Monday, July 1, 2024
More
    હોમપેજદેશ‘તમામ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કરવામાં આવે તપાસ’- ઉડ્ડયન મંત્રીનો આદેશ: દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના...

    ‘તમામ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કરવામાં આવે તપાસ’- ઉડ્ડયન મંત્રીનો આદેશ: દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના મૃતકોના પરિવારને ₹20 લાખનું વળતર

    નવનિયુક્ત નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઘાયલોને ₹3 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી.

    - Advertisement -

    શુક્રવારે ભારે વરસાદ વચ્ચે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1ની છતનો એક ભાગ કાર પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને ₹20 લાખના વળતરની જાહેરાત કરી છે. તેમજ ઘાયલોને ₹3 લાખનું વળતર આપવામાં આવશે.

    ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે દેશના તમામ એરપોર્ટ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે કહ્યું કે, “હું તમને ખાતરી આપી શકું છું કે આને ખૂબ જ ગંભીર ઘટના તરીકે લેવામાં આવી છે. માત્ર આ એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર દેશના તમામ એરપોર્ટની અમે ફરીથી તપાસ કરીશું. અમે તમામ એરપોર્ટની સંપૂર્ણ તપાસ કરીશું.”

    નવનિયુક્ત નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઘાયલોને ₹3 લાખના વળતરની પણ જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય રાજધાનીમાં વહેલી સવારે ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે, ભારે વરસાદને કારણે એરપોર્ટની બહારની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો હતો. અમે આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, આ ઘટનામાં ઘણા ઘાયલ પણ છે. અમે અત્યારે તેમની સંભાળ લઈ રહ્યા છીએ. અમે તરત જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર પ્રોટેક્શન ટીમ અને CISF, NDRFની ટીમો મોકલી. દરેક વ્યક્તિ સ્થળ પર હાજર છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે. બાકીના ટર્મિનલ બિલ્ડિંગને બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ બાબતોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં