Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી કેસ : શિવલિંગની સુરક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, વિવાદિત માળખામાં મુસ્લિમોને...

    જ્ઞાનવાપી કેસ : શિવલિંગની સુરક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, વિવાદિત માળખામાં મુસ્લિમોને નમાઝ પઢવા માટે મંજૂરી

    સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, “આગામી સુનાવણી સુધી અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળી આવ્યું છે તે સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા આવવી ન જોઈએ.”

    - Advertisement -

    વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલા વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી’ મામલે ચાલતા વિવાદ વચ્ચે આજે આ મામલે સુપ્રીમ કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યું છે કે જે સ્થળે શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને પૂરતી સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે નમાઝમાં ખલેલ પહોંચવી ન જોઈએ તેમ પણ કોર્ટે કહ્યું હતું. આ સાથે કોર્ટે આગામી સુનાવણી માટેની તારીખ 19 મે નક્કી કરી હતી.

    સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, “આગામી સુનાવણી સુધી અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળી આવ્યું છે તે સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા આવવી ન જોઈએ.”

    બીજી તરફ, જ્ઞાનવાપી વિવાદિત માળખાના સરવે પર રોક લગાવવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે (17 મે 2022) કહેવામાં આવ્યું હતું કે, “આ મામલાની સુનાવણી નીચલી કોર્ટમાં ચાલી રહી છે, તેથી જિલ્લા અદાલતના નિર્ણયની રાહ જોવી જરૂરી છે.” સુપ્રીમ કોર્ટે વારાણસીની જિલ્લા અદાલતના  અંજુમન ઇંતેજામિયા મસ્જિદની અરજી પર હિંદુ પક્ષકારો અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરીને 19 મે સુધીમાં જવાબ આપવા કહ્યું છે. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી સમિતિ ‘અંજુમન ઇંતેજામિયા મસ્જિદ’ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ પીએસ નરસિમ્હાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. ‘અંજુમન ઇંતેજામિયા મસ્જિદ’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વારાણસી કોર્ટ તરફથી કરાવવામાં આવી રહેલા સરવેના આદેશને પડકારતી અરજી કરવામાં આવી છે. આ જ આદેશ હેઠળ વિવાદિત માળખાના પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. 

    મસ્જિદ સમિતિના વકીલ હુજૈફા અહમદીએ કોર્ટને કહ્યું કે, આ પૂજાના અધિકારનો મામલો છે અને તેમાં મા ગૌરી, હનુમાન અને અન્ય દેવતાની પૂજાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ જગ્યાનું કેરેક્ટર બદલવાની માંગ છે જે હાલ મસ્જિદ છે. 

    અહમદીએ આગળ પોતાની દલીલમાં કહ્યું કે, “અમારું કહેવું છે કે આ અરજી સ્વીકાર જ ન થવી જોઈતી હતી. બીજો મુદ્દો પોલીસ સંરક્ષણનો છે. આ આદેશ અમને સાંભળ્યા વગર જ કરવામાં આવ્યો હતો. પછી કહેવામાં આવ્યું કે એક ખાસ વ્યક્તિને કોર્ટ કમિશનર બનાવવામાં આવે. નીચલી અદાલતના આ ત્રણ આદેશોને અમે પડકારી રહ્યા છીએ.

    મુસ્લિમ સમિતિના વકીલે કોર્ટને કહ્યું કે, “શનિવાર અને રવિવારે કમિશનર સરવે કરવા માટે ગયા હતા અને તેમને ખબર હતી કે કેસ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે અને આ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે કમિશનર દ્વારા જણાવવામાં આવ્યા બાદ પરિસરમાં એક સ્થળ સીલ કરવાનો આદેશ આપ્યો કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની અંદર એક શિવલિંગ મળી આવ્યું છે. આ કાર્યવાહી રોકવામાં આવે અને યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે તેવી અમારી માંગ છે.”

    અહમદીએ નીચલી અદાલત દ્વારા કમિશનરની નિયુક્તિ સહિત તમામ આદેશો પર રોક લગાવવાની માંગ કરી હતી અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપવાની માંગ કરી હતી અને દલીલ કરી હતી કે આ આદેશ ગેરકાયદેસર છે અને સંસદના કાયદાની વિરુદ્ધ છે. જો પરિસરને સીલ કરવામાં આવશે તો સ્થિતિમાં પરિવર્તન આવશે. તેમણે પ્લેસિસ ઓફ એક્ટનો સંદર્ભ આપીને કહ્યું કે, તેના ત્રીજા ખંડમાં યથાસ્થિતિ જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં