Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા: પોલીસ મથક બહાર ન્યાયની માંગ કરતા હિંદુ યુવાનો પર થયેલા પથ્થરમારા...

    વડોદરા: પોલીસ મથક બહાર ન્યાયની માંગ કરતા હિંદુ યુવાનો પર થયેલા પથ્થરમારા મામલે ઝુબૈર-યાસીન સહિત વધુ 5ની ધરપકડ, અત્યાર સુધી 34 પકડાયા

    વાપુરા પોલીસે યાસીન ફિરોઝ શેખ, હુસૈન મહેબુબમિયાં શેખ, જાવેદમિયાં યાકુબમિયાં સિંધી, ઝુબૈર હુસૈનમિયાં શેખ અને અશ્ફાક હુસૈન ઉર્ફે ઇલીયાસ પઠાણ એમ 5 આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    - Advertisement -

    ગત 22 ફેબ્રુઆરી, 2024ના રોજ વડોદરાના નવાપુરા પોલીસ મથકની બહાર, મુસ્લિમ યુવક દ્વારા અભદ્ર ટિપ્પણી મામલે ન્યાયની માંગ સાથે એકઠા થયેલા હિંદુ યુવકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે 100થી 150 મુસ્લિમોના ટોળા સામે FIR દાખલ કરી હતી. કાર્યવાહી શરૂ કરતાંની સાથે જ પોલીસે ટીપ્પણી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જે બાદની કાર્યવાહીમાં વધુ 17 પકડાયા હતા. ત્યારે હવે પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ઝડપાયેલા આરોપીઓનો આંકડો 34એ પહોંચ્યો છે.

    મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે પોલીસે વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ન્યાયની માંગ કરી રહેલા હિંદુઓ પર નવાપુરા પોલીસ સ્ટેશન સામે જ પથ્થરમારો કરી દીધો હતો. ઘટના બાદથી જ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને શોધીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. હાલ નવાપુરા પોલીસે યાસીન ફિરોઝ શેખ, હુસૈન મહેબુબમિયાં શેખ, જાવેદમિયાં યાકુબમિયાં સિંધી, ઝુબૈર હુસૈનમિયાં શેખ અને અશ્ફાક હુસૈન ઉર્ફે ઇલીયાસ પઠાણ એમ 5 આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    આ પહેલાં પોલીસે અભદ્ર ટિપ્પણી કરનાર સહીદ પટેલ સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મોઈન મોહમ્મદ સિદ્દીકી, મોહમ્મદ રબ્બાની કુરેશી, હનીફ કુરેશી, વલી મોહમ્મદ ગુલામ રાજા કુરેશી, સકર અલી ગુલામ નબી શેખ, અફઝલ ખાન આસન ખાન નબી શેખ, હુસેન ખાન અબ્બાસ ખાન, સાજીદહુસેન મહેમૂદહુસેન મલેક, સદ્દામ હુસેન શેખ, હૈદર ગુલામ દસ્તગીર, સરફરાજ મકસુદઅલી મકરાણી, પટેલ સાહિલ ઈસ્માઈલ ભાઈ, તોસીફહુસેન અહેમદહુસેન સંધી, શાહનવાઝ સલીમભાઇ ખલીફા, નોમાન આરીફભાઇ શેખ, યાયાખાન અલ્તાફખાન પઠાણ અને શાહરૂખ અમાન ખાનનો સમાવેશ થાય છે. બાકીનાઓના કેટલાકનાં નામ જાણી નથી શકાયાં. અત્યાર સુધી કુલ 34 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે આ આખો વિવાદ આરોપી સાહિદ પટેલ નામના યુવક દ્વારા શરૂ થયો હતો. વડોદરાના જતીન પટેલ નામના એક વેપારીએ 21 ફેબ્રુઆરી, 2024ની સાંજે તેમની દુકાનેથી નવી ઑફરો વિશે ગ્રાહકોને જાણકારી આપવા માટે તેમના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું. જેની શરૂઆતમાં તેમણે લાઇવમાં જોડાનારાઓને ‘જય શ્રીરામ’ કહીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ‘Shahid_patel_7070’ નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી બીભત્સ ગાળો લખીને ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી.

    જે પછી આ મામલે તપાસ કરતા આ આઇડી ચલાવતો વ્યક્તિ પાદરામાં રહેતો સાહિદ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જતીને તેને ફોન કરતાં તેણે દાદાગીરી કરીને ગાળાગાળી કરી હતી અને ધાકધમકીઓ આપી હતી. સાહિદ સામે કાર્યવાહી કરવા માટે જતીન પટેલ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા, અને અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ દરમિયાન પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાંથી અચાનક 100-150નું મુસ્લિમ ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ભેગા થયેલા હિંદુ લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે અફરાતફરી મચાવ પામી હતી. પથ્થરમારામાં ઘણા યુવાનો ઘાયલ પણ થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા DCP લીના પાટીલ અને અભય સોની પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં