Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતનેત્રોત્સવ, ગજરાજ પૂજન અને ધ્વજારોહણ સંપન્ન, રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં: 15000...

    નેત્રોત્સવ, ગજરાજ પૂજન અને ધ્વજારોહણ સંપન્ન, રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં: 15000 પોલીસ જવાનોએ રૂટ પર કર્યું રિહર્સલ, છાવણીમાં ફેરવાયું અડધું અમદાવાદ

    શુક્રવારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આંખો પર પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન અનુસાર આ અનુષ્ઠાનને પૂર્ણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. મહાપર્વને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાનના મંદિરમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રા પૂર્વે ભગવાનની નેત્રોત્સવ વિધિ પણ કરવામાં આવી. આ સાથે ગજરાજ પૂજન, ધ્વજારોહણ સહિતની વિધિઓ પણ સંપન્ન કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ સુરક્ષાની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહી છે. લગભગ 23 હજાર પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે રથયાત્રા થવા જઈ રહી છે, ત્યારે યાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરીને ફૂટ માર્ચ પણ કરવામાં આવી.

    રથયાત્રા પૂર્વે શુક્રવારે (5 જુલાઈ, 2024) ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આંખો પર પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન અનુસાર આ અનુષ્ઠાનને પૂર્ણ કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે કેરી અને જાંબુનું સેવન કરવાથી ભગવાનની આંખમાં ચેપ લાગે છે અને તેથી આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ સાથે જ ભગવાનની મૂર્તિઓનું રત્નદેવી પર સ્થાપન કરી દેવામાં આવ્યું છે.

    શા માટે કરવામાં આવે છે નેત્રોત્સવ વિધિ?

    અમદાવાદમાં યોજાતી રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં સરસપુર ખાતે છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા કેરી, જાંબુ અને મીઠાઈ સહિતની વાનગીઓ વધુ માત્રામાં આરોગે છે અને તેના કારણે તેમની આંખમાં ચેપ લાગે છે. ભગવાનને આંખો આવે અને તેઓ અમાસને દિવસે મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. ભગવાનને આંખમાં ચેપ લાગેલો હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. ભગવાન જેવા મંદિરે પરત ફરે કે તરત જ નેત્રોત્સવ વિધિ કરીને તેમની આંખો પર કાળા પાટા બાંધી દેવામાં આવે છે.

    - Advertisement -

    બીજી તરફ ગજરાજ પૂજનની વિધિ પણ સંપન્ન કરી દેવામાં આવી છે. યાત્રા પૂર્વે ભગવાન ગણપતિના સ્વરૂપમાં ગજરાજનું પૂજન કરવામાં આવે છે. જે મુજબ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણપતિનું આહ્વાન કરવામાં આવે છે, તે મુજબ જ ભગવાન ગણપતિને રથયાત્રાનું આમંત્રણ આપવા માટે ખાસ ગજરાજપૂજન કરવામાં આવે છે. આ માટે સંતો-મહંતો દ્વારા ગજરાજનું (હાથી) વિધિવિધાન અનુસાર પૂજન કરવામાં આવે છે. બીજી તરફ ભગવાનના નિજમંદિરનું ધ્વજારોહણ પણ કરી દેવામાં આવ્યું છે. મંદિરમાં ભવ્ય ભંડારાઓ આયોજિત કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાહવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

    પોલીસ દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે

    ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, તેવામાં અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અંદાજે 23 હજાર પોલીસ જવાનોને રથયાત્રાના બંદોબસ્તમાં લગાવવામાં આવ્યા છે. રથયાત્રાના મુખ્ય રૂટ પર પોલીસે રિહર્સલ કરી દીધું છે. આખા રૂટ પર લગભગ 1400થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના દ્વારા આખી યાત્રા પર બાઝ નજર રાખવામાં આવશે. આ કેમેરાનું લાઈવ સ્ક્રિનિંગ DG ઓફિસમાં કરવામાં આવશે, જ્યાંથી યાત્રાની તમામ બાબતો પર નજર રાખવમાં આવશે.

    આખી રથયાત્રાનો રૂટ 22 કિલોમીટર લાંબો છે, ત્યારે વિવિધ પોઈન્ટ ઉભા કરીને ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, CRPF એ QRTએ આખા રૂટ પર એક ગ્રાન્ડ રિહર્સલ પણ કર્યું, રિહર્સલમાં 15000થી પણ વધુ પોલીસ જવાનો સામેલ કરવામાં આવ્યા હતા. સાથે જ ભગવાનના મોસાળ એવા સરસપુરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ભગવાનના મામાના ઘરે મામેરા સહિતની વિધિને લઈને અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓના બેઠકના દોર શરૂ છે, તો ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીએ રથયાત્રા મુદ્દે બેઠક કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં