Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાત'161'- ગુજરાત વિધાનસભામાં ભાજપનું ઐતિહાસિક સંખ્યાબળ: પેટાચૂંટણીમાં વિજેતા થયેલા પાંચ સભ્યોએ લીધા...

    ‘161’- ગુજરાત વિધાનસભામાં ભાજપનું ઐતિહાસિક સંખ્યાબળ: પેટાચૂંટણીમાં વિજેતા થયેલા પાંચ સભ્યોએ લીધા ધારાસભ્ય પદના શપથ

    પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનારાના પાંચેય ધારાસભ્યોએ શપથગ્રહણ કરવાની સાથે જ રાજ્યની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક રીતે 161 થઈ ગયું છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી. જ્યારે હવે 5 નવા સભ્યો તેમાં સામેલ થતાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે.

    - Advertisement -

    4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થયું હતું. વિધાનસભામાં ખાલી પડેલી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જ વિજય મળ્યો છે. આ પાંચેય વિજેતા નેતાઓએ મંગળવારે (11 જૂન, 2024) વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ પદના અને ગોપનિયતાના શપથ લીધા છે. હવે તેઓ વિધિવત રીતે ધારાસભ્ય તરીકે કાર્ય કરી શકે છે. તે સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 156થી વધીને ઐતિહાસિક 161 સુધી પહોંચી ગયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજ્ય મંત્રીઓએ નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

    વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયેલા પાંચ સભ્યોએ ધારાસભ્ય પદના શપથગ્રહણ કરી લીધા છે. ધારાસભ્ય તરીકે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.

    ભાજપનું સંખ્યાબળ 161 થયું

    પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનારાના પાંચેય ધારાસભ્યોએ શપથગ્રહણ કરવાની સાથે જ રાજ્યની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક રીતે 161 થઈ ગયું છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી. જ્યારે હવે 5 નવા સભ્યો તેમાં સામેલ થતાં ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, AAPનું 4, અપક્ષનું 2 અને સમાજવાદી પાર્ટીનું 1 છે. તે સાથે જ વિસાવદર વિધાનસભા બેઠક હાલ ખાલી પડેલી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને 1,33,163 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યાં હતા. તે ઉપરાંત વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સીજે ચાવડાનો 56,228 મતોથી વિજય થયો છે. સીજે ચાવડાને 1,00,641 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 44,413 મત મળ્યા હતા.

    ઉપરાંત વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતોથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45.338 મત મળ્યાં છે. તે સિવાય માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો 31,016 મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા છે. જ્યારે ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો 38,328 મતોથી વિજય થયો છે. ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં