તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો કરવામાં આવ્યો છે, જેનાથી દાવો થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર કાર્યક્રમમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્વીકારી ન હતી અને તેનો અનાદર કર્યો હતો.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ સંદીપ ગુપ્તાએ એક 11 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, જો પીએમ મોદીની જગ્યાએ રાહુલ ગાંધીએ ભગવાન ગણેશજીની મૂર્તિ લેવાની ના પાડી દીધી હોત તો મીડિયા અને ભાજપે બહુ વિરોધ કર્યો હોત. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ વિડીયોને 1 લાખ 13 હજાર કરતાં વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
कल्पना कीजिए मोदी जी की जगह अगर राहुल गांधी जी ने भगवान गणेश को लेने से मना कर दिया होता तो आज सर मीडिया और भाजपाइयों का झुंड अपनी चूड़ियां तोड़ रहा होता। pic.twitter.com/dJif16lEjm
— ??????? ????? (@SandeepGuptaINC) March 26, 2024
આ સિવાય પણ ઘણી એવી પોસ્ટ કરવામાં આવી, જેમાં વડાપ્રધાન મોદીએ ભગવાન ગણેશજીની મૂર્તિનો અસ્વીકાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો.
कल्पना कीजिए मोदी जी की जगह अगर राहुल गांधी जी या कोई और विपक्ष का नेता होता और भगवान गणेश को लेने से मना कर दिया होता तो आज सर मीडिया और भाजपाइयों का झुंड अपनी चूड़ियां तोड़ रहा होता। #हिंदुविरोधीबीजेपी pic.twitter.com/IClKnshlvE
— Charu Yadav (@YadavCharu28) March 26, 2024
नरेंद्र मोदी ने गणेश जी की मूर्ति नहीं ली!
— ?? Vishal JyotiDev Agarwal ?? (@JyotiDevSpeaks) March 26, 2024
कल्पना कीजिए मोदी की जगह अगर किसी विपक्षी नेता ने भगवान गणेश को लेने से मना कर दिया होता तो आज गोदी मीडिया और भाजपाइयों का झुंड अपनी चूड़ियां तोड़ रहा होता। pic.twitter.com/opdYmWIxGT
જે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમાં એક જાહેર કાર્યક્રમમાં અમુક લોકો પીએમ મોદીને વિવિધ ભેટ આપીને સન્માનિત કરતા જોવા મળે છે. આગળ એક વ્યક્તિ ગણેશજીની મૂર્તિ પીએમ મોદીને આપવા માટે પ્રયાસ કરે છે, પરંતુ વડાપ્રધાને કશુંક કહેતાં તેઓ પાછળ હટી જાય છે. ત્યારબાદ પીએમ નમસ્કાર કરે છે અને વિડીયો પૂર્ણ થઈ જાય છે.
વાસ્તવિકતા શું છે?
ઑપઇન્ડિયાની તપાસમાં આ વિડીયો અધૂરો હોવાનું સામે આવ્યું. હકીકતે વડાપ્રધાન મોદીએ ગણેશજીની મૂર્તિ પણ સ્વીકારી જ હતી. જે વિડીયો ફેરવવામાં આવી રહ્યો છે તે અધૂરો અને ભ્રામક છે. ત્યારબાદ પીએમ મોદી ગણેશજીની મૂર્તિ પણ પૂરેપૂરા માન-સન્માન સાથે સ્વીકારતા જોવા મળે છે.
તપાસમાં સામે આવ્યું કે આ વિડીયો 10 મહિના જૂનો છે. મે, 2023માં પીએમ મોદી કર્ણાટકમાં એક જાહેર સભા સંબોધવા માટે પહોંચ્યા હતા, તે કાર્યક્રમમાં આ ઘટનાઓ બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભાજપની અધિકારિક યુ-ટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ફૂટેજમાં એ ભાગ પણ જોવા મળે છે, જે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આ વિડીયોમાં 2 મિનીટ અને 5 સેકન્ડ પછી જોશો તો એ દ્રશ્યો જોવા મળશે, જે વાયરલ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ત્યારબાદ 2 મિનીટ 27 સેકન્ડે પીએમ મોદી ગણેશજીની મૂર્તિ સ્વીકારતા સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ ભેટ આપનારા કાર્યકર્તાઓ સાથે તસવીર પણ ખેંચાવે છે. ત્યારબાદ પણ તેમને અન્ય ભેટ આપવામાં આવે છે.
તારણ: પીએમ મોદીએ ગણેશજીની મૂર્તિ ન સ્વીકારી હોવાનો વિડીયો અધૂરો અને ભ્રામક છે. ત્યારબાદ જ્યારે તેઓ મૂર્તિ સ્વીકારે છે તે વિડીયોમાં સમાવવામાં આવ્યું નથી.


