Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાઝીઓના ક્રોસને હિંદુ 'સ્વસ્તિક' સાથે નથી કોઈ સંબંધ, બંને તદ્દન ભિન્ન પ્રતીકો:...

    નાઝીઓના ક્રોસને હિંદુ ‘સ્વસ્તિક’ સાથે નથી કોઈ સંબંધ, બંને તદ્દન ભિન્ન પ્રતીકો: હવે અમેરિકાના શિક્ષણ વિભાગે પણ આપી માન્યતા

    સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, વલણવાળા ક્રોસને ઘણીવાર સ્વસ્તિક તરીકે ખોટી રીતે વર્ણવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ વલણવાળો ક્રોસ નાઝીઓનો હેકેનક્રુઝ છે, જે નફરતના પ્રતીક તરીકે કુખ્યાત છે.

    - Advertisement -

    યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં રહેતા હિંદુ સમુદાયને એક મોટી સફળતા મળી છે, USના ઓરેગોન શિક્ષણ વિભાગે હિંદુઓના પવિત્ર ધાર્મિક પ્રતીક સ્વસ્તિક અને નાઝીના ‘હેકેનક્રુઝ’ વચ્ચેના તફાવતને સત્તાવાર રીતે માન્યતા આપી છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ગુરુવારે (18 જુલાઈ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેને “ઐતિહાસિક નિર્ણય” ગણાવ્યો છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે, આ ભવિષ્યની પેઢીઓ માટે હિંદુઓના પ્રતીકોની પવિત્રતા જાળવવામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કામ કરશે.

    હિંદુ અમેરિકન ફાઉન્ડેશને લખ્યું કે, “આપણાં સમુદાય માટે ઐતિહાસિક જીત! ઓરેગોનમાં આપણાં સમર્થકોના અથાગ પરિશ્રમ માટે આભાર. ઓરેગોન ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ સત્તાવાર રીતે નાઝી ‘હેકેનક્રુઝ’ અને આપણા પવિત્ર ‘સ્વસ્તિક‘ વચ્ચેના તફાવતને માન્યતા આપી છે. આ ઐતિહાસિક નિર્ણય ભાવિ પેઢીઓ માટે આપણા પ્રતીકોની પવિત્રતા જાળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તમારા અતૂટ સમર્થન અને સમર્પણ વિના આ વિજય શક્ય ન હોત. આવો, આપણે લોકોને શિક્ષિત કરવાનું ચાલુ રાખીએ અને આપણા પવિત્ર સ્વસ્તિકના સાચા સંદર્ભ અને અર્થ વિશે જાગૃતિ ફેલાવીએ.”

    અધિકૃત વેબસાઇટ Oregon.gov અનુસાર, શિક્ષણ વિભાગે એક આધિકારિક સંદેશ જારી કર્યો છે. જેનું શીર્ષક છે, “દરેક વિદ્યાર્થીની જવાબદારી – પ્રતીકો વચ્ચેનો તફાવત શીખવો.” તેમાં, ઓરેગોન ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને સ્વસ્તિકને એક સંસ્કૃત શબ્દ તરીકે વર્ણીત કર્યો છે. જેનો ઉપયોગ હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, યહુદી ધર્મ, જૈન ધર્મ અને કેટલાક મૂળ અમેરિકન ધર્મો અને સંસ્કૃતિઓ સહિત ઘણા ધર્મો અને સંસ્કૃતિઓમાં શુભ અને પ્રાકૃતિક વિશ્વના તત્વોના પ્રતીક તરીકે કરવામાં આવે છે.

    - Advertisement -

    આ સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, વલણવાળા ક્રોસને ઘણીવાર સ્વસ્તિક તરીકે ખોટી રીતે વર્ણવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ વલણવાળો ક્રોસ નાઝીઓનો હેકેનક્રુઝ છે, જે નફરતના પ્રતીક તરીકે કુખ્યાત છે. શિક્ષણ વિભાગે કહ્યું, “હુક કરેલા ક્રોસની છબીને સામાન્ય રીતે ‘સ્વસ્તિક’ તરીકે ઓળખવામાં આવે છે, વાસ્તવિક નાઝી અને નિયો-નાઝી પ્રતીકને યોગ્ય રીતે ‘હેકેનક્રુઝ’ તરીકે લેબલ કરવામાં આવે છે, જે ‘હુકવાળા ક્રોસ’ માટેનો જર્મન શબ્દ છે.” સાચા શબ્દો દ્વારા સાચો અર્થ સમજો અને ખોટી વસ્તુઓ વિશેની માહિતી જોડો…

    ડોક્યુમેન્ટ્રીમાં સ્વસ્તિક વિરુદ્ધ હેકેનક્રુઝની તપાસ

    નોંધનીય છે કે, અમેરિકામાં ‘સ્વસ્તિક’ પ્રત્યે નફરતના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની વારંવાર માંગ કરવામાં આવી હતી, જ્યારે હિંદુ સંગઠનો તેનો ભારે વિરોધ કરતા રહ્યા હતા. એક ડોક્યુમેન્ટ્રીમાં પશ્ચિમી મીડિયાના તે નેરેટિવનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ‘સ્વસ્તિક’ ને નાઝી જર્મન તાનાશાહ હિટલર અને તેના હત્યાકાંડ સાથે જોડ્યું હતું. આ ડોક્યુમેન્ટ્રીમાં ‘શાંતિ ચિન્હ’ને ‘શેતાનનું પ્રતીક’ બનાવનારાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેનો જવાબ પણ આપવામાં આવ્યો છે કે, શું હિટલરે ઉપયોગમાં લીધેલું પ્રતીક ખરેખર ‘સ્વસ્તિક’ હતું? તમે આ ડોક્યુમેન્ટ્રી પરનો અમારો અહેવાલ અહીં વાંચી શકો છો, જે સમજાવે છે કે હિટલરનું પ્રતીક Hakenkreuz ખ્રિસ્તી પંથ સાથે જોડાયેલું છે. આ ખ્રિસ્તી ક્રોસ સાથે સંબંધિત પ્રતીક છે, જ્યારે સ્વસ્તિકને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

    લાંબા સમયથી ચાલી રહ્યું હતું અભિયાન

    ઓરેગોન પ્રશાસન દ્વારા સ્વસ્તિક અંગે જારી કરાયેલા આદેશની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અમેરિકામાં, ‘હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)’ હિંદુઓના પવિત્ર પ્રતીક ‘સ્વસ્તિક’ પર પ્રતિબંધ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું હતું. આ સંગઠને અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં હાઉસ ઓફ ડેલિગેટ્સના એક બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં સ્વસ્તિકને ‘દ્વેષ’ના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપડાં, પુસ્તકો, શાળાઓ અને આવી અન્ય જગ્યાઓ પર સ્વસ્તિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે, હવે ઓરેગોન પ્રશાસનના નિર્ણયથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં