Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તે અકલ્પનીય: સત્તા પલટાયા બાદ પવારની પ્રથમ પ્રતિક્રિયા

    એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તે અકલ્પનીય: સત્તા પલટાયા બાદ પવારની પ્રથમ પ્રતિક્રિયા

    એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવાતા એનસીપીના ચીફ શરદ પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જો કે તેમણે શિંદેને અભિનંદન પણ આપ્યા હતા.

    - Advertisement -

    એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા અને મહારાષ્ટ્રની રાજકારણે આખા દેશને અચંબામાં મૂકી દીધો, જોકે સૌથી વધુ આશ્ચર્યમાં એનસીપી ચીફ અને અઘાડી સરકારના કર્તાહર્તા કહેવાતા શરદ પવાર જોવા મળ્યા છે. ગઈકાલે મોદી સાંજે એકનાથ શિંદેના શપથ ગ્રહણ બાદ આજે શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે. સૌપ્રથમ તો એક ટ્વીટ કરીને તેમણે મહારાષ્ટ્રની સરકાર અને નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભકામનાઓ પાઠવી હતી.

    એક અહેવાલ મુજબ સરકારના પડી ભાંગવા પર દુઃખી એનસીપી ચીફે નિઃસાસો નાંખતા સંભાવના વ્યક્ત કરી હતી કે કદાચ બળવાખોર ધારાસભ્યોએ ઈચ્છા વ્યક્ત કરી હશે, જેને ધ્યાનમાં રાખીને શિંદેને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. અઢી વર્ષ સુધી રાજ્યમાં શાસન કરનાર મહા વિકાસ અઘાડી ગઠબંધનના ઘડવૈયા ગણાતા શરદ પવારે કહ્યું કે શિંદે સહિત બળવાખોર છાવણીમાંથી ઉપમુખ્યમંત્રી પદની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. એક રીપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે “જે લોકો શિંદેની સાથે આસામ ગયા હતા તેઓને એવી આશા હતી કે તેમના નેતા ડેપ્યુટી સીએમ બનશે. મને લાગે છે કે શિંદેને પણ કદાચ મુખ્યમંત્રી પદની આશા ન હતી.”

    પવારે ટ્વીટ કરીને શિંદે સરકારને શુભકામના

    - Advertisement -

    આ ઉપરાંત શરદ પવારે એક ટ્વીટ કરીને નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભકામનાઓ પાઠવી હતી, મરાઠી ભાષામાં કરાયેલા આ ટ્વીટમાં પવાર લખેછે કે “એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટાવા બદલ અભિનંદન ! મને આશા છે કે તેમના દ્વારા મહારાષ્ટ્રના હિતોની રક્ષા કરવામાં આવશે.”

    ફડણવીસે મુખ્યમંત્રી પદ માટે શિંદેનું નામ જાહેર કર્યું હતું

    અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ દરમિયાન એકનાથ શિંદેનું નામ આગળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તે સમયે ફડણવીસે પોતાને નવી સરકારથી દૂર રાખ્યા હતા. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું તેઓ આ સરકારનો હિસ્સો નહી બને. જોકે ગણતરીના કલાકોમાંજ તમામ રાજકીય સમીકરણો બદલાયા અને અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા હતા. સાથેજ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને તમને મનાવ્યાં અને ફડણવીસને સરકારમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે જણાવ્યું હતું.

    કોંગ્રેસનો હસ્તક્ષેપ અને હિંદુત્વથી દૂરી પાર્ટીના પતનનું કારણ

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ગઠબંધનને બહુમતી પણ મળી હતી. ચૂંટણીમાં ભાજપને 106 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ શિવસેના અલગ થઇ ગઈ હતી અને એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. જોકે, ત્યારે પણ સીએમ તરીકે એકનાથ શિંદેનું નામ આગળ ચાલી રહ્યું હતું પરંતુ આખરે ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા.

    જોકે, અઢી વર્ષ દરમિયાન સરકારમાં એનસીપી અને કોંગ્રેસનો હસ્તક્ષેપ અને પાર્ટી હિંદુત્વથી દૂર જતી જોઈને એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને સુરત અને ત્યાંથી ગુવાહાટીની હોટેલમાં તંબૂ તાણ્યા હતા. ધીમે-ધીમે શિંદે જૂથની સંખ્યા વધતી ગઈ અને આખરે હવે શિંદે જ મહારાષ્ટ્રના સીએમ બન્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં