ અંતરે એક મુસ્લિમ વ્યક્તિ ચા બનાવી રહ્યો હતો. દરગાહમાં ચડાવાનો ભાવ પૂછ્યો તો 35 રૂપિયા જણાવવામાં આવ્યો.

    સરગાહની આગળ લાગેલું બોર્ડ

    આ દરગાહના ખાદીમ જવ્વાદ અલી અને સંરક્ષક સાથે વાતચીતમાં અમે અનેક સવાલોના જવાબો મેળવ્યા હતા, જે આ રિપોર્ટમાં વાંચી શકશો.

    પુરાતત્વ સંરક્ષિત સ્થાન પર મજાર અને દરગાહ કેવી રીતે? 

    આ જગ્યાએ અમને થાઈલેન્ડ, કંબોડીયા, જાપાન વગેરે દેશોના બૌદ્ધ માતાવલંબી મળ્યા. ભારતના પણ લગભગ દરેક હિસ્સાના બૌદ્ધ વિવિધ મંદિરોમાં જોવા મળ્યા હતા. જેમાંથી કેટલાકે કેમેરા પર ન આવવાની શરતે જણાવ્યું કે આ આખી જગ્યા ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે અને અહીં અવારનવાર વિવિધ દેશોના રાજનયિકો પણ આવે છે. આવામાં આ મજારો ક્યારે અને કેવી રીતે બની ગઈ એ કોઈને ખબર નથી. આ મજારોથી મહત્તમ 2 કિલોમીટરના અંતરે સરકાર એરપોર્ટ બનાવવા જઈ રહી છે.

    રસ્તામાં આવેલા બૌદ્ધ સ્થળો

    મેળામાં ભારે ભીડ હોય છે 

    પરત ફરતી વખતે શ્રાવસ્તીના નિર્માણાધીન એરપોર્ટ પાસે ઉભેલા એક વ્યક્તિએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં પણ મજાર બહાર ભારે ભીડ એકઠી થતી હતી. તે વ્યક્તિએ ત્યારના પોલીસ મથકના ઇન્ચાર્જ અને ઇન્સ્પેક્ટરનું નામ લઈને કહ્યું કે, તેમણે કડકાઈથી કામ કરીને ભીડ થતી અટકાવી હતી. જોકે તેનું કહેવું હતું કે હવે ફરીથી દરગાહ પર મેળાના દિવસે ભારે ભીડ એકઠી થઇ જાય છે અને દેશના અનેક હિસ્સાઓમાંથી લોકો આવે છે. 

    નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

    પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

    છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

    સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં