Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ સ્થાપના દિવસ: ચાલો જાણીએ ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા શહેરમાં હિંદુ મંદિરોના વિનાશના...

    અમદાવાદ સ્થાપના દિવસ: ચાલો જાણીએ ઇસ્લામિક આક્રાંતાઓ દ્વારા શહેરમાં હિંદુ મંદિરોના વિનાશના પગેરું ક્યાંથી ક્યાં જાય છે

    અમદાવાદ શહેર તરીકે આજે જે રીતે ઉભું છે તેનો પાયો અહમદ શાહે નાખ્યો હતો. જો કે, આક્રાંતાઓએ આપણા પર આક્રમણ કર્યું અને આપણા મંદિરોનો નાશ કર્યો તે પહેલાં તે કર્ણાવતી અને આશાવલ તરીકે અસ્તિત્વમાં હતું.

    - Advertisement -

    26મી ફેબ્રુઆરી 1411ના રોજ અહમદ શાહ (પ્રથમ), સ્વ-ઘોષિત “નાસીર-ઉદ-દુનિયા વાદ-દિન અબુલ ફતેહ અહેમદ શાહ” એ સાબરમતીના કિનારે એક નવી રાજધાની શહેરનો પાયો નાખ્યો, જે અગાઉ આશાવલ તરીકે ઓળખાતું હતું અને તેના પર આશા ભીલનું શાસન હતું. પશ્ચિમ ભારતમાં પ્રાચીન શહેર કર્ણાવતી તરીકે પણ જાણીતું હતું. નવી રાજધાની બનાવવાના નામે, ગુજરાત સલ્તનતના અહમદ શાહ (પ્રથમ) એ આસપાસના જૂના મંદિરોનો નાશ કર્યો અને મંદિરના કાટમાળનો ઉપયોગ કરીને મંદિરની જગ્યાઓ પર ઇસ્લામિક બાંધકામો બનાવ્યા હતા.

    અહમદ શાહ દ્વારા ‘સ્થાપિત’ અમદાવાદ 612 વર્ષનું થાય છે અને 26મી ફેબ્રુઆરી 2023ના રોજ 613માં વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે આ ભૂમિએ સહન કરેલ જુલમને આપણે ભૂલી ન જઈએ. ગુજરાત સલ્તનતના યુગે મંદિરોની આ ભૂમિને મધ્યયુગીન ઇસ્લામિક રચનાઓ માટેના નિવાસસ્થાનમાં ફેરવી દીધી છે જે આક્રાંતાઓએ નાશ કરેલા મંદિરોના જ કાટમાળનો ઉપયોગ કરીને મંદિરના સ્થળો પર બનાવવામાં આવી છે.

    મુઝફરીદ રાજવંશ

    ગઝનીના મહમૂદ, મુહમ્મદ ઘોરી, મામલુક અને કુતુબુદ્દીન ઐબકના આક્રમણને બાદ કરતાં, ગુજરાતની ભૂમિ 1297 સુધી ગુજરાતના હિંદુ રાજપૂત રાજાઓના નિયંત્રણ હેઠળ રહી કે જયારે અલાઉદિંગ ખિલજીએ અણહિલવાડા (હાલનું પાટણ)ના રાજા કર્ણદેવરાયને હરાવ્યા. 1407 સુધી ગુજરાત દિલ્હી સલ્તનતના નિયંત્રણ હેઠળ રહ્યું જ્યારે ઝફર ખાન – જેમને 1391 માં દિલ્હી સલ્તનતના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેણે પોતાને ગુજરાત વિસ્તારનો સ્વતંત્ર શાસક જાહેર કર્યો. આ આક્રમણ કરનારને મુઝફ્ફર શાહ પણ કહેવામાં આવતો હોવાથી આ વંશને મુઝફરીદ વંશ કહેવામાં આવે છે. આ મુઝફ્ફર શાહે બે વાર સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો.

    - Advertisement -

    ઇસ્લામિક આક્રમણકારો દ્વારા સોમનાથ મંદિરના આક્રમણ અને વિનાશ વિશે આપણે મોટે ભાગે સાંભળ્યું છે. જો કે, એકલા અમદાવાદમાં જ ડઝનબંધ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે પણ આપણા મંદિરોના ખંડેર પર ઇસ્લામિક બાંધકામો ઉભા છે. “હિંદુ મંદિરો – તેમનું શું થયું?” પુસ્તકમાં, ઇતિહાસકાર સીતારામ ગોયલે અમદાવાદ જિલ્લા વિસ્તારમાં આવી 18 માંથી 9 જગ્યાઓનો સમાવેશ કર્યો છે.

    અમદાવાદમાં 18 માળખાં પાટણ, આશાવલ અને ચંદ્રાવળ વિસ્તારની જગ્યાઓને આવરી લે છે. ભદ્રનો મહેલ અને કિલ્લો, ભદ્રમાં અહેમદ શાહની મસ્જિદ, અહેમદ શાહની જામી મસ્જિદ, હૈબત ખાનની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, રાની બાઈ હરીરની મસ્જિદ, મલિક સારંગની મસ્જિદ, મહફિઝ ખાનની મસ્જિદ, સૈયદ આલમની મસ્જિદ, પથ્થરવાળી મસ્જિદ, સકર ખાનની મસ્જિદ, બાબા લુલુની મસ્જિદ, શેખ હસન મુહમ્મદ ચિશ્તીની મસ્જિદ, ઇસનપુરની મસ્જિદ,મલિક શબાન, રાની સિપ્રી અને શાહ આલમની મસ્જિદો અને મઝારો અને અહેમદ શાહનો મકબરો.

    આ ઉપરાંત દેકવારા, ઈસાપુર, ઉસ્માનપુર, રાણપુર અને પાલડીમાં એક-એક મસ્જિદ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી છે. તેમાંના કેટલાક દિલ્હી સલ્તનત દ્વારા બનાવવામાં આવ્યા હતા જ્યારે અન્ય ગુજરાત સલ્તનત દ્વારા બનાવવામાં આવ્યા હતા. ધોળકામાં એવી છ જગ્યાઓ છે કે જ્યાં મંદિરનો નાશ કરીને અથવા મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને ઈસ્લામિક બાંધકામો છે. તે છે – બહલોલ ખાન ગાઝીની મસ્જિદ અને મઝાર, બરકત શાહિદની મઝાર, ટંકા અથવા જામી મસ્જિદ, હિલાલ ખાન કાઝીની મસ્જિદ, ખિરની મસ્જિદ અને કાલી બજાર મસ્જિદ. તમામ છ માળખાં 14મી સદીમાં બાંધવામાં આવ્યા છે જ્યારે ગુજરાત પર દિલ્હી સલ્તનતનું શાસન હતું.

    માંડલમાં સૈયદની મસ્જિદ અને જામી મસ્જિદ મંદિરોને તોડીને બનાવવામાં આવી છે. શૈખ અહેમદ ખટ્ટુ ગંજ બખ્શની દરગાહ અને સુલતાન મહમૂદ બેગડાની મકબરા બંને મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

    આજના અમદાવાદના ઇસ્લામિક શાસકોએ આપણા મંદિરોનો કેવી રીતે નાશ કર્યો તે અહીં છે.

    અહમદ શાહ (પ્રથમ)

    અહમદ શાહ (પ્રથમ) મુઝફ્ફર શાહનો પૌત્ર હતો. આજે જે અમદાવાદ તરીકે ઓળખાય છે તેનો પાયો તેણે નાખ્યો હતો. તેણે ઘણા મંદિરોનો નાશ કર્યો અને તેને મસ્જિદો અને અન્ય ઇસ્લામિક માળખામાં રૂપાંતરિત કર્યા હતા.

    “Reclaim Temples” નું ટ્વિટર હેન્ડલ એવી હિંદુ જગ્યાઓનું દસ્તાવેજીકરણ કરે છે જ્યાં ઇસ્લામિક જુલમીઓએ ઇસ્લામિક બાંધકામો કર્યા છે. તેણે ટ્વિટ કર્યું, “અમદાવાદ ગુજરાતમાં અહમદ શાહની મસ્જિદ એ એક હિંદુ મંદિર છે જે 1414માં સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું અને તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. હિંદુ મંદિરની છત, થાંભલા, રૂપરેખા અને અન્ય મંદિરની ડિઝાઇન જોઈ શકાય છે. જો કે, હિંદુ દેવતાઓના તમામ શિલ્પો દૂર કરવામાં આવ્યા હતા.”

    આગળના ટ્વીટમાં, ‘Reclaim Temples’ કહે છે, “ગુજરાતમાં જામા મસ્જિદ અમદાવાદ એ ભદ્રકાલી મંદિર છે જે 1415માં સુલતાન અહેમદ શાહ દ્વારા બળપૂર્વક મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહ, હિંદુ દેવતાઓની વિકૃત શિલ્પ, હિંદુ મંદિરની રચનાઓ સાબિત કરે છે કે તે મુસ્લિમ કબજા હેઠળનું એક હિંદુ મંદિર છે.”

    સરખેજમાં શૈખ અહેમદ ખટ્ટુ ગંજ બખ્શની દરગાહ પણ આ અહમદ શાહે બંધાવી છે. અહમદ શાહની કબર અમદાવાદના માણેક ચોકમાં જામા મસ્જિદ પાસે આવેલી છે અને તે મંદિરની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેણે ભદ્રકાળી મંદિરના અવશેષોમાંથી ભદ્રનો કિલ્લો પણ બનાવ્યો હતો. તેણે 1411 થી 1442 સુધી ગુજરાત સલ્તનત પર શાસન કર્યું અને તેમના 32 વર્ષના શાસનમાં ઇસ્લામિક માળખામાં રૂપાંતરિત કરવા માટે અન્ય ઘણા મંદિરોનો નાશ કર્યો હતો.

    મહમુદ બેગડા

    મહેમુદ બેગડાએ ગુજરાત સલ્તનત પર 54 વર્ષ એટલે કે 1458 થી 1511 સુધી શાસન કર્યું. ગુજરાત સુલતાનીના મુઝફરીદ વંશના શાસનના લગભગ 166 વર્ષોમાંથી, લગભગ 87 વર્ષનું શાસન અહેમદ શાહ (પ્રથમ) અને મહમૂદ બેગડા હેઠળ છે. આ મહમુદ બેગડાને બેગડા કહેવામાં આવે છે કારણ કે તેણે જૂનાગઢ અને પાવાગઢના બે મહત્વના કિલ્લા (ગઢ) જીત્યા હતા. ગુજરાતીમાં બે નો અર્થ 2 થાય છે. ગઢ એટલે કિલ્લો. આ મહમૂદ બેગડા આ વંશના અગાઉના સુલતાનો કરતાં વધુ કટ્ટરવાદી હતો. 1472 માં, તેણે હિંદુ ધર્મના ચાર સૌથી પવિત્ર સ્થળોમાંના એક દ્વારકાનો નાશ કર્યો હતો.

    તેણે જ્યાં પણ હુમલો કર્યો ત્યાં તેણે ઇસ્લામ ફેલાવ્યો હતો. તેણે મંદિરોનો નાશ કર્યો અને તે સ્થળો પર ઇસ્લામિક સ્ટ્રક્ચર્સ બનાવ્યાં હતા. ખાસ કરીને અમદાવાદ વિશે વાત કરીએ તો, અલીમપુરા, ઇસનપુર, ઇસ્લામપુર અને વટવા જેવા ઉપનગરો – તે બધા તેમના ઉમરાવો દ્વારા વસેલા હતા જેઓ હકીકતમાં એટલા ઉમદા ન હતા. તેના કાર્યકાળમાં આ વિસ્તારોમાં ઘણી મસ્જિદો બનાવવામાં આવી છે, જેમાંથી મોટા ભાગના મૂળ મંદિરો છે જે મસ્જિદોમાં પરિવર્તિત થયા હતા. મલિક સારંગ – તેના ગવર્નરોમાંના એક – જન્મથી રાજપૂત હતો. સારંગપુર ઉપનગર અને મલિક સારંગની મસ્જિદ તેના નામ પરથી રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાત સલ્તનત અને આ રાજવંશમાં આવા અનેક ધર્માંતરિત સેનાપતિઓ હતા. તે સરહદ વિસ્તરણ દરમિયાન જીતશે, બંદીવાન રાજાને ઇસ્લામ સ્વીકારવાનું કહેશે, અને ઇનકાર કરનાર રાજાને મારી નાખશે.

    અમદાવાદમાં મહમૂદ બેગડાએ રાણી રૂપમતી મસ્જિદ બનાવી. તેણે ગુજરાતમાં પાવાગઢ પર આવેલા કાલિકા દેવી મંદિરનો પણ નાશ કર્યો હતો. બેગડાએ શિખરનો સંપૂર્ણ નાશ કર્યો હતો અને પછી હિંદુઓનું વધુ અપમાન કરવા માટે, જ્યાં શિખરા હતા ત્યાં જ ગર્ભગૃહ (ગભગૃહ)માં એક સદનશાહ પીરની દરગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હુમલા પછી, 500 થી વધુ વર્ષો સુધી, મંદિરમાં કોઈ ધ્વજા ફરકાવવામાં આવ્યો ન હતો. હિંદુ ધર્મમાં નાશ પામેલા શિખર પર ધ્વજા ફરકાવવું અશુભ માનવામાં આવે છે. તેથી, 500 થી વધુ વર્ષોથી, મા, તેમના પોતાના મંદિરમાં, એક દરગાહ હેઠળ અટવાઇ હતી. દરગાહને હવે સ્થાનાંતરિત કરવામાં આવી છે અને 2022 માં મંદિરનો ફરીથી દાવો કરવામાં આવ્યો છે. છેવટે, ઇસ્લામિક આક્રમણકારો દ્વારા તેનો નાશ કર્યાના દાયકાઓ પછી ધ્વજા મંદિર પર ફરકે છે.

    મહમૂદ બેગડા જીતેલા મંદિરના સ્થળોનો અંતિમ સંસ્કાર માટે ઉપયોગ કર્યો અને ગર્ભગૃહની અંદર કબરો બનાવી હતી. તેનું દફન સ્થળ પણ મકબરામાં રૂપાંતરિત મંદિર છે. તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું છે. તેમની પત્ની રાજબાઈ (મૂળ હિંદુ મહિલા)ને પણ આવી જ રીતે દફનાવવામાં આવી છે. આ તેના દ્વારા જૂનાગઢ, વડોદરા, ભરૂચ અને સુરતમાં જ્યારે તેઓ જીવતા હતા ત્યારે મુખ્ય મંદિરોનો નાશ અને મસ્જિદોમાં રૂપાંતરિત કર્યા ઉપરાંત છે.

    ભદ્રનો કિલ્લો અને જામી મસ્જિદ

    ભદ્રનો કિલ્લો એ સ્થળ છે જ્યાં ગુજરાતના રાજપૂતોએ જૂના શહેર પર શાસન કર્યું હતું. ગુજરાત સલ્તનતના જુલમી શાસકોએ જૂના માળખાને વધુ મજબૂત બનાવ્યું, છતાં મોટાભાગના માર્ક્સવાદી અને ઇસ્લામવાદી ઇતિહાસકારો તેના બાંધકામ માટે અહેમદ શાહ (પ્રથમ)ને શ્રેય આપે છે. કિલ્લાની આસપાસ ભદ્રા કાલીનું એક પ્રાચીન મંદિર હતું જે દેવી લક્ષ્મીનું છે. અહેમદ શાહ (પ્રથમ) દ્વારા તેને અપવિત્ર કરી મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. તેણે મસ્જિદ બનાવવા માટે કિલ્લાની અંદર એક મંદિરને પણ અપવિત્ર કર્યું.

    વસાહતી શાસનના અવશેષો

    તીન દરવાજા, સરખેજ રોઝા, શાહઆલમના રોઝા અને સિદ્દી સૈયદ મસ્જિદ એ ગુજરાત સલ્તનતના વસાહતી શાસનના અન્ય અવશેષો પૈકી એક છે જે હજુ પણ અમદાવાદમાં જોઈ શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર કહ્યું છે કે લોકોએ સંસ્થાનવાદી નિયમોના પ્રતીકોમાંથી મુક્ત થવું જોઈએ અને નવા ભારતના ભવિષ્યને સ્વીકારવું જોઈએ.

    અમદાવાદ તેના ખોવાયેલા વારસાને પાછું મેળવવામાં સફળ થશે કે કેમ તે તો સમય જ કહેશે. પરંતુ 600 વર્ષ પહેલાં તે ખંડેર પર બન્યું હતું તે વિશે જાણવા માટે હંમેશા ઇતિહાસ વાંચી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં