Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કાશ્મીરથી ભગાડ્યા તેવી જ રીતે લેસ્ટરથી 'હિંદુ કુતરાઓ'ને ભગાડો': કટ્ટરવાદીઓના ત્રાસથી 9...

    ‘કાશ્મીરથી ભગાડ્યા તેવી જ રીતે લેસ્ટરથી ‘હિંદુ કુતરાઓ’ને ભગાડો’: કટ્ટરવાદીઓના ત્રાસથી 9 હિંદુ પરિવારોનું પલાયન, ઘરો પરથી હિંદુ પ્રતીકો હટાવ્યાં

    ઇંગ્લેન્ડમાં હિંદુઓ પર હુમલાઓ વચ્ચે પલાયનના પણ સમાચાર, ઘરની બહાર ધાર્મિક પ્રતીકો પણ લગાડતા ડરતા હિંદુઓ.

    - Advertisement -

    ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુઓ અને મંદિરો પર હુમલા કર્યા બાદ ભયનું વાતાવરણ છે. આ વાતનો ખુલાસો હેનરી જેક્સન રિસર્ચ ફેલો ચાર્લોટ લિટલવુડે જીબી ન્યૂઝ સાથેની વાતચીતમાં કર્યો છે. તેમણે કહ્યું કે લેસ્ટરમાં હિંદુઓ પર હિંસા યથાવત છે, કટ્ટરવાદીઓના ત્રાસથી 9 પરિવારોનું પલાયન માટે મજબૂર છે. લેસ્ટરના 9 હિન્દુ પરિવારોએ કટ્ટરવાદીઓના ત્રાસથી સ્થળાંતર કર્યું છે. ત્યાં તેઓ કટ્ટરપંથી મુસ્લિમોના આતંકને કારણે તેમના ઘરની બહાર હિંદુ પ્રતીકો પણ લગાવી શકતા નથી.

    લિટલવુડે એન્કરને જણાવ્યું હતું કે લેસ્ટરમાં હિંદુઓ ભયના ઓથા હેઠળ જીવે છે. તેમને તેમના ઘરની બહાર હિંદુ પ્રતીકો લગાવવાની પણ મંજૂરી નથી. ભયના કારણે 9 હિન્દુ પરિવારોએ સ્થળાંતર કર્યું છે. 5.22-મિનિટના વિડિયોમાં (50 સેકન્ડથી 1.51 મિનિટ સુધી), લિટલવુડે કહ્યું હતું કે, “અમે કટ્ટરપંથીઓને શેરીઓમાં હિંદુઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોયા. આ લોકોએ હિંદુ ભારતીયો સામે આટલી મોટી સંખ્યામાં વિરોધ કર્યો. હિંદુઓ આનાથી ખૂબ ડરેલા છે.”

    આ મામલાને લગતી માહિતી આપતા તેમણે ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે (4.05 થી 5.10 મિનિટની વચ્ચે), “અમે લેસ્ટરની શેરીઓમાં જોયેલી હિંસા માટે કટ્ટરવાદીઓનો બહારથી બોલાવવામાં આવ્યા હતા. અમે પોતે જ 30 થી 200 લોકોને રસ્તા પર ઉતરતા જોયા છે. આમાંથી અડધાથી વધુને લેસ્ટરની બહારથી બોલાવવામાં આવ્યા હતા.”

    - Advertisement -

    લિટલવુડે આગળ કહ્યું કે, “સોશિયલ મીડિયા માટે વાત કરીએ તો, વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી હજારો પોસ્ટ્સ કરવામાં આવી હતી. જેમાં, હિંદુઓને મારવા, તેમને ખતમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘જેમ અમે કાશ્મીરમાંથી હિંદુઓનો સફાયો કર્યો તેમ અહીં પણ કરો.’ આ સિવાય પોસ્ટમાં લખ્યું હતું કે, આ (હિંદુ) કૂતરાઓને કચડી નાખો/દબાવી દો. ,

    લિટલવુડે વધુમાં કહ્યું કે આવા સંદેશાઓ વારંવાર જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે આ બધું નિઃશંકપણે ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ દ્વારા સુનિયોજિત રીતે કરવામાં આવ્યું હતું. તે બધાનું નેતૃત્વ કટ્ટરવાદી ઇન્ફ્લુંએન્સરો દ્વારા કરવામાં આવ્યું હતું જેમના YouTube પર લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. આ લોકો તેમના સમુદાયના લોકોને લેસ્ટર બોલાવતા હતા. તેમનું આગામી લક્ષ્ય લંડનમાં ભારતીય હાઈકમિશન હોય શકે છે.

    લેસ્ટરમાં હિંદુ વિરોધી હિંસા

    નોંધનીય છે કે ઈંગ્લેન્ડના લેસ્ટરમાં એડમ યુસુફ નામના વ્યક્તિને ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ લોકો પર હુમલો કરવા બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ લેસ્ટરમાં હિંદુ લોકો પર થયેલા હુમલામાં (મેઈન સ્ટ્રીમ મીડિયા તેને પ્રદર્શન કહે છે) છરી હુલાવ્યાની કબૂલાત કર્યા પછી તેને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં બે દિવસમાં આ બીજી સજા છે.

    અગાઉ, 20 વર્ષીય અમોસ નોરોન્હા પ્રતિબંધિત હથિયાર રાખવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. એમોસ નોરોન્હાને સોમવારે (20 સપ્ટેમ્બર 2022) ના રોજ 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. 28 ઓગસ્ટથી શહેરમાં અશાંતિ ફેલાવવા બદલ 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી બે લોકોની શનિવારે (17 સપ્ટેમ્બર 2022) અને રવિવારે (18 સપ્ટેમ્બર 2022)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં