Sunday, September 22, 2024
More
    હોમપેજક્રાઈમયુવતીની હત્યા કરીને લાશના ટુકડા ભર્યા ફ્રિજમાં: બેંગ્લોરમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો કેસ,...

    યુવતીની હત્યા કરીને લાશના ટુકડા ભર્યા ફ્રિજમાં: બેંગ્લોરમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો કેસ, પોલીસે આદરી તપાસ; 4-5 દિવસ પહેલાં હત્યા થયાની આશંકા

    કર્ણાટકના બેંગલોરમાં એક 26 વર્ષીય યુવતીની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી. દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડમાં જેમ આફતાબે લાશના ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા હતા, એ જ રીતે હત્યા કરનાર વ્યક્તિએ આ યુવતીના પણ 30 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા હતા.

    - Advertisement -

    વર્ષ 2022માં દિલ્હીમાં આફતાબ નામના વ્યક્તિએ તેની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી તેની લાશના ટુકડે-ટુકડા કરી ફ્રિજમાં સંઘરી રાખ્યા હતા અને બાદમાં જંગલમાં તેનો નિકાલ કરી દીધો હતો. આ કેસે આખા દેશમાં અરેરાટી મચાવી દીધી હતી. ત્યારે હવે બેંગલોરમાં (Bengaluru) પણ આ શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 26 વર્ષીય યુવતીની લાશ ફ્રિજમાંથી મળી આવી હતી. હત્યા બાદ લાશના લગભગ 30 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો કર્ણાટકના બેંગલોરનો છે. અહીં એક 26 વર્ષીય યુવતીની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી. દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડમાં જેમ આફતાબે લાશના ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા હતા, એ જ રીતે હત્યા કરનાર વ્યક્તિએ પણ આ યુવતીની લાશના 30 જેટલા ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા. ઘટના શહેરના મલ્લેશ્વરમ વિસ્તારમાં આવેલા વ્યાલિકાવલ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટની છે. યુવતી આ ફ્લેટના પ્રથમ માળે રહેતી હતી. હત્યાનું ચોક્કસ કારણ સામે નથી શક્યું, પરંતુ પોલીસને આશંકા છે કે પ્રેમસંબંધમાં આ હત્યા થઈ હોય શકે છે.

    4-5 દિવસ પહેલાં હત્યા થઇ હોવાની પોલીસને આશંકા

    આ મામલે પોલીસે આપેલી માહિતી અનુસાર હત્યા ઓછામાં ઓછા 5 દિવસ પહેલાં કરવામાં આવી છે. મૃતક યુવતી અન્ય રાજ્યની રહેવાસી છે અને તે પોતાના પરિવાર સાથે બેંગલોરમાં રહેતી હતી અને શોપિંગ મોલમાં કામ કરતી હતી. ફ્રિજમાંથી પોલીસે જ્યારે મૃતકના લાશના ટુકડા બહાર કાઢ્યા ત્યારે સામે આવ્યું હતું કે લાશ સડી ગઈ છે અને તેમાં ઈયળ પડી ગઈ છે. આથી પોલીસને અનુમાન છે કે હત્યાને 5 દિવસથી વધુ સમય થયો હોવો જોઈએ. કેટલાક અહેવાલોમાં જણાવ્યા અનુસાર મૃતક યુવતીનો પતિ ઘરથી દૂર રહીને નીકરી કરે છે.

    - Advertisement -

    સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલ કોઈ માહિતી જાહેર નથી કરી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ કશું કહી શકાશે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં તપાસ એજન્સીઓ હાજર છે. ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને FSLની મદદ લેવાઈ રહી છે. આ હત્યા પાછળ કોનો હાથ છે, તે હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસ આરોપીને ઝડપી લેવા તમામ પ્રયત્નો કરી રહી છે.

    શ્રદ્ધા હત્યા કેસ

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં દિલ્હીમાં એક હત્યાનો કેસ સામે આવ્યો હતો. અહીં આફતાબ આમીન પૂનાવાલા નામના એક વ્યક્તિએ તેની પાર્ટનર શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને તેણે પાણી વડે ધોઈને સાફ કરીને મોટા ફ્રિજમાં ભરી દીધા હતા. ત્યારબાદ તે દરરોજ રાત્રે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.

    શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા અને મિત્રો ચિંતાતુર થયા હતા. તેના પિતા એક દિવસ તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કેસની વિગતો બહાર આવી હતી. આફતાબ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને દિલ્હીની જ કોર્ટમાં તેની વિરુદ્ધ હત્યાનો કેસ ચાલી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં